SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ चालुक्य कर्णदेवना समयनां बे दानपत्रो આમાંને કર્ણદેવ તે અણહિલવાડના ચાલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહને બાપ છે અને તેણે ઈ. સ. ૧૦૬૪થી ૧૦૯૪ સુધી રાજ્ય કર્યું હતું. આ રાજાને બીજો લેખ એ. ઈ. . ૧ પા. ૩૧૭ માં વિ. સં. ૧૧૪૮ નો પ્રસિદ્ધ થએલ છે. એ” દાનની તિથિ શબ્દ તેમ જ અંકમાં શક સંવત ૯૯૬ માર્ગશીર્ષ સુદિ ૧૧ વાર જોમ અને બી દાનની તિથિ વિ. સ. ૧૧૩૧ કાર્તિક સુદિ ૧૧ આપેલ છે. મી. કે. એન દીક્ષિતે કરેલી ગણત્રી અનુસાર તે તિથિઓ મંગળવાર તા ૨ જી ડીસેંબર ૧૦૭૪ ઈસ્વી અને રવિવાર તા. ૨ જી નવેમ્બર ૧૦૭૪ ઈસ્વી સાથે મળતી આવે છે એ” દાનમાં દાન આપનાર કર્ણદેવ તે છે, જ્યારે “બી દાનમાં તેને ખંડિયે રાજા નવસારમાં રહેતા દુર્લભરાજ દાતા તરીકે છે. દાન લેનાર બજેમાં એક જ વ્યક્તિ છે અને તે બ્રાહ્મણ રુદ્રાદિત્યનો પુત્ર માંડવ્ય ગેત્રને પંડિત મહીધર આપેલ છે. બી દાનમાં મહીધરના દાદા મધુસૂદનનું નામ પણ આપેલ છે, જ્યારે એ દાનમાં પંડિતનાં પાંચ પ્રવરે વર્ણવ્યાં છે. મધ્યદેશ કે જ્યાં તે રહેતા હતા ત્યાંથી પંડિત લાદેશમાં આવેલો હતે. દાનમાં આપેલું ગામડું ધામણછા તલભદ્રિકા છત્રીસીમાં આવેલું હતું અને તેની પૂર્વમાં કાલાગ્રામ દક્ષિણમાં તેરણગ્રામ, પશ્ચિમમાં આવલસાડ અને ઉત્તરે કછાવલિ અથવા તે કરછાવલિ ગામ હતાં. આ. સ. વે. સ. ના સુપરીટેન્ડેન્ટે આમાંનાં બે ગામો ધામણાછા અને તેરણ ગ્રામને હાલનાં ઘમડાછા અને તરણગામ અગર તેરણગામ માનેલાં છે. બાકીનાં સ્થળે પણ ટાઈપ કરેલી નોટના લેખકે બરાબર ઓળખાવ્યાં છે. કચ્છોવલિગ્રામ તે હાલનું કછોલી અને અવલસાઠિગ્રામ અથવા આસ્વલસાટિગ્રામ તે હાલનું બી. બી. એન્ડ સી, આઈ રેલવેનું અમલસાડ સ્ટેશન છે. કલાગ્રામ માટે તે બહુ ચેકસ નથી, તે પણ સૂચવે છે કે તે કદાચ હાલનું કવચ, અગર ખેરગામ હોય. આ સિવાય બીજા ત્રણ સ્થળો લેખમાં આવે છે જેમાં નાગ-- સારિકા તે હાલનું નવસારી છે. લાટદેશ તે ઉત્તર તેમ જ દક્ષિણ ગુજરાતનું જૂનું નામ છે અને મધ્યદેશ તે ગંગા અને જમનાં વચ્ચેને પ્રદેશ છે. આ બે તામ્રપત્રે એ ” અને “બી” એક જ દાન આપવા માટે શા માટે લખાયાં હશે અને તેમાંનું કયું સાચું અને કહ્યું બેટું તે નિશ્ચય કરો કઠણ છે. સુપરી. આ. સ. . સ. તેમ જ ટાઈપ કરેલી નોટના લેખક માને છે કે “એ” દાનપત્ર જે વધારે સારી રીતે કતરેલું છે તે ખરું છે અને બીજું પાછળથી તેની નકલ તરીકે તૈયાર થએલ હશે. ટાઈપ કરેલી નોટના લેખકે એવું સમાધાન કર્યું છે કે એને લખનાર કાયદાથી બીનવાકેફ હશે તેથી તેણે સીમા વગેરે લખેલ નહીં. બીના લેખકે પ્રથમ તે ભૂલ મૂળ એ માં જ સુધારવા પ્રયત્ન કર્યો, પણ પાછળથી બધું નવેસરથી લખવાનું દુરસ્ત ધાર્યું. પરંતુ બને દાનપત્ર બારીકીથી તપાસ્યા બાદ હું તેનું નીચે મુજબ સમાધાન કરવા ઈચ્છું છું. બન્ને દાનપત્રોમાં નીચે લખ્યા ફેરફાર સહજ જોવામાં આવે તેમ છે. (૧) “બી” દાનપત્ર બીજ ઉત્તર ગુજરાતનાં તામ્રપત્રોની પદ્ધતિએ લેખાએલું છે, જ્યારે એ” દાનપત્ર દક્ષિણનાં તામ્રપત્રની પદ્ધતિને અનુસરે છે. (૨) “બીમાં સાલ વિક્રમ સંવતમાં આપેલી છે, જ્યારે એમાં દક્ષિણનાં તામ્રપત્રની માફક શક સંવતમાં આપેલ છે. ૧ આ સ. વે. સ, રીપિટ ઈ. સ. ૧૯૧૮ પ. ૩૬ છે. ૬૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy