SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ग्वालीयरमा उदयपुरमांथी मळेला त्रण लेखो. ઉર લેખની તારીખ પહેલી પંક્તિની શરૂઆતમાં સંપૂર્ણ આપી હતી. પણ અત્યારે ફક્ત “શસુદિ ૧૫ ગુર” એટલા જ અક્ષરે બાકી રહ્યા છે. તેને અર્થ કઈ મહિને જેને છેલે અક્ષર “શ” (કદાચ, “ષ') હો જોઈએ, તેની સુદ ૧૫ ને ગુરૂવારે' એવો છે, તેમ છતાં, ૧૧ મી પંક્તિમાં કહ્યું છે કે, આ દાને ચંદ્રગ્રહણ સમયે અપાયાં હતાં, તે ઉપરથી ચોક્કસ તારીખની ગણત્રી કરી શકાય તથા પહેલી પંક્તિને નાશ પામેલે ભાગ આપી શકાય એમ મને લાગે છે. નીચે આપેલા “સી” લેખ ઉપરથી જણાય છે કે, કુમારપાલ દેવનું રાજ્ય ઈ. સ. ૧૧૭૩ ના એપ્રિલમાં પૂરું થયું હતું, અને બીજા સ્થળે માંથી જણાય છે કે તે લગભગ ઈ. સ. ૧૧૪૩-૪૪ માં ગાદીએ આવ્યો હતો. આપણા લેખની તારીખ નક્કી કરવાના પ્રયાસમાં આપણે પહેલું એ જ ચક્કસ કરવું જોઈએ કે, આશરે ઈ. સ. ૧૧૪૧ થી એપ્રીલ ૧૧૭૩ સુધીમાં કેટલાં ચંદ્રગ્રહણે ગુરૂવારે થયાં હતાં, અને આવા ગુરૂવારેએ કઈ હિંદુ તિથિઓ આવી હતી. આ પ્રમાણે ગણુત્રોનું પરિણામ નીચે મુજબ આવે છે – ગુરૂવાર–તા. ૧૨ ફેબ્રુવારી, ઈ. સ. ૧૧૪૨, ફાગુન સુદિ ૧૫; તા. ૧૬ જુન, ઈ. સ. ૧૧૫૫=આષાઢ સુદિ ૧૫; તા. ૯ ઓકટોબર, ઈ. સ. ૧૧૫૮ આશ્વિન સુદિ ૧૫; તા. ૧૮ ઓગષ્ટ, ઈ. સ. ૧૧૬૦=ભાદ્રપદ તા. ૧ ફેબ્રુવારી, ઈ. સ. ૧૧૬૨, માઘ સુદિ ૧૫; તા. ૧૨ ડિસેંબર, ઇ. સ. ૧૧૬૩=વિક્રમ ૧૨૨૦ પૂરું થયું, પૌષ. સુદિ ૧૫ તા. ૨૭ મે, ઈ. સ. ૧૧૬૫, યેષ્ઠ સુદિ ૧૫; તા. ૬ એપ્રિલ, ઈ. સ. ૧૧૬૭, ચૈત્ર સુદ ૧૫; તા. ૧૯ સપ્ટેબર, ઈ. સ. ૧૧૬૮ આશ્વિન સુદિ ૧૫; તા. ૧૩ જાન્યુવારી, ઈ. સ. ૧૧૭૨, માઘ સુદિ ૧૫; આ પ્રમાણેના ગુરૂવારેએ ચંદ્રગ્રહણ હતાં. ઉપરનાં નિવેદન ઉપરથી જણાય છે કે, કુમારપાલદેવના આખા રાજ્યસમયમાં છેલો અક્ષર “પ” આવતો હોય એવા હિંદુ મહિનાના ગુરૂવારે ચંદ્રગ્રહણ થયું નહોતું, અને તે જ સમયમાં, એક હિંદુ મહિને જેને છેલ્લો અક્ષર “ષ છે. તેના એક ગુરૂવાર તા. ૧૨ મી ડિસેંબર, ઈ. સ. ૧૯૬૩ ને દિવસે એક ચંદ્રગ્રહણ થયું હતું એટલે ગુરૂવાર, ૧૨ મી ડિસેંબર, ઈ. સ. ૧૧૬૩=વિકમ ૧૨૨૦ પૂરા થયેલાના પોષ સુદિ ૧૧ ને દિવસ આપણું લેખની તારીખ હોવી જોઈએ. અને પહેલી પંક્તિની શરૂવાતમાં સંપૂર્ણ તારીખ “સંવત ૧રર વર્ષે પૌષ સુદિ ૧૫ ગુર” હેવી જોઈએ અને આ પરિણામ સાથે, મેં “રિપિટ ઓન ધી સર્ચ ફેર સંસ્કૃત મેન્યુસ્ક્રિપ્ટસ્ ” ૧૮૮૦-૮, પા ૧૦ માં પ્રસિદ્ધ કરેલ “કલપણું” ની હસ્તલિખિત પ્રતને અંતે આપેલી હકીકત બરાબર મળતી આવે છે. જેમાં આ લેખમાં કહેલો મુખ્ય મંત્રિ યશોધવલ “ સંવત ૧૨૧૮ વર્ષ દ્ધિ. આષાઢ-સુદિ ૫ ગુરૌ,”=ગુરૂવાર તા. ર૯ મી જુન, ઈ. સ. ૧૬૧, એટલે આ લેખની મેં તારીખ નકકી કરી છે તેનાં અઢી વર્ષમાં કુમારપાલદેવ પાસે મુખ્ય મંત્રના અધિકાર ઉપર હતો. ૧ ઈ. એ. વ. ૬ પા. ૨૧ક. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy