SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ कक्क २ जानां ताम्रपत्रो ભાષાતર જેનાં ચરણ કમળ સિદ્ધો, સૂર અને અસુરના અધિપતિઓના મુગટમણથી ચુંબિત છે, જે (સત્વ, રજસ અને તમસુ ના) ત્રણ ગુણસંપન્ન છે અને જે પાણીના સર્જન, પાલન અને પ્રલયના મુખ્ય કારણ રૂપ છે તે શ્રીમાનુ શમ્ભ સદા વિજયી છે ! (પંક્તિ ૨ ) અનેક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરનાર, કમલવૃંદ જેવા શ્રી રાષ્ટ્રકૂટ કુલને સૂર્ય સમાન, અને અતિ પ્રબળ શત્રુઓની વનિતાના મુખકમળને શરદ પવન સમાન, ભૂમિ પર કકકરાજ નૃપ હતે. (પંક્તિ ૩) આ વિમળ નૃપને તેની રાણીથી ધ્રુવરાજ દેવ નામને, અતુલ બળ અને પ્રભાવવાળો પુત્ર જન્મ્યો હતે. શત્રુનાં સૈન્યબળનો નાશ કર્યો પછી, અસિ ઉપર ઉન્નત થઈને તેના થશે સકળ ભુવનને વેત બનાવ્યું. તેની અસિના પ્રહારથી ગજેનાં ભેદેલાં કુભમાંથી ઝરતાં મૌક્તિકથી ભૂમિ આભૂષિત કરતી તેની રણક્ષેત્રની ચેષ્ટા સિંહનાં ચરિતનું સમરણ કરાવતી. લક્ષમીએ અવિવેક, ચપળતા, મુગ્ધભાવ, અને શાન્તિ અને સરસ્વતી સાથેના વિરોધના સ્વભાવિક દો તે ગુણ રત્નસાગરને આશ્રય લઈ, ત્યજી દીધા. રિપુના વંશનાં વન ભસ્મ કરી કાતર (બળહીન) તૃણું( બળહીન શત્રુ )ને ત્યજી, અને શત્રુઓના માતંગેની શિલા સમાન પ્રબળ પીઠ ભાંગી નાંખી, તેના પ્રતાપનો અગ્નિ ચાર સાગરનાં જળની ઉર્મિઓ( જળતા તરંગે )ની અવધિ સુધી પહોંચે તે છતાં શાન્ત થયે નહિ, (પંક્તિ ૯) લક્ષમીસંપન્ન અંગવાળા, સારા ચકનાં ચિહ્નોવાળા કરવાળા (જેમ ગોવિંદ કરમાં ચક અને કમળ ધારે છે ) અને પિતાના પ્રબળ તૃપોને અદેષિત વિકમથી નમન કરાવનાર ( જેમ અસુર બલિ નૃપને | ત્રણ ] અદેષિત પદથી ગવદે વશ કર્યો હતો) અને પિતાના સહચરને દર્પ હણનાર( જેમ ગેવિંદે સર્ષ [કાલિ ]ના મદને હશે ) હોવાથી જે ખરેખર ગોવિંદ દેવ સમાન હતું તે ગોવિંદરાજ તેનો પુત્ર હતા. જેમાં તેના અતિપ્રબળ શત્રુઓએ ખાયેલી ભૂમિ અને જીવનની સર્વ આશા મૂકી દીધી, તેમ રણક્ષેત્રમાં તેના ધનુષની દોરીને મેઘના નાદ સમાન ગંભીર નાદ સાંભળી હંસોએ ( તેને સાચે મેઘનાદ જાણી) પૃથ્વી અને આયુષ્યની કરમાતી આશા ત્યજી દીધી. તે, પ્રયિઓને કલ્પતરૂ સમાન હતે; મિત્રોને મહાન ઉદયગિરિ સમાન હતું, જનનાં નેત્ર કમળને ઈન્દુ સમાન હતો મદથી ભીના કુમ્ભ પર બેસતા ભ્રમરના ગુંજારવવાળા મસ્ત ગ તરફ સિંહ સમાન હતાઃ જેને મહેલ રણક્ષેત્રમાં બધીવાન કરેલા શત્રુપર નાંખેલી સાંકળના અવાજથી ગાજતો હતો, તેને હરના મસ્તક પરની નિર્મળ કળા સમાન યશ, હજુ પણ ત્રિભુવનમાં પ્રકાશે છે. (પંક્તિ ૧૪) તેનાથી શ્રી નાગવર્મની પુત્રીએ, જેમ પાર્વતીએ શંભુથી પિતાના અરિતારક અસરને પરાજય કરનાર, શક્તિ ( શસ) ધારનાર, સકળ જગને આનન્દ આપનાર કુમારને જન્મ આપે તેમ, પિતાના શત્રુઓના સામન્તોને હાંકી મૂકનાર બળવાન, અને સમસ્ત જનેને આનંદ આપનાર શ્રી કકરાને જન્મ આપે. મહાન પર્વત પર કિરણો ફેંકતે નવા છતા જનાના નેત્રકમળને આનન્દકારી અને પોતાના રિ, તિમિરને હણનાર ઈદ આકાશ શોભાવે છે તેમ, તો જે બાળ હતા છતા, નૃપેન મુગટમણમાં મળતા રૂપવાળા ચરણ સહિત, જમાના નત્રકમળને આન મા પનાર અને તિમિર સમાન શત્રુઓને હણનાર હતા તેણે પિતાને કુળને સદગુણેથી મંડિત કર્યું. તેના વિકમ ચલિત મદરગિરિથી પંથન ૧ હિન્દી કવિઓની માન્યતા છે કે વર્ષાકાળના આગમન સાથે જ પ્રથમ મેઘનાદ સાંભળતાં જીવનનો ભય ઉત્પન્ન થવાથી હસો હિંદુસ્તાન છે. પ્રેમાં સાતસ સરોવરમાં જઈ રહે છે. લોકનું ખાસ તા ધનુષનાદ મેષ નાદ સાથે સરખાવી છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy