SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૪૩ ચૌલુક્ય રાજા કર્ણ ૧ લાનું સૂનકનું દાનપત્ર વિક્રમ સંવત ૧૧૪૮ વૈશાખ સુદિ ૧૫ સોમવાર મી. એચ. કસેન્સે કૃપા કરી મેકલેલી બે ઉત્તમ છાપ પરથી નીચેને લેખ પ્રસિદ્ધ કર્યો છે. આ લેખ બે તામ્રપત્રના અંદરના ભાગમાં કોતરેલે છે. આ પતરાં સૂનકમાંથી મળ્યાં હતાં, જે સૂનક ગામ ઉત્તર ગુજરાતમાં પાટણના અગ્નિકાણમાં પર્વ આશરે ૧૫ માઈલ પર, અને ઉંઝાર રેલ્વેસ્ટેશનથી પશ્ચિમમાં આશરે ૫ માઈલ પર આવેલું છે. આ પતરાં હાલ પાટણના રહીશ મી. નારાયણ ભારતીના કબજામાં છે. જ્યારે મી. સેન્સે પતરાંની નકલ લીધી ત્યારે તે એક કડી વડે જોડેલાં હતાં. તે કડી કેટલાક વખત પહેલાં ભાંગેલી હતી. બીજી કડી, જેના ઉપર કદાચ મુદ્રા હશે તે ખવાઈ ગઈ હતી. છાપે ઉપરથી અનુમાન કરતાં પતરાં સંપૂર્ણ રીતે સુરક્ષિત જણાય છે. લેખ સંસ્કૃત ગદ્યમાં છે. દાનપત્રની તારીખ વિક્રમ સંવત ૧૧૪૮ ના વૈશાખ સુદિ ૧૫ સેમવારે થએલા ચંદ્રગ્રહણની છે. આ તારીખની ગણત્રી મી. ફલીટે નીચે પ્રમાણે મને કરી આપી છેઃ– “ આ તારીખને મળતી સુરેપની તારીખ ઈ. સ. ૧૦૯૧ ના મે મહિનાની તા. ૫, સેમવારની છે. આ દિવસે ચંદ્રગ્રહણ હતું. તે ઉત્તરનું વિકમ-સંવત્ ૧૧૪૮ મું કર્યું, જે પૂરું થયું હતું અગર દક્ષિણુનું વિકમ-સંવત્ ૧૧૪૭ નું, જે ચાલતું હતું, તેના વૈશાખની પૂર્ણિમાની તિથિ હતી. સંબઈ માટેના સૂર્યોદયના કાળ પછી ૫૦ ઘડી અને ૫ટ પળે આ તિથિને અંત આવ્યેા હતા, તેથી ગ્રહણ હિંદુસ્તાનમાં દેખાવું જોઈએ. દક્ષિણના પૂરા થયેલા વિક્રમ સંવત ૧૧૪૮ માં તેજ તિથિએ, ઈ. સ. ૧૦૯૨ નાં એપ્રિલની ૨૪ મી તારીખે ગ્રહણું હતું. ઉત્તરના ચાલુ વિકમ સંવત ૧૧૪૮ માં આ તિથિએ ગ્રહણ નહતું.” દાન આપનાર મહારાજાધિરાજ કર્ણદેવ હતો. તેનું ઉપનામ ઐકયમલ હતું. ડૉ. બુહુરના મત પ્રમાણે વિક્રમ-સંવત ૧૧ર૦ થી ૧૧૫૦ સુધી રાજ્ય કરનારે ચૌલુક્ય રાજા કર્ણ ૧ લે આ દાનપત્રને કહ્યું છે. રાજાએ અણહિલપાટકમાંથી આ શાસન જાહેર કર્યું હતું, અને આનંદપુર મુખ્ય શહેરવાળા એક ૧૨૬ ગામના મડાલમાં વસનારાઓને સંબોધાયેલું છે. દાનમાં લઘુ-ડાભી એટલે નાની ડાભીમાં એક જમીનનો ટુકડો આપે હતા, જેની ઉપજમાંથી સૂનકમાં એક તળાવ ચાલુ રાખવાનું હતું. લઘુ-ડાભીમાં આપેલી જમીનની વાયવ્ય કેણમાં સંડેરા ગામ આવ્યું હતું. અણહિલપાટક ચૌલુકાનું મુખ્ય શહેર અણહિલવાડ છે, અને આનંદપુર હાલનું વડનગર છે. સૂનક ગામ જ્યાંથી પતર મળ્યાં હતાં તે હાલનું સુનક છે. લેખના અંતમાં લેખક અને દતકનાં નામો તથા રાજાની સહિ આપેલી છે. લેખક કેક્રક, કાયસ્થ વટેશ્વરનો પુત્ર હતો. આ વટેશ્વર, અને ભીમ ૧ લાના વિકમ-સંવત ૧૦૮૬ના દાનપત્રને લેખક, કાયસ્થ કાંચનને પુત્ર વટેશ્વર એ બન્ને એક જ લાગે છે. - અંહિ નેંધ લેવી જોઈએ કે, થોડા વખત પહેલાં મી. ફલીટે પ્રસિદ્ધ કરેલું ભીમદેવનું દાનપત્ર ભીમ ૨ જાનું નહીં પણ ભીમ ૧ લાનું જણાય છે. કારણ કે તે આ જ વટેશ્વર, કાયસ્થ ૧ એ. ઈ. વ. ૧ પા. ૩૧૬ ઈ. હુઝ. ૨ આ ગામ એક પછીના ચૌલુકય દાનપત્રમાં પણ આવે છે; ઈ. એ વિ. ૬ પા. ૨૧૦ અને વે. ૧૮ પા. ૧૦૮. સિદ્ધપુરથી દક્ષિણે શા માઈલ પર આવેલું એક મોટું ગામ છે, અને ઘણું કરીને ગુજરાતના કડવા કુલમ્બીઓ અથવા કણબીઓનું મૂળસ્થાન ગણાય છે.- બર્જેસની ગુજરાતની મુસાફરી સંબંધી નેટ ૧૮૬૯ ૫, ૫૩-૬૧. ૩ ઈ. એ. વ. ૬ પા. ૧૯૪. ૪ ઇ. એ. વ. ૧૮ ૫, ૧૦૮, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy