SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ નં૦ ૧૧૮ જયભટ ૩ જાનાં તામ્રપત્રા* ચે. સં. ૪૮૬ આષાઢ સુ. ૧૦ ઘેાડા મહીનાઓ પહેલાં ભરૂચના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર રાવસાહેબ ગેાપાલજી જી. દેસાઇએ એ તામ્રપત્રાની છાપા મને મેકલી હતી. આ પતરાં એમને કાવીના પ્રાચીન શહેરમાંથી સરકારી કામે ગયા હતા ત્યારે થાડા વખત માટે મળ્યાં હતાં. કાવી શહેર મહી નદીની દક્ષિણે થાડા માઈલ ઉપર ખંભાતના અખાતની નજીક આવેલું છે. આ પતરાંઓના ઇતિહાસ નીચે મુજબ કહેવાય છેઃ— કાવીમાં ગંગેશ્વર મહાદેવના મંદિર પાછળના એક મકાનને જોડેલી એક પાણીની ટાંકી પાચ અગર છસેા વર્ષ પહેલાં સાફ કરી હતી. તેના કચરામાંથી તળીએ પહેલાં સાત લખેલાં તામ્રપત્રો મળી આવ્યાં હતાં. કપિલાની જ્ઞાતિએ આ પેાતાના કબજામાં લઈ લીધાં હતાં. જયભટના દાનવાળા પતરામાં તેના છેવટના અર્ધો ભાગ આપ્યા છે. મૂળ તે પતરૂ ૧૦ ઉંચ ઉંચાઇ અને ૧૩ ઈંચ પાહેાળાઈ વાળું હતું. પણ તેની ડાબી અને જમણી બાજુએથી મેટા ટુકડાએ ભાંગી ગયા હૈાવાથી બાજુએ અર્ધ ગોળાકારની થઈ ગઈ છે. સુભાગ્યે ભાંગી ગએલા ભાગેામાં દાતાના પ્રશંસાયુક્ત વિશેષણેા, તથા દાન આપનારને આશીવાર્દ અને લઈ લેનારને શાપના મહાભારતના પ્રખ્યાત શ્ર્લેાકેા હૈાવાથી મેાટું નુકશાન થયું નથી. પરંતુ તારીખ, લેખકનું નામ તથા દાતાની સિડુ એ બગડી ગયાં છે, એ શેાચનીય છે. પતરાંમાં ઘણી ખાંચા પડેલી હાવાથી તે બેદરકારીનેા ભેળ થયાં હાય એમ લાગે છે. ૨૦ મી અને ૨૨ મી પંક્તિના કેટ. લાક અક્ષરા એટલા બધા દાખીને કાતર્યાં છે કે તે પતરાંની બીજી બાજુએ ઉઠયા છે. પાછળની બાજુએ થાડાક અસ્પષ્ટ અક્ષરાની થાડી પંક્તિઓ જણાય છે, તે ઉપરથી એમ લાગે છે કે કાતરનારે કદાચ એ બાજુએ પેાતનું કામ શરૂ કર્યું હતું, પણ પછી તે પ્રયાસ છેાડી દીધા હતા. પતરાંને કાટ લાગ્યે નથી. અક્ષરો છેવટના વલભી રાજાએ, એટલે ધરસેન ૪ થાનાં દાનપત્રા અને પ્રેસર ડાસન અને ભાંડારકરે પ્રસિદ્ધ કરેલાં ગુર્જરનાં પતરાંએની લિપિ સાથે મળતા આવે છે. જયભટનું દાનપત્ર ભગ્નાવસ્થામાં હાવા છતાં પણ અત્યાર સુધીમાં મળી આવેલા લેખામાં સૌથી વધારે મહત્વનું છે. કારણ કે, ગુર્જર વંશના આપણા જાણવામાં આવેલા બીજા રાજા વિષે સપ્રમાણુ હકીકત આપવા ઉપરાંત તે ગુર્જર રાજ્યના ઇતિહાસ વલભીના ઇતિહાસ સાથે જોડે છે. તેમાં ભુંગાળની જાણવાોગ હકીકત આપી છે. તે વિક્રમાદિત્યના સંવત્ વિષેના કેટલાક તર્ક જે હાલના કેટલાક પ્રખ્યાત પુરાતન વસ્તુવિદ્યાના પ્રવીણા પણ કબૂલ કરે છે, તેને અસત્ય ડરાવે છે, અને હિંદુસ્તાનના મૂળાક્ષરોના ઇતિહાસમાં તે ઉપયેગી ફાળા આપે છે. પહેલા મુદ્દાની ખાખતમાં હું ધારું છું કે ઇ. સ. ની પાંચમી સદીમાં ભરૂચ ઉપર રાજ્ય કરતા ગુર્જર વંશમાં જયભટ થયા હતા, એ વિષે શંકા નથી. જયભટના લેખાની ભૌગેાલિક હકીકતા તેના કાલક્રમની હકીકતા જેટલી જ જાણવા લાયક છે. પ્રેાફ઼ેસર ભાંડારકરના દાનપત્રની જેમ આમાં બતાવેલાં લગભગ બધાં ગામડાં એળખાવી શકાય તેમ છે, કેમન્તુ ગામ હાલનું કિમેાજ અથવા કીમજ છે. કીમજથી સીધું પશ્ચિમ દિશામાં પાંચસે છસે વાર દૂર આસમેશ્વર, આપણાં દાનપત્રના આશ્રમદેવનું મંદિર છે. હાલનું મંદિર થાડાં વર્ષો પૂર્વે બંધાવેલું ઇંટનું જ્હાનું મકાન છે, પણ તેમાં એક પ્રાચીન લિ છે, અને તેની *ઈએ. વા. ૫ પા. ૧૦૯ ૧૦. બ્યુર Jain Education International For Personal & Private Use Only www.jainellbrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy