________________
કદ
गुजरातना ऐतिहासिक लेख
અસ્તિત્વ કાળ સુધી, પુત્ર, પૌત્ર અને વંશોના ઉપભાગ માટે, આજે ચંદ્રના સમયે.-~~ માઘ, શુદી ૧૫ ને દિને બ્રહ્મદાય તરીકે, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર, અતિથિ, પંચમઢ઼ાયજ્ઞના અનુષ્ઠાન અર્થે ગિરિનગર શહેરથી આવતા, ચતુર્વેદ્ધિ મધ્યેના, ‘ શ્રાવાયનસ ગોત્રના, વાજસનેય માધ્યનન્તિ સબ્રહ્મચારી, બ્રાહ્મણુ દત્તના પુત્ર, અમારાથી ક્લુમ્બર નામથી ખેાલાવાતા, બ્રાહ્મણ દેવસ્વામિને પાણીના અર્થ સાથે આપ્યું છે.
( પ'. ૩૧ ) આથી તે બ્રહ્મદાયના નિયમ અનુસાર તેના ઉપભેળ કરે, ખેતી, કરે, અથવા ખેતી કરાવે, કાઈને સોંપે ત્યારે કાઈ એ પ્રતિબંધ કરવા નહિ. આ અમારા દાનને, અમારા વંશના કે અન્ય ભાવિ નૃપાએ અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું જોઈએ. જે અજ્ઞાનના તિમિરથી આવૃત થએલા ચિત્તવાળે આ દાન જપ્ત કરશે અથવા સિમાં અનુમતિ આપશે તે પંચમહાપાપ અને અન્ય ન્હાનાં પાપાના દોષી થશે.
(૫. ૩૪) અને વેદ વ્યાસે કહ્યું છે કેઃ—ભૂમિ દાન દેનાર ૬૦ હજાર વર્ષ સ્વર્ગમાં વસે છે પણ તે જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષો નરકમાં વાસ કરે છે. જે ભૂમિદાન જપ્ત કરે છે તે ચિંધ્યાદ્રિના નિર્જલ વનમાં, વૃક્ષેાના શુષ્ક પેાલા( કેટર )માં વસતા કાળા સર્પને જન્મ લેછે. સગરથી માંડીને બહુ ભૂપાએ ભૂમિના ઉપભાગ કર્યા છે. જે જે સમયે જે ભુપતિ હશે તેને તે સમયે આ હુમણાં કરેલા દાનનું ફળ મળશે. સુવર્ણ અગ્નિનું પ્રથમ ( પહેલું) બાળ છે; પૃથ્વી વિષ્ણુની છે; ગાયે સૂર્યની પુત્રીએ છે. જે સુવણૅ ગાય, અને ભૂમિનું દાન કરે છે તે અખિલ ત્રણ ભુવન આપે છે. ધર્મ, અર્થ અને યશના ફળવાળાં પૂર્વેના નૃપાએ કરેલાં દાના, ઉપભાગ કરેલી માલા જેવાં છે. કયા સુન તે પુનઃ પાછાં લઈ લેશે ? પ્રામાં શ્રેષ્ઠ ! એ યુધિષ્ઠિર તારાથી કે અન્યથી અપાયલી ભૂમિનુ સંભાળ પૂર્વક રક્ષણ કર; દાનનું રક્ષણુ દાન આપવા કરતાં વધારે સારૂં છે !
( ૫. ૪૧ )àગિકના પુત્ર મહાસેનાપતિ કેશવથી સંવત ૪૫૬ ના માઘ શુ, ૧૫ ને દિને લખાયું. દૂત!—સેના અધિકારી ખાવુલ્લ છે. સંવત ૪૦૦ અને ૫૦ અને ૬ માં માઘ શુદ્ધિ ૧૦ અને ૫ ને સામવારે તૈયાર કરવામાં આવ્યું તે આ મારા અર્થાત્ શ્રી જયભટના સ્વહસ્તે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainellbrary.org