SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ मूलराजनुं दानपत्र જ્યારે ગુ. ચૌલુક્ય શૈવ છે (૩) દ. ચૌ. નું લાંછન વરાહ છે જ્યારે ગુ. ચી. નું નદી છે. (૪) ભૂપતિથી રાજી સુધીના રાજાઓનાં નામ દક્ષિણ વંશના લેખેમાંની વંશાવલી સાથે મળતાં નથી. (૫) મલરાજને દ. ચૌ. સાથે મિત્રભાવ ન હતા. તે ગાદીએ આવ્યા બાદ તેલિંગનના તૈલપ રાજાએ બારપને હુમલો કરવા મોકલ્યો હતે. (૬) મૂળરાજે તથા તેની પછીના રાજાઓ એ ગુજરાતમાં ઘણું બ્રાહ્મણોને વસાવ્યા જે ઔદિચ્ય (ઉત્તરતરફના) નામે મશહુર છે અને તે એને સિહેર (સિંહપુર), ખંભાત (સ્તંભતીર્થ) તેમ જ બનાસ અને સાબરમતી વચ્ચે અનેક ગામો દાનમાં આપ્યાનું પૂરવાર થાય છે. મૂલરાજ જે દક્ષિણમાંથી આળ્યા હોત તે ગુજરાત તેલિગણ અને કર્ણાટકી બ્રાહ્મણોથી ભરપૂર હોત. આ છેલી હકીકત બહુજ સબળ છે, જો કે બીજી હકીકતનું કદાચ સમાધાન થઈ શકે, જેમ કે મૂલરાજે પોતાનું લાંછન તથા ધર્મ ગુજરાતમાં આવીને બદલ્યાં હોય. વળી કનેજમાં બીજું કલ્યાણ હોવું અસંભવિત નથી. કનેરના ઈતિહાસમાં આઠમી સદીના યશોવર્માથી માંડી દશમી સદી સુધી કોઈ પણ પ્રકાશ પડેલ નથી. આ ખાડા ભૂપતિ અને તેના અનુયાયીઓથી પરાઈ શકે તેમ છે. ભૂપતિ ઈ. સ. ૬૯૫-૬ માં રાજ કરતા હતા અને મૂલરાજ ૯૪૧-૪ર માં ગાદીએ આવ્યા. વિશેષમાં દક્ષિણુના ચૌલુકયે માને છે કે તેના પૂર્વ ઉત્તરમાંથી આવેલા અને અયોધ્યામાં રાજ્ય કરતા હતા. નોર્થવેસ્ટ પ્રવીન્સીઝના ગેઝેટીયરમાં લખેલ છે કે ચૌલુક્ય રજપૂતે કને જ પ્રદેશમાં અત્યારે પણ હયાત છે. કલ્યાણ નામે ઘણું ગામ હતાં, જેવાં કે મુંબઈ પાસેનું કલ્યાણ અને દક્ષિણનું કલ્યાણ; તેથી કનોજમાં કલયાણ હોવાનું અસંભવિત નથી. આ બધી હકીકત ઉપરથી હું એમ નિશ્ચય ઉપર આવું છું કે મૂલરાજ કાન્યકુજમાં રાજકર્તા રાજાને વંશજ હા જોઈએ અને ગુજરાત જિત્ય હોવું જોઈએ, તેમજ તેની મા ચાવડા વંશની હોઈ શકે. ભાટેને રાજવંશાવલી બાબતમાં બહુ જ ચોકકસ માનવા જોઈએ, કારણ તે સાચવી રાખવી તે તેને ધંધે કહેવાય. - આ લેખથી બીજી બે બાબતેને પુષ્ટિ મળે છે. લેખ નં. ૧ પં. ૨ માં મૂલરાજને ચંદ્રક વ વિહિતાવહાવઃ વર્ણવ્યું છે. અણહિલવાડ પાટણની આસપાસ પચાશ માઈલ સુધીમાં ટેકરી પણ નથી, તે હકીકત ધ્યાનમાં લેતાં ઉપરનું વર્ણન ઐતિહાસિક વૃત્તાન્તને ઉદ્દેશીને છે એમ સમજવું જોઈએ. મેરૂતુંગ લખે છે કે ગાદીએ બેઠા પછી તરત મૂલરાજ ઉપર બે લશ્કરે ચઢી આવ્યાં હતાં. એક તે શાકભુરી(સામ્ભર )ના રાજા સપાદલક્ષીયનું અને બીજું કલ્યાણના તૈલપના સુબા બારપનું. જેને પરિણામે તે કચ્છના વાગડ પરગણુમાંના કંથકેટ( કંથાદુર્ગ)માં ભાગી ગયે હતો તેને શિવજીની કેલાસની રિથતિ સાથે કવિએ સરખાવી લાગે છે. બીજી બાબત વળી વિશેષ સ્પષ્ટ છે. મફતંગ પ્રબન્ધચતામણિમાં લખે છે કે મૂલરાજ એમનાથને અનન્ય ભક્ત હતા અને દર સોમવારે સોમનાથ પાટણ (૨૫૦ માઈલની મુસાફરી કરીને ) દર્શન માટે જતા. આ ભક્તિથી તુષ્ટ થઈ સેમિનાથ પ્રથમ મણ્ડલી (વિરમગામ તાલુકાનું માંડલ) અને પછી અણહિલવાડ પધાર્યા. મલીમાં મૂલરાજે મૂલેશ્વરનું મંદિર બંધાવ્યું. મૂલનાથ દેવને કમ્બાઈક ગામ દાનમાં આપવામાં આવ્યું તે આ ભૂલેશ્વરનું મંદિર હોવું જોઈએ. લેખને ઐતિહાસિક વિભાગ બહુજ દુકે છે અને તેમાં મૂલરાજની વાનસ્થલી(વંથળી)ના આભીર અગર યાદવે ઉપરની તેમજ લાટના રાજા ઉપરની ચઢાઈનું વર્ણન નથી. સંવત ૧૦૪૩ વિકમ આપ્યો છે તે મૂલરાજના રાજ્ય સમય વિ. સં. ૯૯૮-૧૦૫૩ સાથે બંધ બેસતો આવે છે. મેરૂતુંગના વૃત્તાંત અનુસાર મૂલરાજ પછી તેને દીકરે ચામુંડ ગાદીએ આવ્યું, જેણે તેર વર્ષ એટલે કે ૧૦૬૬ (ઈ. સ. ૧૦૦૯-૧૦) સુધી રાજ્ય કર્યું. તેના પછી તેના બે દીકરા વલભરાજ અને દલભરાજ ગાદીએ આવ્યા. જેમાં પહેલો ૬ માસ બાદ શીળીમાં મરણ પામ્ય ત્યારે બીજાએ સં. ૧૦૭૮ (ઈ. સ. ૧૦૨૧-૨૨ ) સુધી રાજ્ય કર્યું. તે વરસમાં તેણે પોતાની ગાદી છોડી અને પિતાના નાનાભાઈ નાગરાજના દીકરા ભીમદેવ ૧ લા ને ગાદી આપી. આ Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy