SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख ચાપોત્કટ અથવા ચાવડા રાજાની બહેન લીલાદેવીથી ઉત્પન્ન થયે હતે. મેરૂતુંગ લખે છે કે વિ. સં.૯૯૮ માં પોતાના બે ભાઈ સાથે રાજ એમનાથ પાટણની યાત્રાએથી વળતાં અણહિલવાડ પાટણું રોકાયા હતા અને ઘોડેસ્વારની કવાયતની ટીકાથી તેમ જ પિતાની ઘોડેસ્વાર તરીકેની હશીયારીથી રાજાનું ધ્યાન ખેચ્યું. તેનું કુળ જાણ્યા બાદ તેની સાથે લીલાદેવીને પરણાવી. તે પ્રસવસમયે ગુજરી ગઈ, પણ તેનું પેટ ચીરી, મૂલરાજને જીવતો કાઢ. મૂલરાજ(મૂળ નક્ષત્રમાં જન્મે તેથી)ને તેના મામાએ ભણગણાવ્યો અને માટે કર્યો. દારૂના નિશામાં તેને ઘણી વાર રાજગાદી આપવામાં આવતી, પણ નિશો ઉતર્યા બાદ પાછી લઈ લેવામાં આવતી. આથી કંટાળી મૂળરાજે તેનું ખૂન કરાવી ગાદી પડાવી લીધી. સી. કેળસે આ વૃત્તાન્તને થોડી ઘણી અસંબદ્ધ હકીકત કાઢી નાંખીને સ્વીકાર્યો છે અને તેણે તથા મી. એલ્ફીન્સ્ટને માન્યું છે કે મલરાજને બાપ કનાજમાંથી નહીં, પણ દક્ષિણના ચે વંશની રાજધાની કલ્યાણમાંથી આવેલ હતું. મેરૂતુંગ લખે છે કે સામંતસિંહ વિ. સ. ૯૯૧થી ૯૮ સુધી રાજ કર્યું. તેમ જ રાજ અણહિલવાડમાં પણ ૯૯૮માં આવ્યું એમ લખેલ છે. આ બે બનાવ વચ્ચે ઓછામાં ઓછું વીશ વર્ષનું અંતર દેવું જોઇએ, તેથી આ વૃત્તાન્ત સર્વથા ત્યાજ્ય છે. ચાપોત્કટ અને ચૌલુકય વંશને જોડવાના હેતુથી ભાટચારણેએ આ બનાવ કલ્પી કાઢયો હવે જોઈએ. દ્વયાશ્રય કેશમાં આ સંબંધી કાંઈ પણ ઉલ્લેખ નથી, તેથી તેમ જ તામ્રપત્ર નં. ૧ માંની થેલી હકીકત છે તેથી ઉપરની અટકળને ટેકા મળે છે. કેર્બસે સુચવ્યું છે તે મુજબ દ્વયાશ્રય કેશ હેમચંદ્રની જ કૃતિ નથી. વિ. સ. ૧૩૧૨ માં અભયતિલકે તેમાં સુધારાવધારે કરેલ છે અને કેટલીક અસંબદ્ધ હકીકત ઉપરથી અટકળ થાય છે કે બાકીના ભાગ પણ માત્ર ૧૨ મી સદીના લેખકનો રચેલો નથી. તે પણ એકંદરે તે મેરૂતુંગના ગ્રંથ કરતાં વધુ પ્રમાણભૂત છે. તેમાં મૂલરાજને માત્ર ચલકય લખે છે. અને તેની બહાદુરી અને શક્તિનાં વખાણ કરેલ છે. આપણુ લેખમાં પણ દાન દેનારની ઉત્પત્તિ સંબંધી ટુંકુ વર્ણન છે. તેને સેલંકી વંશમાં જન્મેલો અને મહારાજાધિરાજ રાજીનો દીકરે લખ્યો છે. તેણે સારસ્વત મંડલ (સરસ્વતી નદીની આસપાસને મુલક ) પિતાના બાહુબળથી મેળવ્યું. મેરૂતુંગનું વર્ણન સાચું હોય તે રજપૂતના રખડતા નાના છોકરાને મહારાજાધિરાજ લખાય નહી. મૂલરાજના દાનપત્રની હકીકત ધ્યાનમાં લેતાં તેમ જ મૂલરાજને વંશને સ્થા૫ક વર્ણ છે તે ઉપરથી અનુમાન થાય છે કે તેના પૂર્વ ચૌલુક્યના અસલ દેશના રાજા હશે અને ત્યાંથી તેના દુશ્મનેથી હાંકી કાઢવાથી અગર વધુ પ્રદેશ મેળવવાના લોભથી ગુજરાતમાં તે આવ્યા હશે. તે અસલ પ્રદેશ કર્યો તે સવાલ વિચારવાનું છે. ગુજરાતના ભાટે લખે છે કે વિ. સ. ૭૫૨માં કાજમાં કલ્યાણકટકને રાજા ભૂરાજ, ભૂયડ અગર ભુવડ (એટલે કે ભૂપતિ) ગુજરાતમાં રાજ કરતા હતા અને જયશેખરને નાશ કર્યો અને ત્યાર બાદ કર્ણાદિત્ય, ચંદ્રાદિત્ય, સમાદિત્ય અને છેવટે ભુવનાદિત્ય જે રાજીને બાપ હતા તે કલ્યાણની ગાદીએ આવ્યું. મી. ફાર્બસ મી. એલફિનસ્ટન વિગેરેએ આ કલ્યાણને દક્ષિણ ચૌલુક્યની રાજધાની કલ્યાણ માનેલ છે અને હું પણ અમુક વખત એમ માનતે. તેના આધારમાં નીચેની બીનાઓ આપી શકાય તેમ છેઃ (૧) દક્ષિણનું કલ્યાણ આઠ સદી સુધી ચૌલુક્યની રાજધાની હતી અને કનોજમાં આવું ગામ મળી આવતું નથી. ( ૨ ) દક્ષિણના ચૌલુકાના લેખમાં ગુજરાત જિત્યાનું લખે છે...( ૩ ) ચૌલુક્ય રાજા વિજયરાજને શ. સ. ૩૯૪ ઈ. સ. ૪૭૨-૭૩ ના તામ્રપત્રમાં લખ્યું છે કે તે ભરૂચના પ્રદેશને માલિક હિતે. પરંતુ બીજા મતનાં પ્રમાણ વધુ સબળ છે: (૧) દક્ષિણના રાજાઓ ચાલુકય, ચલુક્ય, ચલિય અગર ચકય લખે છે, જ્યારે ગુજરાતમાં ચૌલુકય લખે છે. પાટણ વંશને સ્થાપક દક્ષિમાંથી આવ્યો હોત તો પિતાને ચૌલુક્ય લખત. (૨) દક્ષિણ ચૌલુના કુલદેવતા વિષ્ણુ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy