SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ गोविंद ४ थानां खंभातनां ताम्रपत्रां ભાષાન્તરમાંથી અમુક ભાગ પં. ૪૦ પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રીનિત્યવર્ણદેવના પાત્રનું ધ્યાન ધરનાર ૫. મ. ૫. શ્રીસુવર્ણવર્ષદેવ પૃથ્વીવલ્લભ શ્રીવલ્લભનરેન્દ્રદેવ કુશળ હાઈને રાષ્ટ્રપતિ વિગેરે અધિકારીઓને આજ્ઞા કરે છે કે— તમે! બધાને વિદિત થાય કે હું મંદિરા વિગેરેને આપેલાં દાન આગલા રાજાઓએ જપ્ત કરેલાં છતાં પાછાં ચાલુ કરનાર, અને પ્રતિદ્ઘિન નવાં દાન ચિરકાળ ટકે તેવાં આપનાર, માન્યખેટમાં સ્થિત થઇને શક સંવત ૮૫ર ના જ્યેષ્ઠ સુદ્ધિ ૧૦ વાર સેામ ખર સંવત્સર અને હસ્ત નક્ષત્રમાં પિત્થ ગામમાં પટબન્ધના ઉત્સવપ્રસંગે તુલાપુરૂષમાં ચડીને નીચે મુજબ દાન આપું છું. ( ૧ ) અલિ, ચરૂ, વૈશ્વદેવ ઇત્યાદિ માટે બ્રાહ્મણેાને ૬૦૦ અગ્રહાર તથા ૩ લાખ સુવર્ણ, (૨) દેવાલયાના ઉપભાગ માટે તેમ જ તેના જીદ્ધાર, તેલ, ગન્ધ, પુષ્પ, દીપ અને બીજા પૂોપચાર માટે, તથા અન્ન અને વસ્ત્રના સદાવ્રત માટે ૮૦૦ ગામડાંઓ, ચાર લાખ સુવર્ણ અને ૩૨ લાખ દ્રમ્મતુલાપુરૂષ ઉપરથી ઉતર્યા પહેલાં વિશેષમાં માતાપિતાના પુણ્ય માટે લાટ દેશના ખેટક મંડલમાંના તીર્થ કાવિકામાંથી આવેલા અને માન્યખેટમાં આવીને શ્રી વલ્લભ નરેન્દ્રદેવના આશ્રયમાં રહેતા, માઠેર ગાત્રના વાજિકાણ્ય શાખાના મહાદેવય્યના પુત્ર નાગમાયને લાટ દેશના ખેટક મંડલમાંના કેવજ્ર ગામનું દાન કર્યુ છે. તે કેવજ્જ કાવિકાના તીર્થની પાસે આવેલું હતું. આ દાન નીચેના હેતુસ્મા માટે આપવામાં આવ્યું હતું. ( ૧ ) અલિ, ચરુ, વૈશ્વદેવ અને અતિથિતર્પણુ માટે, ( ૨ ) કામ્ય, નિત્ય, અને નૈમિત્તિક કર્મ માટે, ( ૩ ) દર્શ, ( પૂર્ણમાસ, ચાતુર્માંસ, અષ્ટકા, આશ્રયણુ પાક્ષિક શ્રાદ્ધ વિગેરે કર્મ માટે, ( ૪ ) ઇષ્ટક્રિયાની પ્રવૃત્તિ માટે ( ૫ ) ચરુ, પુરાડોશ, સ્થાલીપાક પકાવવા માટે, ( ૬ ) હામ, નિયમ, સ્વાધ્યાય માટે તેમ જ અધ્યયનની દાનદક્ષિણા માટે ( ૭ ) રાજસૂય, વાજપેય, અશિષ્ટમ ઇત્યાદિ સાત સેમયજ્ઞે। માટે, ( ૮ ) મિત્રાવરૂણુ, અધ્વર્યુ, હાતા વિગેરે ઋત્વિજેનાં વસ્ત્ર, અને અલંકારથી સત્કાર તથા દાનદક્ષિણા માટે ( ૯ ) અને સત્ર, પ્રપા, પ્રતિશ્રય, વૃષાત્સર્ગ, વાવ, કુવા, તળાવ, વાડી, દેવાલય વિગેરે કરાવવા માટે, દાનમાં આપેલા ગામની સીમા નીચે મુજબ હતી. પૂર્વમાં કાલિકા તીર્થની સીમા; દક્ષિણમાં સામગામ નામનું ગામઠું પશ્ચિમમાં સીહુક ગામડું; અને ઉત્તરમાં કાવિકા તીર્થની જમીનની સીમા, ત્યાર બાદ બાકીના ભાગમાં શાપ દર્શાવનારા શ્લેાકેા છે. શ્વે. ૨૭ ગાવિંદરાજનું આ દાનપત્ર ગંગાધરાર્યના પુત્ર નાગવર્મનથી લખાયું હતું. Jain Education International For Personal & Private Use Only www.jainellbrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy