________________
भीमदेव २ जानो अबुनो लेख (૧૩) જ્યાં સુધી અબૂદ નાગ શ્રમ વિના નદિવર્ધનને પિતાની પીઠ પર ધારે ત્યાં સુધી આ કીર્તન જગમાં રહેશે.
(૧૪) વિખ્યાત લમધરથી આ રચાએલી પ્રશસ્તિ, જ્યાંસુધી ઈશમાંથી પ્રકટ થતી ગંગાનાં સર્વોત્તમ જળનું વહન ભૂમિ કરે, જ્યાં સુધી વિષ્ણુ કુર્મના રૂપમાં પૃથ્વીનું ધારણ કરે, જ્યાં સુધી ચંદ્રસૂરજનું અસ્તિત્વ રહે અને જ્યાં સુધી આદિ કવિવરની વાણું અને વ્યાસની વાણી રહે ત્યાંસુધી ટકી રહે.
સંવત ૧૨૬૫, વૈશાખ સુદિ ૧૫ ને મંગળવારે, ચૌલુક્ય વંશના ઉદ્ધારક પરમભટ્ટારક, મહારાજાધિરાજ શ્રીભીમદેવના વિજયીરાજ્યમાં જ્યારે મહું ઠામ્ (?) શ્રીશ્રીકરણાદિ સમસ્તમુદ્રા અને પંચકુલનું કાર્ય કરે છે, જ્યારે ચદ્રાવતીને નાથ માંડલિકે સ્વામી શ્રી ધારાવર્ષદેવ પૃથ્વીની રક્ષા કરે છે, જ્યારે શ્રીપ્રહ્માદનદેવ-સર્વલા અને શાસ્ત્રમાં નિપુણ ને અતિ પૂજનીય કુમાર-યુવરાજ હતા તે સમયે કેદારરાશિએ આ કીર્તનની રચના કરી. (કોતરાયું) સૂત્ર પાહણ કડીઓથી.
* વાલ્મીકિની રામાયણ હું ધારાવર્ષને હાને ભ્રાતા પ્રશ્નદદેવ કવિ હતા અને તેણે ઘણાં સંસ્કૃત નાટકે લખ્યા હતાં. જુવો ફી. એન સર્ચ ફાર સંસ્કૃત મૈન્યુ. મુંબઈ. ૧૮૭૨–૭૩ પા. ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org