SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ दह २ जाना कावीमा ताम्रपत्री વિલાસભવ સરખો, સપાત્ર સાથે શ્રીના યોગ જે, ધર્મય જે, યઝદાનના કાળ જે, પ્રેમના સદગુણસમાન, શશીની નિર્મળ કલા જે, ( નિર્મળ કયેના સમૂહ જેવો ), નિત્ય અલકારોથી ભૂષિત, પૂર્ણિમાના ચંદ્ર જેવા વદનવાળ, નેહાળ, મૃદુવાણીવાળા, પ્રબળ શત્રુઓ સાથે યુદ્ધમાં વિજયશ્રી પ્રાપ્ત કરનાર, અને શ્રી વીતરાગના અપર (બીજા) નામવાળા શ્રી જયભટ હતો. સદગુણોએ પિતાના શત્રુ કલિયુગના ભયથી તેનું શરણું ઈચ્છતા હોય તેમ વિનયપૂર્વક તેનો આશ્રય લીધે. વિદત સમાન પ્રકાશિત કીર્તિવાળા, સકલ જીવલેકને અનન્દકારી, કાળા વાદળની માફક, અવધ્ય ફલ વષવીને પ્રયિ જનની તૃણા અને સંતાપ દેષ તેણે દૂર કયા. તે શૂરવીર હોવા છતાં અપયશ લેવામાં ભીરૂ હતા ( અપયશથી ડરતો હતો, તે તૃષ્ણારહિત હોવા છતાં ગુણપ્રાપ્તિને નિત્ય તરસ્યો હતો, તે પરમ દાન હતો છતાં પર યુવતિઓનાં હૃદય ભંગ કરવામાં વિમુખ હ. પટુ વાચાવાળે હોવા છતાં તે વાદવિવાદમાં શત્રુઓને દુર્વચને આપવામાં જડબુદ્ધિ હતું. તેનું રૂપ શીલનું વિરોધી ન હતું. તેનું યૌવન સદવૃત્ત( સદાચાર )નું વિરોધી હતું નહીં તેને વૈભવ દાન સાથે વિરોધી ન હતી. તેની ત્રિવર્ગની સેવા, પરસ્પર ( ત્રિવર્ગની પરસ્પર ) કલેશ કરવાની નિષ્ફળતામાં વિરોધી ન હતી. તેનું પ્રભુત્વ શાંતિનું વિરોધી ન હતું. કલિકાળ(માં તેનું જીવન ) ગુણો( ના સંચય)માં વિરોધી ન હતું. | ( પંક્તિ ૨૫ ) તેના પુત્ર, સજળ ઘન વાદળમાંથી બહાર નીકળતા શશીનાં કિરણથી જાગૃત થએલા શ્વેત કુમુદ જેવી યશની વેલી( લતા થી નભમંડલ છાયી નાંખતો, અનેક સમર સંકટમાં તેની સામે આવી સંહાર થયેલા શત્રુ સામત કુલની પત્નીએાના પ્રભાત સમયે રૂદનથી પિતાની અસિ(તલવાર)ને પ્રતાપ મોટેથી જાહેર કરનાર, દેવ, દ્વિજ અને ગુરૂઓનાં ચરણકમળને પ્રણામ કરતાં પંક્તિઓ પડેલા કોટી વમણિનાં ઉજજવળ કિરણોથી વિરાજિત મુગટથી મંડિત શિરવાળે, દીન, અનાથ, આજારી, અભ્યાગત, યાચક અને વિપત્તિવાળા જનના વેલાવ મનોરથ પૂર્ણ કરવાથી વૃદ્ધિ પામતા. સ્વર્ગપ્રાપ્તિના એક જ સહાય ધર્મસંચયવાળા પૂર્વ પ્રણયથી કેપિત થએલી માનિની જનેના પ્રણામ પછી મધુર વચનથી ઉદ્દભવેલા પ્રસાદથી પ્રકાશિત થતા વિદગ્ધ અને નાગરિક સ્વભાવવાળે, વિમલ ગુણનાં કિરણના પિંજરમાં કલિનાં ધન તિમિરને નાંખનાર, પંચમહાશદ પ્રાપ્ત કરનાર શ્રી દ૬ કુશળ હાલતમાં સમસ્ત રાજ, સામન્ત, ગિક, વિષયપતિ, રાષ્ટમહત્તર, ગ્રામમહનર, આધિકારિક આદિને જાહેર કરે છે કે : ૩૩) તમને જાહેર થાઓ કે અકરેશ્વર વિષયમાં આવેલું શિરીષપદ્રક ગામ ઉદ્ર સહિત, ઉપરિકરસહિત ... ... ... .. .. કાપવાની સર્વ વસતુ, વિષ્ટિ, પ્રતિભેદિકા સહિત ભૂમિછિદ્ર ન્યાયથી, સૈનિકોના પ્રવેશમુક્ત, ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વીના અસ્તિત્વકાળ સુધી પુત્ર, પૌત્ર અને વંશજોના ઉપગ માટે જબુસરથી આવેલા અકરેશ્વર વિષયમાં શિરીષપદ્રક. ના નિવાસી, બહવૃચ શાખાના, વત્સ ગોત્રના, આશ્વલાયનસ સબ્રહ્મચારી, બ્રાહ્મણ ભદ્ધિ અને ધ્યાપક તથા ગોપાદિત્ય તથા ભટિંગણું, વિશાખ અગ્નિશર્મા અને દ્રણ-કાશ્યપ ગોત્રને ભકિદામ તથા વત્ર, અવર્ચ્યુ વાજસનેય શાખાના, ડીડકીય ગેત્રના, કર્વ સબ્રહ્મચારી બ્રાહ્મણ તાપ શર્મા અને બીજો તાપિશો, અને દત્તસ્વામી, અને ભાગિસ્વામી, અને પિતૃશર્મા અને ભટ્ટ અને દ્રોણુ–પ્રાણુ ગેત્રના કર્મ અધ્યાપક અને અલૂક–કૌડિન્ય ગેત્રના વાટમાં અને શૈલ અને ઘેષ અને મહાદેવ અને બાવ-માઠર ગોત્રના ધર અને વિશાખ અને નન્દ્રિ અને રોમિલ–હારિત ગોત્રના ધર્મધર--છાન્દોગ્ય ભરદ્વાજ ગોત્રના કૌથુમ સબ્રહ્મચારી બ્રાહ્મણ ઈન્દ્રશમ અને આદિત્યરવિ અને તાપિશૂર અને ઈન્દ્રસૂર અને ઈશ્વર અને ધર અને દામધર અને બીજે ઈશ્વર ભરૂકચ્છથી આવેલા ભેર જિજકામાં નિવાસ કરતા અથર્વ વેદમાં નિપુણ ચોલી ગોત્રના પિપલાદ સબ્રહ્મચારી બ્રાહ્મણ ભદ્ર અને વાયુશર્મા અને દ્રોણસ્વામી અને રૂદ્રાદિત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy