________________
दद्द २ जानां कावीनां ताम्रपत्रो
ભાષાન્તર » ! સ્વસ્તિ ! નાન્દીપુરી( શહેર )માંથી –
( ૫. ૧) વિવિધ ગુણસંપદથી સકલ દિશાઓનાં મુખ, રત્નથી સાગર મંડિત કરે છે તેમ મંડિત કરનાર (વગેરે વગેરે નં. ૧૦૮ પ્રમાણે) મહેદધિ જેવા ગુજર્જર નૃપના વંશમાં, શ્રી કચ્છના હદય ઉપર રહેલી શ્રી લક્ષમી )ની સાથે જન્મેલા કૌસ્તુભમણિ જેવા વિમલ યશનાં કિરણથી કલિયુગનાં તિમિર દૂર કરનાર, સત્પક્ષથી વૈનતેય માફક શત્રુ નાગકુલની સંતતિ જડમૂળથી ઉખેડી નાંખનાર (વગેરે વગેરે નં. ૧૦૯ પ્રમાણે) સામન્ત દદુ હતા.
(પં. ૧૫) તેને તપાવેલા ચળકતા સુવર્ણ જેવો શુદ્ધ (વગેરે વગેરે નં. ૧૯ પ્રમાણે ) શ્રી વીતરાગના બીજા નામવાળા શ્રી જયભટ પુત્ર હતા. | ( પ. ૨૫) તેના પુત્ર, સજળ ઘન વાદળમાંથી બહાર નીકળતા શશીનાં કિરણથી જાગત થએલા વેત કમદ જેવી યશની વેલીથી નભમંડળ છાયી નાંખતે (વગેરે વગેરે નં. ૧૦૯ પ્રમાણે ) પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર, શ્રી દ૬ કુશળ હાલતમાં સમસ્ત રાજ, સામન્ત, ભેગકવિષયપતિ, રાષ્ટ્રમહત્તર, ગ્રામ મહત્તર, આધિકારિક આદિને જાહેર કરે છે –
(પં. ૩૩ )તમને જાહેર થાઓ કે –અમારાથી, અકુરેશ્વર વિષયમાં આવેલું શિરીષપદ્રક ગામ ઉદ્રડ સહિત, ઉપરિકરસહિત ... ... કાપવાની સર્વ ચીજ, વિષ્ટિ, પ્રતિભેદિકાસહિત, ભૂમિચ્છિદ્રના ન્યાયથી, સૈનિકેના પ્રવેશમુક્ત, ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વીના અસ્તિત્વકાળ સુધી પુત્રપૌત્ર અને વંશજોના ઉપગ માટે, જબુસરમાં નિવાસ કરતા ભારદ્વાજ શેત્રના, કણ્વ સબ્રહ્મચારી બ્રાહ્મણ આદિત્યરવિ તથા તાપિશુર અને ઈન્દ્રશુર અને ઈશ્વર–તથા વસગોવના ભદ્ધિ આધ્યાપક અને ગપાદિત્ય અને વાડ અને વિશાખ અને અગ્નિશમ્મ, અને ભટ્રિગણુ અને દ્રોણ-માઠ ગોત્રના વિશાખ અને ધર અને નન્દી અને રામ ડોડકીય ગેત્રના તપિશમાં અને બીજા તાપિશર્મા, અને દ્રોણ અને ભદ્રિ, અને પિતૃશર્મા, અને ભાગિસ્વામિ અને દત્ત સ્વામિ-લક્ષમણ્ય ગોત્રના ધર અને દામધર અને ઈશ્વર--કૌડિન્ય ગોત્રના બાવ અને ઘેાષ અને શૈલ–કાશ્યપ ગોત્રના ભદ્રિદામા અને વાત્ર- હારિત ગેત્રના ધર્મધર ધૌમ્રાયણ ગત્રના અધ્યાપક કર્ક અને આવુક અને ઇન્દ્રશુર. આ ૩૪ બ્રાહ્મણને બલિ, ચરૂ, વિશ્વદેવ, અગ્નિહોત્ર, પંચમહાયજ્ઞ આદિ અનુષ્ઠાન માટે તથા મારાં માતાપિતા અને મારા પુણ્યયશની વૃદ્ધિ માટે કાર્તિક પૂર્ણિમાને દિને પુષ્કળ પાણીના અર્થ સાથે અપાયું છે.
( . જર) અમારા વંશના કે અન્ય ભાવિ ભેગપતિઓએ (વગેરે વગેરે નં.૧૦૯ પ્રમાણે) આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું જોઈએ.
(૫. ૪૫) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે --ભૂમિદાન દેનાર (વગેરે વગેરે નં. ૧૦૯ પ્રમાણે).
(પં. ૪૯) સંવત્સર ત્રણસે અધિક એસી, કાર્તિક પૂર્ણિમાને દિને અમારી મુખઆડાથી સંધિવિગ્રાધિકરણધિકૃત રેવથી લખાયું સંવત ૩૦૦ અને ૮૦ કાર્તિક શુ. ૧૦ અને ૫.
(૫. ૫૦ ) દિનકરના ચરણની પૂજામાં આનન્દ લેનાર શ્રીવીતરાગના પુત્ર પ્રશાન્તરાગના આ સ્વહસ્ત છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org