________________
નં. ૧૧૧. સંખેડામાંથી મળેલું રણુગ્રહનું તામ્રપત્ર ૨. સંવત ૩૯૧ વૈશાખ વદ ૧૫ (અમાવાસ્યા)
પતરું બીજું. આ પતરું લા ઈંચ લાંબું અને ૪ ઇંચ પહેલું છે અને તેમાં ઉમેટા, ઈલાવ અને બગુમરામાંથી મળેલાં ગુર્જર તામ્રપત્રોની લિપિમાં જ લખાએલે દશ લીટીને સુરક્ષિત લેખ છે. ઉપરના ભાગમાં કડીઓની જગા બતાવનારાં કાણાં મોજુદ છે. લેખ અશુદ્ધ સંસ્કૃત ભાષામાં લખાએલે છે.
દાન લેનાર પુરૂષ ( પ. ૧) બ્રાહ્મણ આદિત્યશમાં છે, દૂતક (પં. ૯) ભગિક પાલકઝાન છે, અને લેખક (પં. ૧૦) સંધિવિગ્રાધિકૃત માત્રિભેટ છે. (પં. ૯-૧૦) અનુસાર દાતા દિનકર કિરણચર્ચનરત અને શ્રીદદ્રપાદાન્તઝતિ (દિનકરને ઉપાસક અને શ્રી દને નિકટને સગે ) તરીકે જવેલો રણુગ્રહ નામને વીતરાગને પુત્ર હોય તેમ જણાય છે, કારણ કે દાનપત્રમાં તેના જ હસ્તાક્ષર છે. તિથિ (પ. ૮) સં. ૩૯૧. વૈશાખ બહુલ. ૧૫. એટલે વૈશાખ ની અમાસ છે. | દાતાના વંશની હકીકત એવાઈ છે, છતાં છેલ્લી બે હકીકતોથી આપણે જાણી શકીએ કે દ૬ ૪ થે--ઉર્ફે પ્રશાન્તરાગ. ૨ જાના રાજ્યસમયમાં આ દાનપત્ર જાહેર થયું હતું અને દાતા દ૬ ૪-પ્રશાન્તરાગ ૨ જાને ભાઈ હતું. કારણ કે દ૬ ૪ નાં બે ખેડાનાં દાનપત્ર સં. ૩૮૦ અને ૩૮૫૩ માં અપાએલાં તેથી સં. ૩૯૧ની નવી તિથિમાંથી એમ માલુમ પડે છે કે “ શ્રી દ” એવા લખાણુથી તે જ પુરૂષ અહિ ધારેલે હવે જોઈએ. વળી રણુગ્રહને વીતરાગને પુત્ર અને દદુને બધુજન એમ બન્ને કહ્યો છે. અને પાછળ ( દ ) જયભટ ૨ --એટલે વીતરાગ ૧ લાને પુત્ર હતું; તેથી રણુગ્રહ દદનો ભાઈ કે પીતરાઈ ભાઈ (કાકાને દીકરા ભાઈ) હોવો જોઈએ. એટલે આપણું દાનપત્રથી જાય છે કે દ૬ ૪ નું રાજ્ય સં. ૩૯૬ સુધી અથવા ગુર્જરો ઈ. સ. ૧૪૯ ના ચેદિ સંવતનો ઉપયોગ કરતા હતા તે પ્રમાણે ઈ. સ. ૬૪૦ સુધી ઓછામાં ઓછું ચાલ્યું જ હોવું જોઈએ.
૧ એ. ઈ. ૧. ૨ પા. ૨૦ એચ. એવ. શ્રવ બી. એ. એલ એલ. બી. ૨ ઈ. એ. વ. ૧૭ પા. ૧૯૧ ૩ ઈ. એ. વ. ૧૨ પા. ૮ જ, બે. એ. સે. . ૭ પા. ૯૮ જ. ર, એ. સે. . સી. . ૧ ૫. ૨૪૭
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International