SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ગોવિંદ ૫ માનાં સાંગલીનાં તામ્રપત્રો શ. સં. ૮૫૫ શ્રા. સુ. ૧૫ ગુરૂવાર (ઈ. સ. ૯૩૭–૩૪ ) ઈ% ૪ થાને બે દીકરા હોવા જોઈએ; કારણકે આ લેખમાં પંક્તિ ૨૩ માં ગોવિંદનાં વખાણ કર્યા છે કે તેણે તેના મોટા ભાઈ તરફ નિષિદ્ધ કરતા બતાવી નથી. આ ભાઈનું નામ આમાં કે બીજા કોઈ પણ પ્રસિદ્ધ દાનપત્રોમાં મળી આવતું નથી, તે ઉપરથી અનુમાન થાય છે કે તે શરીરે તેમ જ બુદ્ધિમાં તે નબળો હશે, તેથી હોહા વગર ગેવિંદ ૪ થાએ તેને અલગ રાખી દીધે હશે. સાંવતવાડીના રા. બ. વામનરાવ પીતાંબર ચીટનીસના કબજામાં આ પતરાં છે. તે ઉપરથી હું આ લેખ ફરી પ્રસિદ્ધ કરું છું. પ્રથમ તે પતરાં સાંગલી પાસે રહેતા બ્રાહ્મણ કુટુંબના કબજામાં હતાં અને જનરલ સર જ્યોર્જ લીગ્રેન્ડ જેકબે જ. બે. બ્રે, રે. . . . ૪ થામાં પાને ૧૦૦ મે પ્રસિદ્ધ કર્યા હતાં. સાંગલીની આસપાસથી તામ્રપત્રો મૂળ મળ્યાં હતાં જોઈએ, અને તેથી તેને સાંગલીનાં તામ્રપત્રો તરીકે ઓળખાવવામાં આવે છે. પતરાં ત્રણ છે, અને દરેક ૧૩ ઇંચ લાંબું અને ૯ ઇંચ પહોળું છે. લેખ એવી રીતે લખેલે છે કે તેનાં પતરાં અંગ્રેજી પુસ્તકનાં પાનાંની માફક ફેરવવાથી વાંચી શકાય છે. પતરાં તદ્દન સપાટ છે, જે કે ક્યાંક કાર પાસે જરા બેસી ગએલ છે, કારણ કે કેરને ટીપીને જાડી કરેલી નથી. લેખ બધે તદ્દન સ્પષ્ટ છે. જે કડીથી તે બધેલાં છે તે સાદી અને ઈંચ જાડી છે અને તેને વ્યાસ ૪ ઇંચ છે. તેને કાપી હશે, પણ મારી પાસે પતરાં આવ્યાં તે પહેલાં કરી લેવી દીધેલી છે. કદાચ તે કડી અસલની ન હોય, અગર તેની ઉપર સીલ કે મૂર્તિ હશે તે ઉખેડી લેવામાં આવેલ હોય, જનરલ જેકબ જોકે તે બાબત કાંઈ લખતા નથી. ત્રણે પતરાં તથા કડીનું વજન ૧૩ પા. અને ૩ આઉંસ છે. ભાષા સળંગ સંરકૃત છે. રાષ્ટ્રકૂટ યદુ અથવા યાદના વંશના છે, એમ આ લેખમાં પહેલી જ વાર આપેલું છે. ડો. ભગવાનલાલના મત મુજબ આ ફેરફાર છેવટના ભાગમાં કરવામાં આવેલ છે અને સીલ ઉપરના સિંહના ચિત્રને બદલે ગરૂડનું શિવ... તેના કારણુભૂત હોય કારણ યાદો વિષપંથી . - - - - - - હતા અને ગરૂડ એ વિષ્ણુનું વન અલ સાંધ લેવાઈ છે કે જગતુંગ બીજો રવિગ્રહની દીકરી લઃ - ૮ - -ઃ ' 'અને તે રણવિગ્રડ ત્રિપુર અથવા તેવારના કસુરી અથવા કલ ', ચુરી વંશના કાકકલ અથવા કેકદલ ૧ ના દીકરો હતે. આ લેખમાંથી વળી આપણને માહિતી મળે છે કે તેને દીકરો ઈન્દ્ર ૪ છે તે જ કક્કલ ૧ લાના બીજા દીકરા અર્જુનના દીકરા અમ્મણની દીકરી ક્રિજામ્બાને પરણ્યા હતા. આ ઈન્દ્ર ૪ છે અને દ્વિજામ્બાના દીકરા ગેવિંદ ૫ અને નામ નહીં જણાએલ તેને માટે ભાઈ એમ બે હતા. ગાવિંદ ૫ માના લેખમાં લખ્યું છે કે તેના રાજમહેલની ગંગા અને યમુના સેવા કરતી હતી. ગુપ્ત બાંધકામમાં દેવળના દ્વારની બન્ને બાજુ ગંગા યમુના કેતરવામાં આવતી અને ગુપ્ત પાસેથી ચાલુએ પોતાના દેવજ ઉપર ગંગાયમુનાનાં ચિત્રો ગ્રહણ કર્યા હતાં. ગોવિંદ ૩ જાએ પિતાના શત્રુઓને હરાવી આ બે ચિત્ર ગ્રહણ કર્યાનું લખ્યું છે. તેથી ગેવિંદ ૫ માના કિસ્સામાં ગંગાયમનાની સેવા તે જ અર્થમાં લેવાની છે, કારણ ગવદ ૫ માની રાજધાની ગંગાયમનાથી ઘણે છેટે હતી, તેથી પ્રત્યક્ષ સેવા સંભવતી નથી. ૧ ઈ. ઓ. વ. ૧૨ પા. ૨૪૦ જે, એક કલાટ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy