SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख સિંહ અને કુમારપાલદેવનાં અણહિલવાડ રાજ્યમાં ઉદયપુર પ્રથમથી જ આવ્યું હતું, એ આગળના લેખ ઉપરથી આપણે જાણતા હોવાથી આ લેખનું ઐતિહાસિક મહત્વ એટલું જ છે. કે, તેઓના પછી ગાદીએ આવનાર અજયપાલદેવની સાબીત થઈ શકે તેવી તારીખ, આપી છે. આ લેખની તારીક, ૧ લી પંક્તિમાં, આંકડાઓમાં જ “ સંવત ૧૨૨૯ માં, વૈશાખ શુકલ પક્ષ ૩ ને સોમવારે” આપી છે. અને ૭ મી પંકિત પ્રમાણે, જે દાન લેખમાં આપ્યું છે તે અક્ષય તૃતીયાને દિવસે “યુગાદિના પ્રસંગ ઉપર એક સદ્દગત પુરુષ(કદાચ દાતાના પિતામહ)ના શ્રેય માટે અપાયું હતું. એટલે અજયપાલદેવના રાજ્યની ભરોસાપાત્ર મળેલી ત્રીજી તારીખ, સેમવાર, તા. ૧૬મી. એપ્રિલ, ઈ. સ. ૧૧૭૩, દેશી દક્ષિણનાં પુરાં થયેલા વર્ષ ૧૨૨૯ અથવા દક્ષિણનાં ચાલુ વર્ષ ૧ર૩૦ ના વૈશાખ શુદિ ૨, છે. અને તેણે પૌષ સુદિ ૧૨ ને દિવસે રાજ્ય શરુ કરી ત્રણ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું એવી ચાલુ કથા જે સત્ય હોય, તે અજયપાલનો રાજ્યારોહણને દિવસ ૨૮ મી ડિસેંબર ઈ. સ. ૧૧૭૨ ન=વિકમ ૧૨૨૯ પુરાં થએલા અથવા ૧૨૩૦ ચાલુના પોષ સુદિ ૧૨ ને હવે જોઈએ. દાન આપનાર શ્રી લુણપસાક એ સંસ્કૃત “વળકાનાં પ્રાકૃત રૂપ “ોળપણ”ને અપભ્રંશ છે એ ચેપ્યું છે. આજ નામનું બીજું રૂપ “પાગ” છે. તે, અગાઉ પ્રસિદ્ધ કરેલાં છે. ૬ પા. ર૧૦ માં વિક્રમ સંવત ૧૩૧૭ નાં તામ્રપત્ર દાનની ૧૩ મી પંક્તિમાં આવે છે, ત્યાં લણપસાજદેવનું વર્ણન “રાણુક” તથા તે લેખમાં આપેલાં દાનના દાતાના દાદા તરીકે કરેલું છે. અને, જે કે પિતામહ અને પૌત્ર વચ્ચેને ૮૮ વર્ષને સમય જરા લાંબે લાગે છે પણ તે આપણું દાનને લૂણપસાક હોય એ હું અસંભવિત માનતો નથી. આ લેખમાં બતાવેલાં સ્થળામાં, ભેલ્લસ્વામિન એ ઉદયપરની દક્ષિણે ૩૪ માઇલ ઉપર બેતવા નદીના પૂર્વ કાંઠા ઉપરનું હાલનું ભેલ્લા શહેર હોવાનું ચોક્કસ થઈ ચૂક્યું છે. બીજા ગામે તથા ભંગારિકા, જે “બી” લેખમાં પણ આપ્યું છે, તેઓ હજી ઓળખાયાં નથી, ક . બુરહર મને જણાવે છે કે વિચારશ્રેણી પ્રમાણે અજયપાલને પર્વજ કુમારપાલ વિક્રમ સંવત ૧રર પોષ સુદ ૧૫ ને રોજ રાજવી ગો; અન્ય પ્રબંધે પ્રમાણે તે તારીખ વિક્રમ સંવત ૧૨૩૦, પોષ સુદ ૧૨ હતી મી. કાથવટે કીતિૌમુદીની પ્રસ્તાવનામાં ૫. ૧૩ માં “૧૨૩૨ ” દ્વાદશી- ફાગુન સુદિ એમ તાસ કરે છે, જે સન્યારોહણની તારીખ પેટી જ હોવી જોઈએ. અને જે તેના મૃત્યુની ચાલતી આવેલી તિથિ કદાચ હશે. ધર્મસારના મવઝન પરીક્ષા “માંના :૨૨૦ મMETયું વર્ષ ૩ એ પ્રમાણે છે. જુઓ, પ્ર. ભાંડારકરને ૧૮૮૩-૮૪ને રીપેટે પાને ૪૫૦ * જએસ સે, ૨, ૩ ૫, ૧૦ અને ૧૨૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy