________________
તું ૧૬૩
શ્રીધરની દેવપાટણ પ્રશસ્તિ
વિક્રમ સંવત ૧૨૭૩ વૈશાખ સુદ્ધિ ૪ શુક્રવાર (ઈ. સ. ૧૨૧૬ એપ્રીલ ૨૨ શુક્રવાર)
“નીચેના લેખ, કર્નલ ટાઢે પેાતાના તેની ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઈન્ડીઆ' ગ્રંથના પૃષ્ઠ. ૫૧૩ અને પછીનામાં અને મી. પાસ્ટન્સ જર્નલ. માઁ. બ્રા. રૉ. એ. સેા. વાઁ. ૨. પૃષ્ઠ. ૧૬ અને પછીમાં જેનું અવલાકન કર્યું છે તે જ છે. આ બન્ને લેખકેાના કથનાનુસાર તે વેરાવલ નજીક દેવપટ્ટન કે સેામનાથ પાટણમાં કાજીના ઘર નજીકના સ્તંભ ઉપર જડયા હતા. હાલ, જે શિલા ઉપર તે કોતરાયા છે તે તે શહેરના મેાટા દરવાજાની જમણી તરફ કહ્વાની દિવાલમાં બાંધેલી છે. કર્નલ ટોડ અને મી. પેસ્ટન્સ બન્ને મી. વાઘને એક વિદ્વાન જૈન ધર્મગુરુની સહાયથી અને રામદત્ત કૃષ્ણુદત્ત પુરાણીએ સમક્ષ બનાવેલી નકલ પ્રમાણે તૈયાર કરેલા લેખનેા તરજુમા જે કહેવાય છે તે આપે છે. મી. વાધનના તરજુમા અણુહિલવાડના ચૌલુકય નૃપાના સંબંધમાં પરમ આશ્ચર્યકારક ટીકાઓથી પૂર્ણ છે, જેને સુભાગ્યે થાડું જ ધ્યાન અપાયું છે. આ હાલની આવૃત્તિ સ્વર્ગસ્થ પંડિત ગિરજાશંકર સામળજીસે તૈયાર કરેલાં રમ્પિંગ પ્રમાણે રજુ થઈ છે—જે મી. વી. જી. એઝાએ પ્રથમ કહેલા પ્રસિદ્ધ કર્યાંને અક્ષરાન્તર, ગુજરાતી તરજુમે અને તેજ ભાષામાં કેટલીક સમજુતીની નાંધ સાથે પ્રગટ કરવા મેલેલી.
રમ્બિંગ મુજબ શિલાનું માપ ૩૦ ઈંચ પોહળાઈમાં અને ૨૭ ઇંચ લંબાઈમાં છે; પાંચ ઇંચની જગ્યા નીચેના છેડાપર ખાલી મુકી છે. ઉપરના ડાબી તરફના ામાં એક ટૂકડો ભાંગી ગયા છે. લેખના અન્તમાં ઈજા થયેલા ભાગેા વધારે મોટા થતા હૈાવાથી જમણી બાજુમાંની ઘણી પંક્તિઓના મોટા ભાગ અષ્ટ અથવા પૂર્ણ ભુંસાઈ ગયા છે. કારીગરી ( કૃતિ) સારી છે. પહેલી પંક્તિમાં અનુસ્વારને, ત્રણ અધ ચઢ્ઢાથી આવૃત કરી અતિ અલંકારિત કર્યાં છે. તેના સૌથી ઉપરના અધ ચક્રને માત્રાને મળતા એક લીટા જોડેલા છે એવા અને એ સ્વસ્તિચિહ્ન છે જેમાનું બીજું સ્વસ્તિક છે. પહેલાનું નામ મને જાણીતું નથી. મથાળે એ નાનાં ચક્રવાળા અને મધ્યમાં એક ચક્રવાળા અને નીચે લગાડેલા ત્રિકાવાળા લંબચારસ છે. લિપિ ૧૩ મી સદીની સામાન્ય દેવનાગરી છે. જૂ એ ন্ અને વ્ નું કાર્ય કરે છે. અને યૂ, વ, ” ની જોડણી અચૂક કય, સ્વ, અને ઘ થઈ છે તે જાણવું જોઈએ. ૪૫ મા શ્લેાકમાં હાલના ગુજરાતને મળતા ગૂર્જરાત્રા એ નવાઈ પમાડે તેવે શબ્દ છે. તે સુલ્તાનમાંથી સુરત્રાણુ અને ઘઝનવમાંથી ગર્જનકની પેઠે ગુજરાત શબ્દમાંથી મનાવી હાસ્યો છે. ગુજરાત એ કદાચ ગુર્જર અથવા ગુર્જર જાતિનાં નામને એરેબીક સમૂહવાચક પ્રત્યય આત્ ઉમેરી થએલી મિશ્રણ ક્રિયા છે.
પહેલા અને છેલ્લા શબ્દો સિવાય લેખનું—જે આખા છંદોબદ્ધ છે—તેનું લખાણ નીચે પ્રમાણે છેઃ—
(૧) મંગલ, ક્ષેા. ૧-૩ પહેલેા શિવનું પરબ્રહ્મ સાથે અભિજ્ઞાન કરાવી તેને ઉદ્દેશે છે. (૨) ક્ષયના અસહ્ય વ્યાધિમાંથી મુક્તિ અર્થે ઇન્દુએ કરેલી મંદિરની અને સેામનાથનગરની પ્રશસ્તિ, àા. ૪-૫
( ૩) અહિલવાડના ચૌલુકય નૃપાની અને વત્રાકુલ વંશના અમુક પુરૂષોની પ્રશસ્તિ ક્ષેા. ૬-૫
૧ એ. ઈ. વેા. ૨ પા. ૪૩૭ ડૉ. જી બ્યુહુર અને વજેશંકર જી. એઝા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org