SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख સમય સંબંધી કાંઈ વધુ વિગત પ્રાપ્ત નથી. ચામુંડ અને દુર્લભરાજ અને સ્વામી થએલા અને તેમાંથી એક કાશી ગયા ત્યારે તેમનું માળવાના રાજાએ અપમાન કર્યું તેથી માળવા સાથે વૈરભાવ ઉત્પન થયો. ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૬૬ ના તામ્રપત્રમાં વલભરાજનું નામ નથી, પણ આ પતરાંમાંથી નં. ૪ થી ૧૦ બધામાં તેનું નામ છે તેથી અટકળ થાય છે કે તેના ટૂંકા સમયને લીધે અમુકમાં નામ નહીં લખાયું હોય. બીજી બાબત એટલે કે ગુજરાતની દંતકથાઓ અને આઈને અકબરી વિગેરે ગ્રંથો વચ્ચે સાલનો ગડબડાટ વધારે ગંભીર છે. જે ચામુંડને ૧૦૧૦ ને બદલે . સ. ૧૦૨૪ માં મૂકીએ તે ગુજરાતી ગ્રંથકારોની સાલે બધી વીંખાઈ જાય છે. મી. ફાર્બસનું તે સંબંધી પ્રકરણ બહુ ગેટાળાભરેલું છે. કારણ કે મુસલમાની અસલ ગ્રંથાને અને ભીમદેવના લેખેને બારીકીથી અભ્યાસ થયો નહોતે. સર એચ. ઈલી અટના હિંદુસ્તાનના ઈતિહાસના વિ. ૨ પા. ૪ર૯ મે ( પુરવણીમાં) મહમૂદની હિંદ ઉપરની ચઢાઈનું પૂરું વર્ણન આપ્યું છે. સોમનાથની ચઢાઈનું સૌથી પ્રાચીન વર્ણન ઈમ્ન આસીર પા. ૪૬૯ મે આપેલ છે. તેમાં લખેલ છે કે અણહિલવાડના રાજા ભીમ ભાગીને અમુક કિલ્લામાં ભરાણ. પછી સોમનાથ ઉપર દબલવાર દ્વારા ચઢાઈનું અને મંદિર સર કર્યાનું વર્ણન છે. પછી મહમદને ખબર મળી કે ભીમ કન્દહતના કિલ્લામાં ભણે છે તેથી તે ત્યાં ગયે. ભરતી વર્તે ખાડી ઓળંગી અને દુશ્મનને ત્યાંથી હાંકી કાઢયે. ત્યાંથી મનસુરા જવા પાછે વળે. આ વર્ણનમાં ભીમનું નામ બે વાર આવે છે. તેથી ગુજરાતી ગ્રંથકારનાં લખાણ અનુસાર ઈ. સ. ૧૦૨૪ માં ભીમ ગાદી ઉપર હતે. વળી તેમાં મુસલમાની ગુજરાતમાં લાંબા વખત સુધીની સ્થિતિ અગર દાબિશ્લીમના વંશજને અણહિલવાડની ગાદી ઉપર સ્થાપ્યા બાબત હેજ પણ ઈસા નથી. તે હકીકત તેમ જ ગુજરાતની અખટ દેલત વિગેરેનો ઉલ્લેખ મીરખેજના ઇતિહાસમાં પ્રથમ જોવામાં આવે છે, તેથી અનુમાન થાય છે કે પાછળના મુસલમાની ગ્રંથકાએ તે પાછળથી ઘુસાવી દીધેલ હશે. ભીમનું કન્દત ( કંથકેટ ) ભાગી જવું પણ તદ્દન સંભવિત છે કારણ મૂલરાજ પણ ત્યાં ભાગી ગયે હતો. કથકોટ પાસે દરિયે હેવાનું વર્ણન કાં તે તે વખ્તની સ્થિતિફેરને લીધે અગરતો મુસલમાની ગ્રંથકારેના અજ્ઞાનને લીધે હશે. ભીમદેવના લેખે પણ ઉપરના અનુમાનને અને ગુજરાતી ગ્રંથકારોના લખાણને સમર્થન કરે છે. તેમાં લખેલ છે કે ભીમદેવ વિ. સં. ૧૦૮૬ અને ૧૦૯૩ માં એટલે કે ઈ. સ. ૧૨૯ અને ૧૯૩૬ માં રાજ્ય કરતા હતા. તે ઉપરથી સમજાય છે કે મહમુદની ચઢાઈ પછી તરત તે પાછો અણહિલવાડ આવ્યું હશે. પરિણામે ગુજરાતી ગ્રંથકારો અનુસાર ભીમદેવ વિ.સં ૧૦૫૮ ઈ. સ. ૧૦૨૨માં ગાદીએ આવ્યું. મહમુદ આવ્યું ત્યારે તે રાજ્ય કરતા હતા અને ભાગીને કંથકોટ ગયે. મહમુદે તેને ત્યાંથી હાંકી કાઢયે અને મનસુરો તરફ ગ. ભીમદેવ તરત અણહિલવાડ પાછો ફર્યો અને વધુ પચાસ વર્ષ સુધી રાજ કર્યું. આપણા આ લેખોમાંથી ભીમદેવના છેવટના ભાગ સંબંધી તેમ જ તેના દીકરા કર્ણ ૧ લા વિ. સ. ૧૧૨૮-૫૦ (ઈ. સ. ૧૯૭ર થી ૧૯૩–૯૪) સંબંધી કાંઈ પણ હકીકત મળતી નથી. માત્ર તેનું બિરૂદ શૈલેયમલ આપેલું છે. કર્ણના પુત્ર જયસિંહ સંબંધી નં. ૫ માંની વંશાવળી તેને અવન્તિનાથ અને વરકજીણુ લખે છે. નં. ૩ માં તેમજ નં. ૬ થી ૧૦ સુધીનામાં આ બે બિરૂદ વચ્ચે ત્રિભુવનગંડ લખેલ છે. દ્વયાશ્રય કોશમાં બર્બરને રાક્ષસને નેતા લખ્યું છે અને શ્રી સ્થલ સિદ્ધપુરના બ્રાહ્મણોને તે ત્રાસ દેતો હતો. જયાસિંહે તેને હરાવ્યું, પણ તેની સ્ત્રી પિંગલિકાની આજીજીથી તેને જીવતે રાખે. બર્બરે જયસિંહને અનેક ભેટ આપી. મી. ફેબસે બર્બરને માલવાને રાજા માન્ય છે તે ભૂલ અવન્તિનાથ અને વર્વરક જીણુ એ બેને ભેળાં વાંચવાથી થએલ હશે. કીતિકૌમુદીમાં બર્બરકન ભૂતના ઉપરી લખ્યા છે અને તેને મશાનમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy