SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ इन्द्रराज ३ जानां वेदानपत्री १३५ ( ક. ૧૦ ) દિગ્યાત્રા સમયે કુંદકુસુમસમાન ઉજજવળ કીર્તિના સમસ્ત ભુવનના યાત્રા પ્રવાસ માટે વેત(સ્વસ્તિ)કુમ્ભ, અને લક્ષ્મીના-કરના તળમાં પૂર્ણ ઈન્દુના બિમ્બસમાન ઉજજવળ વિલાસ કમળ સમાન વેતછત્ર કોસલેશ્વરના કંપતા કરમાંથી યુદ્ધમાં ઝુંટવી લીધું અને અન્ય ( બીજો ) ઉત્તર( દેશ ના નૃપ પાસેથી તેના યશ સમાન હતું તે ઝુંટવી લીધા, (લેક ૧૧ ) તેમાંથી દ્વિજોને માન આપનાર જગતુંગ જમ્યા, તેણે તેના પુત્ર મહારાજાધિરાજ શ્રી વલલભને જન્મ આપે ( ક. ૧૨) જેવી રીતે સાગરમાં ડૂબી ગએલી પૃથ્વીને પુનઃ ઉદ્ધારીને વિષ્ણુ વીર નારાયણ થયો, તેમ પ્રતાપ ધનવાળે આ નૃપ ચૌલુક્યના રસાગરમાં ડૂબી ગએલા ૨ટ્ટરાજ્યના યશને પુનઃ ઉદ્ધારીને વીરનારાયણ (ઉપનામ ધારનાર) થયે. ( કલેક. ૧૩ ) જેમ માળી દંડથી કંટક દૂર કરી, મૂળ સહિત ઉખાડેલા રસ્તંભવાળા ચણકેને બાળે છે તેમ સ્તંભપુરીને પૂર્ણ નાશ કરનાર શત્રુ ચડ ચૌલુકોને, દંડથી દુર્જનને નમાવી નાશ કર્યો. | ( ક. ૧૪ ) કદલી વૃક્ષ સમાન ચૌલુક્ય વંશને નાશ કરનાર, કેતુમાંથી વિમળ ચરિતવાળે, કર્ણપુટકથી સતત પાન થયા છતાં જેને ઈન્દુ સમાન ઉજજવળ યશ ભ્રમણ કરે છે કૃષ્ણરાજ, બીજે, જમ્યો હતે. ( ક. ૧૫ ) વાદળાં આવી જ્યારે અતિ મુશળધાર વૃષ્ટિ થાય છે અને નભમાં ગોળ મેઘધનુષ દેખાય છે ત્યારે વૃદ્ધ જને, ગર્જતા ગુર્જર સાથેના તેના યુદ્ધનું આમ વર્ણન આપે છે. કિરણો ફેંકતાં રત્નોથી જડિત ધનુષ તેણે કપમાં આમ ખેંચ્યું. શત્રુના દ્ધાઓનાં શિર તરફ તેણે આમ શર છોડ્યાં.” ( કલેક. ૧૬ ) તેનાથી શત્રુગણુને હણનાર, મદનથી અધિક રૂપવાન, શક્તિદેવીને વલ્લભ, જેના દરેક કરનાં તલ દવજ, કમળ, શંખનાં ચિહથી પ્રકાશતા ચકનું સ્વસ્તિચિહ્ન ધારતા અને જે મહિમામાં આમ વિષ્ણુ કરતાં અધિક હતો તે શ્રીજગતુંગ જન્મ્યા હતા. ( ક. ૧૭) હૈહય વંશમાં સહસ્ત્રાર્જુન નૃપ હતો જેણે ગર્જતા અને અજિત રાવણના પ્રબળ અને વિરાજતા લાંબા ભૂજની ખણસ શાન્ત કરી અને જેના યશના અને નામના પ્રસરતા અક્ષરેએ, દેના કર્ણમાં વિશ્રાંતિસ્થાન પ્રાપ્ત કરી, અને અમૃતના ઘટ્ટ રસ વડે સિદ્ધથી લખાઈને, દિદિવાલો વ્યાપી નાંખી. | ( . ૧૮ ) જે શત્રુઓના વંશને પરશુ સમાન હતા, તેના વંશમાં કેકકલ ભૂપનો પુત્ર કીર્તિમાન્ નૃ૫ શ્રી રણવિગ્રહ ચેદીશ્વર થયો. જેમ સર્વ કલા વિનાને ઇન્દુ કૃષ્ણ પક્ષને અંતે સૂર્યબિંબમાં પ્રવેશ કરે છે તેમ, જે સામંતોના મંડળમાં અરિની અંગનાઓને અલંકાર હતો તેણે દરેક દુર્બળ ભૂપમાં તેમના પક્ષને નાશ કરીને પ્રવેશ કર્યો. (લે. ૧૯ ) જેવી રીતે સાગર જે અતિ ઉજજવળ કિરણવાળા સૂર્યને નિવાસ છે, તેમાંથી લકમી કરમાં કમળ સહિત પ્રકટી તેવી રીતે જે ગુણનિધિ હતા, ઉજજવળ પ્રતાપના નિવાસસ્થાન સમાન હતો, તેમાંથી લક્ષ્મી નામે પુત્રી અવતરી હતી. યદુવંશના કુમુદને શશિ સમાન, સુંદરીઓનાં હદય અનુરજનાર જગતુંગદેવ રણવિગ્રહની પુત્રી લક્ષ્મીને પર –જેમ હરિ લક્ષમી દેવીને પરણ્યા હતા. ( શ્લોક, ૨૦) જેમ હરિ અને લક્ષમીથી ચાર સાગરના કિનારા સુધી વિખ્યાત પ્રતાપવાળે, શત્રુઓને ઘંટી સમાન, સુંદરીઓના મનમાં વસનાર, સર્વ જનેને આશ્રય સ્થાન સમાન, ૧ નાઅલિ અથવા તમલુક. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy