SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના સિલિક એક ભાષાન્તર છે ! સ્વસ્તિ ! નાન્દીપુરી શહેર )માંથી – ( પતિ ૧ ) વિવિધ વિમલ ગુણસંપથી સકલ દિશાઓનાં મુખ, રત્નથી સાગર મંડિત કરે છે તેમ મંડિત કરનાર, સાગર તેના આશ્રમમાં આવેલા હોવાથી હજુ પણ પાંખ ( પક્ષ) ધારણ કરતા પર્વતોની રક્ષા કરે છે તેમ તેના આશ્રયી સમસ્ત મહાન નૃપને પક્ષનાર, સાગરની માફક અવધિ ન ઉરલંઘનાર, સ્થિરતાવાળા, ગંભીર, લાવણ્યમય અને મહા સત્વતાને લઈને ગહન માટે ( સાગર મહાસ–પ્રાણીઓને લઈને ગહન માટે કડિશું છે તેમ ) કઠિા તવા ગુર્જર નૃપતિઓના મહોદધિ જેવા વંશમાં, શ્રીકૃષ્ણના હૃદય ઉપર રહેલી શ્રી લકમી) સાથે જન્મેલા કૌસ્તુભમણિ માફક વિમલ થશનાં કિરણથી કલિયુગનાં તિમિર દર કરનાર. સત્પક્ષથી વિનતેયની માફક શત્રુ નાગકુલની સંતતિ જડમૂળથી ઉખેડી નાંખનાર : દિનકરના કમળ જેવા ચરણને પ્રણામ કરીને જન્મથી જ સર્વ પાપ દૂર કરનાર આમનન શ્રી દર હતો –– અચલ સદ્દગુણેના સમૂહથી આભૂષિત હેઈ, કેશવાળીથી વિરાજિત સહ જેવા- શરીરવાળે, શત્રુના સંહાર કરેલા ગજેના કુલ્મમાંથી ઝરતા મુકતાફલ જેવા વિમલ ચાવાળા, પવત પર જુવાન સિંહ પોતાના પ્રભાવ જાળવે છે તેમ તેના રૂપને અનુકૂળ અન્ય ન તરફ પ્રતાપ જાળવીને તે શંકારહિત ઉભે રહ્યો છે. પ્રતિદિન અને અન્ય સ્પધોથી કલાસમૂહ આદિ ગુણ, તેના વિકમથી પ્રેરિત મદ વિલાસવાળી ગતિવાળી શત્રુની ગજઘટા અને (તેમની) અમદાઓ તે અતિમલિન કલિયુગરૂપી તિમિરના ચંદ્ર સરખાની પાસે ગયાં. જે ઉત્તમ ગજના ચાલુ રહેતા મદ જેવા દાનપ્રવાહથી ભ્રમરનાં (અરજદારોનાં ) જુથને આનન્દ આપતા, જે પિતાના ઉજજવળ યશથી તેને આશ્રિત ન હતા તેમને પણ નમાવતે, જે નિત્ય અખલિત ડગ ભરતે, જેની શોભા અને ગૌરવ તેના ઉત્તમ વંશથી જળવાતાં, જેનાં કવાં તેના હસ્તપ્રહારથી શત્રુ નૃપના સંહારથી ઉતપન્ન થએલા આનન્દથી ઉભાં થતાં, જેને કંઠ ( અવાજ ) રેવા નદીના ધંધનાં પડતાં પાણીના અવાજ જે મધુર છે, તેના ઉપભોગ માટે, ઉન્નત પયોધર પર સંદર્ય ધારણ કરતી લગ્નસુખ દેનાર પત્ની જેવી વિંધ્યાદિની નીચે આસપાસની ભૂમિ હતી. સૌમ્યત્વ, વિમલતા, શેભા અને કલામાં શશી સમાન, પણ કલંકમાં શશી સમાન ન હતું, શ્રીનું નિવાસસ્થાન બની, શેભાના મહાયશથી કુલકંટક દૂર કરનાર કમલ આ કાર સમાને, પણ પંકા કાદવ)માં જન્મથી કમલની સમાનતા વગરને હિતે, સિંહ સમાન બલ, ઉત્સાહ અને વિકમમાં, પણ કુરતામાં નહીં હતો, સાગર સમાન લાવણ્ય, સ્થિરતા, ગાંભીર્ય, ધર્યું અને પાલન શક્તિમાં પણ સર્પ જેવા દુષ્ટને આશ્રય સ્થાનમાં સમાન ન હતું; હિમાચલ સમ ઉન્નત કટક( હોટાં શહેરો )થી અને વિદ્વાનના આવાસસ્થાનથી, પણ હિમાચલની આ સપાસના પહાડી પ્રદેશ જેવા પડતી પામેલા યોદ્ધાઓથી આવૃત નહીં હોવાથી તેમાં હિમાચલ સમાન તે ન હતે. શેષનાગનાં ગુંચળાં માફક વિમલ કિરણવાળા અનેક (સેંકડે) મણિથી સ્પષ્ટ થતા ગૌરવવાળી તની શ્રી (લક્ષમી ) સકલ જગતને સામાન્ય હતી. તેના કુલને મહિમા તેના શીલથી, તેનું પ્રભુત્વ ( તેની) આજ્ઞાથી, તેનાં શ(નું જ્ઞાન ) (તેને) શત્રુ નમાવીને, તેને કેપ (તેના) નિગ્રહથી, તેને પ્રસાદ (તેના ) દાનથી, તેની ધાર્મિકતા (તેની) દેવ, દ્વિજ અને ગુરૂ જેનેની પૂજાથી પ્રકાશિત થએલાં હતાં. ( પંક્તિ ૧૫) તેને પુત્ર, તપાવેલા ચળકતા સુવર્ણ જેવો શુદ્ધ, વસંતમાં પૂર્ણ ખીલેલી આશ્રઘટા જે, સરેવરનાં કમલમંડલ સરખે, કમલ મંડળનાં ખીલતા સૌદર્ય જેવ, મહા વિષવાળા નાગના મણિ સરખે અને મણિમાં નિર્મલ સ્વચ્છતા જેવ, મહાદધિના અમૃત કળશ જે, અને અમૃત કળશના અમરના દેનાર પ્રભાવ સરખ, ગજના મદ સમાન, પ્રમદાના ૧ અને સંબંધ પંકિત ૩૧માં ‘‘શ્રી ઃ કુશલી સર્વાન ” સાથે લાગુ પડે છે. ૨ જુએ ઈ. એ. જે. ૧૨ ૧, ૧૫૭ નાટ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy