________________
गोविंद ५ माना सांगलीनां ताम्रपत्रो
આ લેખમાં ગોવિંદ ૫ માને સુવર્ણવર્ષ (બીજો) અને વલ્લભનરેન્દ્ર (બીજો) એવાં બિરૂદ આપેલાં છે, અને તેમજ ઇન્દ્ર ૪ ધાને નિત્યવર્ષ (૧ લો) લખ્યો છે.
લેખની તિથિ શ. સં. ૮૫૫ ( ઈ. સ. ૯૩૩-૩૪) વિજય સંવત્સર શ્રાવણ સુદ ૧૫ ગુરૂવાર આપેલ છે. દાનમાં રામપુરી વિગેરે ૭૦૦ ગામના જથ્થામાંથી લેહગ્રામ ગામ આપેલું છે, અને તે પુડવર્ધનમાંથી પિતે અગર તેને પિતા નીકળી આવેલ કૌશિક ગોત્રના બ્રાહ્મણ કેશવ દીક્ષિતને આપેલું છે. આ પુડવર્ધન તે હયુએનસેંગનું પુન્નતન્ન ગામ હોય એમ સંભવે છે. તેને જનરલ કર્નંગહામે બંગાળામાં ગંગાનદીના કાંઠાના પબના અથવા પુનાની સાથે બંધ બેસારેલ, પણ પાછળથી તેને ઉત્તર બંગાળામાં બોગ્રાની ઉત્તરે ૭ માઈલ ઉપરના કારતયા ઉપરનું મહાસ્થાન તરીકે ઓળખાવવામાં આવેલ છે.
ગોવિંદ ૫ માને શ. સં. ૮૫૧–પર (ઈ. સ. ૯૩૦-૩૧) વિકૃત સંવત્સર માઘ સુદિ પૂર્ણમાની તિથિને બીજો લેખ ધારવાડ પ્રગણાના બંકાપુર તાલુકાના કળશ ગામમાંથી મળેલા મારી પાસે છે અને તેમાં પણ તેને ગોજિજગદેવ, નૃપતુંગ, વરનારાયણ અને રત્તકંદર્પ એવાં બીરૂદે આવેલાં છે. સર વેટર ઈલીયટની માલીકીનાં, પૂર્વ તરફના ચાલુક્યનાં તામ્રપત્રમાં શક ૮૪૫ થી ૮૫૭ સુધી રાજ કરતા ભીમ ૨ જાના હાથે ગોવિંદ ૫ માની હાર થયાનું લખ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org