SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૫૦ ગ્વાલીયરમાં ઉદયપુરમાંથી મળેલા ત્રણ લેખે.' મી. ફલીટે મને આપેલાં બગ્સ ઉપરથી નીચેના લેખો પ્રસિદ્ધ કરું છું. તેમને જનરલ સર એ. કનિંગહામે તે બગ્સ આપ્યાં હતાં. અસલ લેખ વાલીઅર સ્ટેટમાં આવેલું ઉદયપુર નામનું નાનું શહેર છે, જે પ્રથમ માળવાના રાજ્યને ભાગ હતો તેમાં છે. આ શહેર ઈડીયન એટલાસ કવાર્ટર શીટ નં. પર, લે. ૨૩° ૫૪ ઉત્તર; લૉ ૭૮૭° પૂર્વ, ઉપર છે. “એ” અને “સી” લેખો મહત્ત્વના છે. કારણ કે, તે ઉપરથી જણાય છે કે અણહિલવાડના ચૌલુકય રાજાઓએ માલવાના રાજાઓને વારંવાર હરાવ્યાની બડાઈ ખુંટી નથી. તથા “બી” લેખ તેની તારીખ, તથા સી” માં બતાવેલા એક ભાગનું નામ તેમાં આવતું હોવાથી ઉપયોગી છે. ઉદયપુરમાં એક બીજે પણ લેખ છે એ અહ જણાવવું જોઈએ. તેની ૩ જી પંક્તિમાં તે લેખ જયસિંહના રાજ્યના સમયમાં લખા હોવાનું જણાવ્યું છે. લેખ “એ” માં બતાવેલા કુમારપાલની પહેલાં આ જયસિંહ થયું હતું. રબિગની ખરાબ સ્થિતિ ને લીધે તે લેખ હાલ પ્રસિદ્ધ થઈ શકે તેમ નથી. તે રબિંગના ઉપર પેન્સીલથી લખેલી હકીકત ઉપરથી જણાય છે કે આ લેખ તે શહેરના મોટા મંદિરના પ્રવેશદ્વારની બહાર છે, અને આશરે ૨' ૯” પહોળી ૧૫” ઉંચી જેટલી જગ્યામાં તેના ઉપર ૧૨ પંક્તિઓ લખેલી છે. એ_કુમારપાલદેવને શિલાલેખ (વિક્રમનું વર્ષ ૧૨૨૦ ૧). શહેરના મેટા મંદિરના પૂર્વ તરફના પ્રવેશદ્વારની અંદર આ લેખ હોવાનું જણાવ્યું છે. તેના ઉપર આશરે ૧” પહોળી૧૧૧” ઉંચી જગ્યામાં ૨૦ પંક્તિઓ લખેલી છે. પરંતુ આ લેખ અત્યારે અધુરો છે, કારણ કે, દરેક પંકિતની શરૂઆતમાં આઠથી દશ અક્ષરો નાશ પામ્યા છે, જે અક્ષરેએ હાલ જાળવેલાં લખાણની બરાબર જમણી બાજુમાં ઉપરથી છેડા સુધી આશરે ૮ ઇંચ પહોળાઈની જગ્યા રોકી હશે. અક્ષરોનું કદ ૧” થી ૧” વરચે છે. લિપિ નાગરી અને ભાષા સંરકત છે. બાકી રહેલા ભાગ ઉપરથી અનુમાન થાય છે કે આખે લેખ ગદ્યમાં હતો. એકંદરે લખાણ સુરક્ષિત સ્થિતિમાં છે, પરંતુ નીચેના ભાગનું રબિંગ કેટલેક સ્થળે ઝાંખું હોવાથી તથા લેખ અધુરો હોવાથી, લેખના હેત વિષે હું એટલું જ કહી શકું છું કે, ઉઠયપુરમાં ઉદલેશ્વર ભગવાનના મંદિરને વસંતપાલ નામના માણસે આપેલાં કેટલાંક દાનની નેંધ માટે આ લેખ હશે. આ માણસના વંશનું નામ ૯ મી પંકિતમાં આપ્યું છે. પરંતુ તે હું ચેકસ વાંચી શકતા નથી, ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી ભાગ લેખમાં ૧-૮ પંક્તિઓમાં છે. તેમાંથી જણાય છે કે ઉપરનાં દાન અણુ હિલપાટક ના રાજા કુમારપાલદેવના સમયમાં અપાયાં હતાં. તેણે શાકંભરીના રાજ તથા અવન્તીનાથ (એટલે માલવાના રાજા) એ બનેને હરાવ્યા હતા. તે વખતે થશે. ધવલ મુખ્ય-મંત્રિ હતો અને કેાઈ રાજ્યપાલ જેને “મહા-સાધનિક એ કહ્યો છે તથા જેને કુમારપાલ દેવે નિ હતું તે ઉદયપુરમાં રાજ્ય કરતે હતે. આ હકીકત ઉપરથી ચોક્કસ થાય છે કે જ્યારે દાન અપાયાં હતાં ત્યારે ઉદયપુર, અને તેની આસપાસના ભાગને અણહિલવાડના રાજ્યમાં સમાવેશ થતો હતે. ૧ તથા ૨ ઈ. એ. વે, ૧૮ પા. ૩૪૧ છે. એક કિહોન ૭ આ હોદેદાર ધારાના વાકપતિરાજના દાનપત્રમાં પણ દર્શાવે છે.–ઈ. એ. જે. ૧૪ ૫. ૧૬૦, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy