SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ कुमारपालना राज्यनी वडनगरप्रशस्ति ભાષાન્તર છે ! ! ! શિવને નમસ્કાર હો. (પ્લેક. ૧) હું ત્રિભુવનના સ્વામિ અને વેદના નિધિની–જેનું અદ્વૈત બ્રહ્મપેઠે શાન્તિથી મુમુક્ષપુરૂષ ધ્યાન કરે છે તેની સંકલ્પશક્તિ જે પોતાના સમયમાં ઉત્પન્ન કરતી અને નાશ કરતી રતનજડિત પિંડ જેમ નવાં બ્રહ્માંડપિંડે સાથે ક્રીડા કરતાં વચ્છેદ મુજબ પિતે આનન્દ લે છે તે શક્તિની સ્તુતિ કરું છું. (૨) દનુના પુત્રોના અપમાન સામે રક્ષક માટે દેવે વડે પ્રાર્થના થવાથી વેધસે(બ્રહ્માએ), જે કે સંધ્યાની પૂજા કરવાની તૈયારીમાં હતા છતાં તેના ગંગાના પવિત્ર જળથી ભરેલા ચુલમાં (ઘડામાં) સહસા પોતાના યશના પૂરથી ત્રિભુવનને પાવન કરતે ચુલુક્ય નામને વીર સર્યો. ખરે ખર હેતની શ્રી તેનાં ફળને પિતા જેવું જ ઉત્પન્ન કરે છે. - (૩) તેનામાંથી અનેક અદ્દભુત કૃત્યેની એક જ રંગભૂમિ સમાન, જેમાં અસંખ્ય નૃપે પણ નિત્ય દેખાય છે, જે તેની પડતીના સમયમાં પણ ઉજજવળ છે જે વિખ્યાત વિકમથી મહાન છે અને જે સદા અખિલ જગતમાં પ્રત્યેક જનને (સામાન્ય જનને) સુખ આપે છે તે વંશ પ્રકટ. . (૪) શ્રી મૂળરાજ, જે નૃપના મુગટ પર ચરણ મૂકતે, તે પિતાના કુળના યશની પ્રજાની વૃદ્ધિ કરવામાં અમૂલ્ય મુક્તામણિ હત–તે કે જે કલિયુગના દાવાનલથી ભસ્મ (દગ્ધ) થએલા ન્યાય વૃક્ષના મૂળ સમાન થયું હતું અને જેણે સાચા નૃપને ઉચિત અતિ મૃદુ કરેથી પિતાની પ્રજાને અનુરાગ પ્રાપ્ત કર્યો. (૫) વેચ્છાથી બન્યવાન કરેલા ચાપોત્કટ નુપની લહમીને વિદ્વાન, પિતાના બધુજન હિ, કવિ અને જૂના ઉપભેગની વસ્તુ બનાવી. યુદ્ધમાં પ્રબળ પ્રતાપવાળા શૌર્યથી પરાજય પામી ને અન્ય સમસ્ત મંડળના નૃપની દિગ્દવીઓ તેની અસિની શ્રીને ચિરકાળ વળગી રહી. (૬) તેને રાજાઓમાં અગ્ર અલંકાર સમાન ચામુણ્યરાજ નામે પુત્ર હતે. ચામુણ્ડના ઉત્તમ માતંગના મદથી સુગંધિત લહરિઓ દરથી પણ સંધીને તે મદગંધથી દબાઈ ગયેલા પોતાના માતંગ સહિત શ્રી સિદ્ધરાજ નાશી ગયે, અને એવી રીતે અદષ્ટ થયો કે તે રાજાના યશનાં સર્વ ચિહ્નો પણ નાશ પામ્યાં. (૭) તેમાંથી ભૂમંડળને સાહસેથી વિસ્મય પમાડનાર વલ્લભરાજ નામે નૃપમાં ચૂડામણિ જન્મ્યા હતા. તેના પ્રયાણના શ્રવણથી કંપિત થયેલા માલવ નૃપના રાજ્યમાંથી નીકળતે અતિ શ્યામ ધૂમ્ર તેના કોપાગ્નિને પ્રસાર પ્રકટ કરતે. (૮) તેના પછી તેના ભાઈ શ્રી દુર્લભરાજ રાજાએ રાજ્ય કર્યું જે અનુરાગ હોવા છતાં પર વધુને દુર્લભ હતા. જ્યારે તે દેધથી ભરાયે ત્યારે પિતાની વળેલી ભ્રમરે જરા ચઢાવી, જેથી તરત જ લાટ પ્રદેશના નાશરૂપી પરિણામ આવ્યું. (૯) પછી પોતાના શત્રુઓને ભીમ (ભયંકર) હતો, છતાં મિત્રોને નિત્ય ઉપભોગ આપનાર, શ્રી ભીમદેવ નૃપે, ભૂપ તરીકે ભૂમિના આ ભારનું વહન કર્યું ધારા (પાંચ કદમ) સાધનામાં પરમ ચતુર તેના અને માલવ ચક્રવર્તિનું રાજનગર ધારા સત્વર પ્રાપ્ત કર્યું તેમાં શું આશ્ચર્ય હતું? ૧ ચુલુયના સર્જન સંબંધે, સરખાવો વિક્રમાંક દેવચરિત સર્ગ ૧ ૩૬,૩૯ વગેરે. તેને ઉત્પત્તિ હેતુ બ્રહ્માને ચુલુક છે, અને તે પવિત્ર હોઈ તેમાંથી માત્ર પવિત્ર વીરપુરૂષ જ ઉત્પન્ન થાય છે ૨ : પ્રામિિરરઃ ને અર્થ અલબત “અતિ શીતલ કિરણોથી’ એમ થાય છે ૩ જુઓ સુકd સંકીતન પા, ૧૧ ૪ માર આંહિ નપુંસકલિંગમાં વપરાયું છે. પરંતુ તે પુગ છે. માર નં આપણે લખવું જોઇએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy