________________
નં. ૧૫૬ ગ્વાલિયરમાં ઉદયપૂરના ત્રણ લેખે સી-અજયપાલદેવના શિલાલેખ
( વિક્રમ) સંવત ૧૨૨૯ આ લેખ ડૉ. એફ. ઈ. હલને ઉદયાદિત્યના ભવ્ય શિવમંદિરમાં મળ્યું હતું. તેણે જ. છે. એ. સે. . ૩૧ ૫. ૧૨૫ માં તે પ્રથમ પ્રસિદ્ધ કર્યો હતો. ડૉ. હેલના કહેવા મુજબ તે એક મૂળ સ્થાનમાંથી ઉખેડેલા જાડા પત્થરના ટુકડા ઉપર લખેલો છે. તે પત્થરને નીચેના ભાગ ભાંગે અગર નુકશાન પામેલ છે. તેથી લેખની ૨૨ મી પંક્તિ, જે છેવટની જણાય છે, તે લગભગ આખી જ નાશ પામી છે, અને ૨૧ મી પંક્તિના થોડાક છેવટના અક્ષરો પણ નાશ પામ્યા છે. તે સિવાય બાકીને લેખ સુરક્ષિત છે. ફક્ત આઠમી પંક્તિના બે અક્ષર અને ૧૨ મી અને ૨૧ મી પંક્તિમાં દરેકમાં એક એક અક્ષર સિવાય લેખમાં કઈ પણું સ્થળે વાસ્તવિક પાઠ વિષે શંકા રહેતી નથી.
જેટલું લખાણ અસ્તિત્વમાં છે તેટલું ૧” પહેલી અને ૧૧૧” ઉંચી જગ્યાનું રોકાણ કરે છે. અક્ષરોનું કદ રૂ» અને ૭ વચ્ચે છે. લિપિ નાગરી અને ભાષા સંસ્કૃત છે, અને ૧૪-૧૯ પંક્તિમાં આશીર્વાદ તથા શાપના ત્રણ શ્લોકે સિવાય લેખ ગદ્યમાં છે, શુદ્ધ જોડણી વિષે કંઈ કહેવાનું રહેતું નથી. અને વ્યાકરણ વિષે એટલું જ કહેવું બસ છે કે, “પ્રામ' શબ્દ બધે નાન્ય તર જાતિમાં વાપર્યો છે.
લેખમાં, “છ, ૐ નમઃ શિવાય’ શબ્દો તથા નીચે ચર્ચેલી તારીખ, પછી અણહિલ પાટકના (ચૌલુક્ય) રાજા અજયપાલદેવના રાજ્યનું તથા તેને તે સમયના મુખ્ય મંત્રિય સેમેશ્વરનું નિવેદન છે. તે સમયે, રાજાએ પોતાના બળ વડે મેળવેલા ભૈત્સવામી મહાદ્વાદશક મંડલ એટલે ભેલૂ સ્વામિ નામના બારના મોટા જથમાં આવેલા ઉદયપુરમાં સત્તા ચલાવવા રાજાએ નિમેલા શ્રી લ પસાકએ, “યુગાદિ જે અક્ષય-તૃતીયાને દિવસે આવે છે, તે પ્રસંગે ઉમરથા નામનું ગામ આપ્યું હતું. આ ગામ ભંગારિકા-ચતુષષ્ઠિ નામના પથક, એટલે “ભુંગારિકા નામના ચોસઠ ગામના સમૂહમાં આવ્યું હતું. તે ઉદયપૂરમાં ભગવાન વૈદ્યનાથ(શિવ)ને આપ્યું હતું. મુહિલ (?) વંશના રાજપુત્ર શ્રી વીહણુદેવના પુત્ર સદગત શ્રી સોલણદેવરાજનાં શ્રેયાભિવૃદ્ધિ માટે તે આપ્યું હતું. ઉમરથાની સીમા–પૂર્વે નાહગામ, દક્ષિણે વહિડાઉ (કા) ગામ; પશ્ચિમેલી ગામ અને ઉત્તરે લખણાપડા ગામ. ૧૪–૧૯ મી પંક્તિઓમાં ત્રણ આશીર્વાદના અને શાપના લેકે તથા ઉપરનું દાન ચાલુ રાખવાની સૂચના આપેલાં છે. ૨૦-૨૧ મી પંક્તિઓમાં કહ્યું છે કે, આ દાન પરમ નૈષિક. પૂજ્ય અને પવિત્ર નીલકંઠ સ્વામિએ (નંત; ભગવાનને બદલે;”અર્થ કરું છું) લીધું હતું. છેલ્લી પક્તિમાં આ દાનમાં દખલગિરિ કરનાર ને કંઈ શાપ દીધું હોય એમ જણાય છે.
૧ ઈ. એ, વો. ૧૮ પા. ૩૪૪ પો. કિલહોર્ન, ૨ “સી” લેખની ચર્ચા માટે જુઓ એ લેખ સાથે જોડેલું ચર્ચાપત્રગ્વાલિયરમાં ઉદયપૂરના ગુણ લેખે ઈ. એ, વિ. ૧૮ પ. ૩૪૧ ૩ યાંહિ વાપરેલ પારિભાષિક શબ્દ નિરાક છે. જે પ્રો. ભાંડારકરના ૧૮૮૨૮૩ ને રીપોર્ટ પા. ૨૨૩ ૫, ૨૧ માં ફરી વાર આવે છે અને જેને બદલે પ્રો. પીટ સનના ૧૮૮૪-૮૬ ના રીપોર્ટમાં નિરૂપણ આપણે વાંચીએ છીએ, સખા નિયુમાસાયનિવા-લેખ “એ” પં૪િ મી અજયપાલના પૂર્વજોને કબજે ૪ ઉદયપુર પહેલેથી જ હતું એમ ધારીએ તે ઉપરના લખાણુ અક્ષરત: ભાવ:જ હાઈ સાય. ૫ જુઓ આગળું પાનું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org