SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ નં૧૬૨ અણહિલવાડના ચૌલુકય રાજા ભીમદેવ ૨ જાનું દાનપત્ર વિક્રમ સંવત ૧૨૬૬ અને સિંહ સંવત ૯૬ આ લેખ પણ, રોયલ એશિયાટિક સોસાયટિની લાયબ્રેરીમાંથી ૧૮૭૯ માં તપાસવા માટે મને મળેલાં અસલ પતરાં ઉપરથી હું પ્રસિદ્ધ કરું છું. આ લેખ અગાઉ પ્રસિદ્ધ થયો નથી. આ પતરાં કયાંથી મળ્યાં તે હું જાણુ નથી. આ લેખને લિગ્રાફ હવે પછી ઇડિયન ઈન્ડિકપશન્સ, નં. ૧૧ માં પ્રસિદ્ધ થશે. આ ત્રણ પતરાં છે. તેમાં પહેલું અને બીજું એક જ બાજુએ કોતરેલું છે. દરેક પતરું લગભગ ૧૧૨”x૭૭” માપનું છે. તે તદ્દન લીસાં છે. તેના કાંઠા જાડા અથવા વાળેલા પણ નથી. પરંતુ સુરક્ષિત સ્થિતિમાં છે, અને આખું લખાણુ સહેલાઈથી વાંચી શકાય છે. પહેલા અને ત્રીજા પતરાના માનમાં લખાણની નીચે, તથા બીજા પતરાની પાછળની બાજુઓ તેના અનુક્રમે અંકો લખ્યા છે. પહેલા પતરાના નીચેના ભાગમાં અને બીજાં બેના ઉપરના ભાગમાં તેને જોડવા માટે એક કડીનાં કાણુઓ છે. કડી ત્રાંબાની અને સારી છે. અને તે ” જાડી તથા ર” વ્યાસની છે. મને પતરાં મળ્યાં ત્યારે એ કડી કાપેલી હતી તેની ઉપર મુદ્રા લગાડેલી અથવા કાઢી લીધેલી હોવાની નિશાની નથી. આ દાનપત્રની જે મદ્રા હોય તે તે ઉપલબ્ધ નથી. પતરાંના સ્થળ અને સમયને યોગ્ય લિપિ છે. તેમાં ૨ થી ૨૯ પંક્તિઓમાં અને પતરાંના અનુક્રમમાં ૧ થી ૬ સુધીના તથા ૯ માટેના દશાંશ આંકડા આપ્યા છે. અક્ષરોનું સરાસરી કદ” છે, પરંતુ આ કદ એક સરખું જાળવેલું નથી. કેતરકામ સારું અને ચેપ્યું છે, ભાષા સંરકૃત છે, અને એક આશીવાદ તથા શાપને બ્લેક જે ૪૭-૪૮ પંક્તિમાં આપે છે, તે સિવાય આખે લેખ ગથમાં છે. તેમાં ભલે ઘણી છે; પરંત, ૧૭ મી પંક્તિમાં કાવીના રાજા નાગાર્જુનનો સંતોષકારક પાઠ, જે આ વંશનાં અન્ય કોઈ પ્રસિદ્ધ થયેલાં દાનપત્રોમાંથી મળતા નહોતે, તે આમાંથી મળે છે, એ વિચિત્ર છે. આ લેખ અણહિલવાડના ચૌલુક્ય રાજા ભીમદેવ ૨ જાના સમયને હોવાનું લખ્યું છે. પરંતુ તેમાં લખેલું દાન કેઈ ઉતરતા દરજજાના માણસોએ કંઈગોઠવણ ક્યનું કહે છે. લેખ સાંપ્રદાયિક નથી. તેને હેતુ એક ખેતી માટે ફ તથા તે સાથેના હવાડાના પિષણ માટે આપેલાં જમીનનાં દાનેની નોંધ લેવાને છે. અણહિલપાટક, અથવા આ અને બીજા લેખમાં લખ્યું છે તેમ, અણહિલપાટક જે શહેરમાં લેખ લખવામાં આવ્યું હતું તે સિવાયનાં બીજાં સ્થળે નીચે મુજબ દર્શાવેલાં છે –ાટેલાણા, જે ગામમાં તે કુ તથા હવાડે હતાં; આકવલીયા, ભૂહરડા, સાકલી, સમડીયા, સીવાલીયા, અને પરડી ગામો, તથા ષડી નદી જે દાનની વિગતમાં આપી છે; બ્રહ્મપુરીનું ગામ અથવા ગામ, જે સાક્ષીઓની યાદીમાં આપ્યું છે, અને ધર્મવહિ- શહેર અથવા ગામડા જેવું લાગે છે—જે સ્થળે દતકે દાનપત્ર દાન લેનાર પુરૂષને, સ્વાધીને કર્યું હતું તથા તામ્રપત્રો ઉપર કેતરાયું હતું. ૧ ઈ. એ. વૈ. ૧૮ પા૧ -૧ જે, એફફલીત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy