________________
भीमदेव २ जानुं दानपत्र પ્રસ્તાવનામાં કહ્યું છે તે મુજબ આ સ્થળે, હાલના કાઠિઆવાડમાં સુરાષ્ટ્ર મડલ(હાલને સોરઠ પ્રાન્ત)ની તથા વામનસ્થલી જે કાઠિઆવાડમાં જુનાગઢ સ્ટેટમાં હાલનું વંથળી છે, તેની નજીકમાં છે. પરંતુ ધર્મવલિંકા એ કદાચ અણહિલવાડનું જ બીજું નામ હશે. વંશાવળીમાં આપેલાં સ્થળોમાં અવનતી એ માળવામાં ઉજજયિનીનું બીજું નામ છે. શાકંભરી એ રાજપૂતાનામાં જયપુર સ્ટેટનું સંભાર અથવા સાંભર માનવામાં આવે છે. ( ઈ. એ. . ૮ પા. ૫૯, નેટ ૬; અને . ૧૦ પા. ૧૬૧ ). સપાદલક્ષ પ્રદેશ એ ડૉ. ભગવાનલાલ ઇંદ્રજીએ પંજાબમાં શિવાલિક પર્વતની હારને પ્રદેશ કો છે. ઈ એ. . ૧૦, પા. ૩૪૫; અને કાવી એ ભરૂચ ડિસ્ટ્રિકટનું હાલનું કાવી જણાય છે.
આ લેખની તારીખ ૧ થી ૪ પંક્તિમાં શબ્દ અને દશાંશ સંખ્યામાં આપી છે, તેની વિગત–વિકમ-સંવત ૧૨૬૬-ચાલુ અથવા પૂરું થયેલું તે ચકખું બતાવ્યું નથી અને સિંહસંવત ૯૬ માસ માર્ગ એટટલે માર્ગશીર્ષ શુકલ પક્ષ; તિથિ ૧૪ તથા ગુવાર. તેની બરોબર અંગ્રેજી તારીખ ઇ. સ. ૧૨૦૮ અથવા ૧૨૯ માં, આપેલું વિક્રમ સંવત ઉત્તરનું અથવા દક્ષિણને લઈ ચાલ અથવા ગત જે પ્રમાણે લઈએ તે ઉપર આધાર રાખી, આવે છે. પ્રેકેસર કે. એલ. છત્રેનાં ટેબલ ઉપરથી નીચે પ્રમાણે આવે છે.
દક્ષિણ અને ઉત્તર )નાં વિક્રમ સંવત ૧૨૬૬, ચાલુમાં માર્ગશીર્ષ સુદ ૧૪, ૨૩ મી નવેંબર ઈ. સ. ૧૨૦૮ રવિવારે અણહિલવાડ માટે સૂર્યોદય પછી પ ઘડી અને પ૮ પળે પુરી થઈ. અને દક્ષિણનાં (અને ઉત્તરનાં) ચાલ વિક્રમ સંવત ૧૨૬૭( ૧૨૬૬ ગત)માં માર્ગશીર્ષ સુદ ૧૪-જે તિથિ જોઈએ છે તે મુજબ, ઈ. સ. ૧૨૦૯ ના નવેંબર તા. ૧૨ ને ગુરૂવારે આશરે ૨૨ ઘડી અને ૩૧ પળે પૂરી થઈ એટલે લેખમાં આપેલી તારીખની બરાબર આ એગ્ય અંગ્રેજી તારીખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org