________________
નં. ૧૨૧ ગોવિંદ ૩ જાનાં વેણુ (દિડેરી તાલુકામાં)નાં તામ્રપત્રો
શ. સં. ૭૩૦ ૨. સુ. ૧૫ આ તામ્રપત્રો જ. ર. એ. સે. ( ઓ. સી. ) . ૫ પા. ૩૪૩ મે મી. ધને પ્રસિદ્ધ કર્યો છે. રો. એ. સ. ની મુંબઈ શાખામાં અસલ તામ્રપત્રે છે, તેના ઉપરથી હું ફરી પ્રસિદ્ધ કરું છઉં.
પતરાં ત્રણ છે અને ૧૦” લાંબાં અને ૭” પહેલાં છે. વચમાંથી તેનાથી જરા ઓછાં પહોળાં છે. કાર જરા જાડી રાખેલી છે અને પતરાં સુરક્ષિત છે. બીજા પતરાની બીજી બાજુએ મધ્ય ભાગમાં લેખ જરા ઘસાએલ છે. અંગ્રેજી પુસ્તકનાં પાનાંની માફક ફેરવીને વાંચી શકાય એવી રીતે પતરાં કોતરેલાં છે. કડીyઇંચ જાડી ૪” વ્યાસવાળી છે. તેના પરની સીલ ગેળ છે અને તેને વ્યાસ ૨૫ ઈંચ છે. દક્તિદગ અને ગેવિન્દ ત્રીજાનાં બીજાં પતરાંમાં હોય છે તેવી જ બેઠેલી શિવની મૂર્તિ સીલમાં કોતરેલી છે. ભાષા સંસ્કૃત જ છે.
આ પતરાંમાંના ૧૭ પ્લેકે રાધનપુરનાં પતરાંમાં પણ છે. ઉપરાંત આમાંના છઠ્ઠા અને સાતમાં સ્પેકની વચમાં રાધનપુરનામાં એક પ્લેટ વધુ છે. તે પુત્ર નાથનથી શરૂ થાય છે. અને તેમાં એક તરફ પિતાનું લશ્કર અને બીજી બાજુ સમુદ્ર વચ્ચે ૫૯લોને ધેર અગર પ્રવે ઘેરી લીધાનું અને તેના હાથીઓ પડાવી લીધાનું વર્ણન છે. આમાંને અગીયારમો લેક પાંચ પાદવાળો હાઈને તેને તરજુમે બરાબર થઈ શકતો નથી. તે રાધલુપુરનામાં ચાર ચાર પાદના બે કલાકમાં આપેલ છે. આમાંના ૧૨ માં અને ૧૩ મા શ્લેકની વચમાં રાધનપુરનામાં એક વધુ કલેક છે. તે સંધાયાકુરેશીનુણ7 થી શરૂ થાય છે અને તેમાં ગોવિંદ ૩ જા પાસેથી ગુર્જર રાજા નાશી ગયાનું વર્ણન છે. આમાંના ૧૬ મા અને ૧૭ મા લેકની વચમાં રાધનપુરનામાં જેલદિરથી શરૂ થતો એક વધુ કલેક છે. તેમાં ગાદે મેકલેલા તે અરધે સંદેશો આપે ત્યાં તો વંગીનો રાજા આવ્યું અને ગેવિંદ ૩ જાને માટે તેના નેકરની માફક વર્યો અને કિલલાની દીવાલ બંધાવી દીધી.
ગુર્જર રાજા અને વૈગીપતિ એટલે કે પૂર્વના ચાલુકય રાજા વિજયાદિત ઉર્ફે નરેન્દ્રમૃગ રાજનું વર્ણન આમાં નથી, તેથી એમ અનુમાન થાય છે કે આ બે દાનપત્રની તિથિઓની વચમાં ગોવિંદ ૩ જાએ તેઓને જિત્યા હશે.
આ દાન રાજધાની મયર ખડીમાંથી આપવામાં આવેલ છે. વણીની ઉત્તરમાં રખડ્ડને ડુંગરી કિલ્લે તે મયૂરખડી હશે, એમ ડો. બુલર માને છે.
દાનની સાલ શ. સં. ૭૩૦ (ઈ. સ. ૮૦૬-૭) છે અને વ્યય સંવત્સર આપેલ છે.
નાશિક દેશના વટનગર વિષયમાંનું અમ્બક ગ્રામ દાનમાં આપેલું છે. અમ્બક ગ્રામ તે વણીની દક્ષિણમાંનું હાલનું અમ્બે છે અને લેખમાંનું પુલિન્દા ઉપરનું વારિખેડ તે ઉનન્દા ઉપરનું હાલનું વરખેડ ધાર્યું છે. બીજા સ્થળે ઓળખાયાં નથી. વટનગર તે કદાચ હાલનું વણી હોય.
૧ ૪. એ
. ૧૪ ૫, ૧૫૬ ડે
છે. ૨. ફી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org