________________
गुजरातना ऐतिहासिक लेख (૩) ઈ. એ. વિ. ૬ પા. ૧૯૪ અને ત્યાર પછીના પાનામાં પ્રસિદ્ધ થએલાં ચાલય તામ્રપત્રોની માફક “બી” વંશાવલિ વિભાગથી શરૂ થાય છે, જ્યારે “એ” માં મંગલાચરણના લૅકો તથા વરાહ અવતારની રસુતિ છે જે દક્ષિણનાં તામ્રપત્રમાં જોવામાં આવે છે.
(૪) શાપ દર્શાવનારા લેકો “બીમાં છે, પણ એમાં નથી. (૫) “બી' માં દાન લેનારાના દાદાનું નામ છે, જે “એ”માં નથી. (૬) “બી”માં ચામુંડરાજનું નામ છે, જે “એ” માં જોવામાં આવતું નથી.
(૭) સીમા વિગેરે દાનની વિગત “બી” માં પુરેપુરી આપેલી છે, જ્યારે એમાં તે ભૂલાઈ જવાઈ છે તે પાછળથી ઉમેરવાને પ્રયત્ન કરેલ છે.
(૮) ખંડિયા રાજા દુર્લભરાજનું સ્તુતિ રૂપ વર્ણન “એ માં બહુ વિસ્તારથી છે, જ્યારે બી” માં નથી.
૯ “બી” માં લેખક તેમ જ દૂતકનાં નામ આપેલ છે, જ્યારે એ નામંજુર થયું હશે તેથી તે બધી વિગતે તેમાં પૂરી કરેલ નથી.
આ બધી વિગતે ઉપરથી એવું અનુમાન થઈ શકે છે કે “બી” દાનપત્ર મૂલ ચાલુક્ય રાજાઓની રાજધાનીમાં લખાયું હશે અને નવસારી જીલ્લાના સુબા દુર્લભરાજને તે દાન લેનારને સેંપવા માટે મોકલ્યું હશે. પણ તેણે તે જ દાનપત્ર સોંપવાને બદલે તે દાન દક્ષિણ તામ્રપત્રાની પદ્ધતિસર નવું કેતરાવ્યું અને તે વખ્ત પિતાનું તેમ જ પિતાના પૂર્વજોનું પ્રશંસામક વર્ણન તેમાં દાખલ કરાવ્યું. આ નવી નકલ મંજુરી માટે રજુ થઈ હશે ત્યારે તેમાંના રાધે સીમા વિગેરે ન લખવારૂપી માલમ પડ્યા હશે અને તે પાછળથી છેલ્લી બે લીટીમાં ઉમેર્યા છતાં સંતોષકારક ન જણાયું તેથી અપૂર્ણ જ રહ્યું અને લેખક તેમ જ દૂતક વિગેરેનાં નામ તેમાં લખાયાં નહીં. બન્નેની તિથિ તપાસવાથી પણ ઉપરના અનુમાનને ટેકે મળે છે. “બી”
માં રવિવાર તા. ૨ જી નવંબર ૧૦૭૪ આપેલ છે, જ્યારે “એ” માં મંગળવાર તા. ૨ જી ડીસેમ્બર ૧૦૭૪ આપેલ છે. એટલે કે “બી” દાન ખરેખર એક મહીના પહેલાં લખાયું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org