________________
१३६
गुजरातना ऐतिहासिक लेख અને સ્વર્ગીય સૌંદર્યને નિધિ કન્દર્પ દેવ પ્રકટયે, તેમ આ બન્નેમાંથી ચાર સાગરના કિનારા સુધી વિખ્યાત પ્રતાપવાળ, શત્રુઓને ઘંટી સમાન, સુંદરીઓનાં મનમાં વસનાર, સર્વ જનને આશ્રય સ્થાન સમાન, ગુણ અને રુપને નિધિ હતું તે ૨ટ્ટ કન્દર્પ જન્મ્યા હતા. | ( ક. ૨૧ ) વિષણુ ભગવાને પદથી ચાર સાગરથી આવૃત થઈ ઉજજવળ થએલી પૃથ્વી ભરી દઈને શ્રી કીર્તિનારાયણ નામે ઓળખાય તેમ આ નૃપ તેના શૌર્યથી ચાર સાગરથી આવૃત બની પ્રકાશિત થએલી પૃથ્વીનું ગમન કરીને શ્રી કીર્તિનારાયણ તરીકે ઓળખાવે. તેના જન્મ વિષે સાંભળી, મૂંઝાઈ ગએલી મતિવાળા શત્રુઓના મુખનું તેજ દૈન્ય, ચિત્ત ભય અને શિર સેવા અંજલિનો અનુભવ કરવા લાગ્યાં. | ( ક. ૨૨ ) જેમ ઈન્દ્રદેવ મેરૂપર્વત લીલાથી( સુખેથી) ઉખેડી નાંખી, અને ગોવર્ધન(ગિરિ)નો ઉદ્ધાર કરનાર ઉપેન્દ્ર(કૃષ્ણ)દેવને પરાજય કરીને મદથી ફૂલી ગયે નતે તેમ આ ઈન્દ્રરાજ ત્રીજે મેરૂ મહદય) સુખેથી ઉખાડી નાંખી ગોવર્ધનને શરણું આપનાર ઉપેન્દ્ર નૃપને પરાજય કરીને મદથી ફુલાઈ ગયો ન હતે. | ( ક. ૨૩ ) આ નૃપ જે સર્વ જનોથી નમન પાત્ર છે તેણે મંદિરો અને અંગ્રહાર(બ્રાહ્મણને)ને સર્વથી માન દેવા ગ્ય અનેક દાન કરી, દાન માટે યશમાં, એક નજીવા ગામના દાનથી વિરાજતા પુણ્યના મહિમાવાળા પરશુરામથી અધિક થયે.
(પંક્તિ. ૪૩. પ૬ ) અને તે, પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વરથી અકાલવર્ષ દેવને પાદાનુધ્યાત, પરમ ભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી નિત્યવર્ષ નરેન્દ્રદેવ કુશળ સ્થિતિમાં હતું ત્યારે સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, યુક્તક, નિયુક્તક, આધિકારિક, મહત્તર આદિને તેમના સંબંધ અનુસાર શાસન કરે છે –
તમને જાહેર થાઓ કે રાજનગર શ્રી મા ખેટમાં વસનાર અને શ્રી પટ્ટઅબ્ધ ઉત્સવ માટે કરૂકમાં આવેલા મારાથી મારાં માતાપિતાના, અને મારા, આ લેક તેમ જ પરલોકમાં પુણ્ય યશની વૃદ્ધિ માટે, શકતૃપના કાળ પછી, સંવત ૮૩૬ ફાગણ શુદિ ૭, યુવસંવત્સરમાં, શ્રી પટ્ટબધ્ધ ઉત્સવની સમાપ્તિ પછી, તુલા પુરૂષમાં આરોહણ કરીને, અને તુલામાંથી નીચે અવતરણ કર્યા વગર,સાડી વીસ લાખ દ્રમ્પ સહિત, પૂર્વેના નૃપેથી જપ્ત થએલાં કુરૂન્દ અને અન્ય ગામે, અને તે ઉપર ૪૦૦ ગામે, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિ સન્તર્પણ અર્થ, લક્ષમણ ગોત્રના, વાજિ મધ્ય%િ સહાચારી, પાટલીપુત્રથી આવેલા શ્રી વેન્નપભટ્ટના પત્રને લાટ દેશમાં કમ્મણિજ સમીપમાં તેન્ન નામનું ગામ, પૂર્વે–વારડપઢિલકાઃ દક્ષિણેનાભીટકઃ પશ્ચિમેવલીશા અને ઉત્તરે વશ્વિયણગામ, આ ચાર સીમાવાળું ગામ ઉદ્વેગ સહિત, ઉપરિકર સહિત, દશ અપરાધના દંડ સહિત, ઉદ્ભવતિ વેઠના હકક સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, પાણીના અર્થથી ભક્તિથી અપાયું છે.
( પંક્તિ. પદ-૫૯ ) આ ગામને જ્યારે તે બ્રહ્મદાયના નિયમ અનુસાર ઉપભોગ કરે, અન્ય પાસે ઉપલેગ કરાવે, ખેતી કરે અથવા ખેતી કરાવે, અથવા અન્યને સોંપે, ત્યારે કેઈએ, તેને લેશ માત્ર પણ પ્રતિબંધ કરે નહીં. વળી, આ અમારા બ્રાહ્મણને આપેલા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્રકૃપાએ પોતેજ તે દાન કર્યું હોય તેમ અને ભૂમિદાનનું ફળ (દાન દેનાર અને રક્ષણ કરનારને) સામાન્ય છે તેમ માની અનુમતિ આપવી.
( પંક્તિ ૫૯ અને લોક ૨૬–૨૬ માં ભાવિ નૃપને ચાલું ઉપદેશ અને ધમકી સમાવેશ થાય છે. )
( હેક. ર૭ ) આ સ્તુતિપાત્ર પશતિ નેમાદિત્યના પુત્ર અને ઇન્દ્રરાજના પદનું સેવન કરતા શ્રી ત્રિવિક્રમભટ્ટથી રચાએલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org