________________
गुजरातना ऐतिहासिक लेख
બીનું દાનપત્રનું ભાષાન્તર,
» સ્વસ્તિ ! ( કલેક. ૧) જેના નાભિકમળમાં વેધસેતુ બ્રહ્માએ ) વાસ કર્યો છે તે વિષ્ણુ અને જેનું શિર ઈન્દુકલાથી ભૂષિત છે તે હર ( શિવ) તમારું રક્ષણ કરે.
(શ્લેક. ૨) કંસના (નાશનો) કેતુ, દેવેનો મિત્ર, જેના વિધ્યાગરિસમાન વિશાળ વક્ષ:સ્થળ ઉપર શુદ્ધ કૌસ્તુભમણિ લટકે છે જેના મુખકમળની રંગભૂમિપર લહમીના અતિકામથી શિથિલ નયનનાં પોપચાં સહિત કટાક્ષ નૃત્ય કરે છે તે કૃષ્ણ વિજયી છે. | (શ્લેક. ૩) ઉપેન્દ્ર ( વિષ્ણુ) જે સદા વિજયી છે, જેના લાંબા કરેનું લહમીદેવીએ શરણ લીધું છે, જે યુદ્ધમાં સળીયાવાળું અને દુર્બર ચક્ર ધારતે, જે બલિ અને તેના મંડળને પાતાળમાં લઈ ગયો અને જે ચોથા અવતારમાં નૃસિંહ હતો તે ઉપેન્દ્ર સમાન લહમીદેવીથી જેના લાંબા કરનું આશ્રય સ્થાન થયું હતું, જેણે યુદ્ધોમાં અજિત અરિ ચક્રને ઉખેડી નાંખ્યું છે, જેણે બળી ખાઓના દેશ (મંડળ) હરી લીધા છે અને જે જનામાં નૃસિંહ છે તે ઇન્દ્રરાજ ત્રીએ સદા વિજયી છે.
( ક. ૪) સ્વયંભૂ (બ્રહમા ) શ્રીના પતિ(વિષ્ણુ )ના નાભિમાંથી નીકળતા વિશાળ અને વિકસેલા કમળમાંથી જન્મ્યા હતા. તેનાથી તેને પુત્ર અત્રિ જન્મ્યો હતો. અને તેનાથી પુનઃ (અત્રિને ) અમૃત કિરણે ઉમરાવતે ઈન્દુ. તેમાંથી પૃથ્વી પર યદુવંશ ઉત્પન્ન થયે; જેમાં એક સમયે ગોપની અંગનાઓના નેત્ર કમળને સર્વ વિલાસથી પૂજાતા કૃષ્ણ રૂપે આઠમા અવતારમાં સારંગ(ધનુષ) ધારનાર( વિષ્ણુ) થઈ ગયો. | ( ક. ૫ ) જેમ તે વંશમાં સાત્યકિ શાખાની વૃદ્ધિ કરનાર, અને કરમાં શંખ, અને ચકનાં વિશેષ ચિહ્ન ધારનાર અને સાગરમાંથી લક્ષ્મીદેવી સ્વેચ્છાથી જેની પાસે આવી તે પુરૂષોત્તમ(કૃષ્ણ) પ્રકટયા તેમ તે વંશમાં મહાન સાત્યકિ શાખામાં, પુરૂષોત્તમ, શંખ અને ચકનાં (સ્વસ્તિ ) ચિહ્નવાળા કરવાળો અને જેની પાસે ચાલુક્ય વંશની લમી સ્વેચ્છાથી આવી તે શ્રીન્તિદુર્ગ નુપ પ્રકટ. | ( શ્લોક. ૬ ) જેવી રીતે પ્રિયજનને કર પ્રથમ હદય હરતી સ્ત્રીની જંઘા પર પૂર્ણ સ્થાન મેળવી અને સ્વેચ્છાથી પુનઃ મતાથી તેની કટી (મધ્યદેશ ) દબાવી, પુનઃ કદી નીચેના અડનાના કાંચીપદમાં સ્થાન કરે છે તેમ યુદ્ધમાં અતુલ આ નૃપને કર પ્રથમ ભૂમિના સાથી નીચેના હૃદયહારી દેશ પર સ્થાપિત થઈ અને પુનઃ મદુતાથી, સ્વેચ્છાથી મધ્યદેશ પ્રાપ્ત કરી અને પુનઃ કાંચી દેશમાં સ્થાપિત થયો. | ( ક. ૭) જ્યાં પર્વતના શિખર પરના પ્રબળ કપિગથી પુપિત લવંગ વૃક્ષોને નાશ થાય છે તે સેતુ( રામેશ્વર )થી ભવાનીને ચાલતા ચરણના નપુરના ઝણકારથી ગાજતી સીમાવાળા કેલાસ પર્વત સુધી, અંજલિથી સ્પર્શત મુગટ પરની માળા સમાન તેની આજ્ઞાને સર્વ નૃપે શિર નમાવી, અને ભૂતળ પર લોટતાં ઘુંટણ સહિત માન આપે છે. | ( ક. ૮ ) પિતાના ભુજથી ભૂમિનો પરાજય કરી, તે નૃપ નવ વિજયની ઉત્સુકતાથી રવર્ગમાં જય કરવા ગયો ત્યારે તેને વિખ્યાત પ્રતાપવાળે પિતુવ્યક શ્રી કૃષ્ણરાજ પહેલા પરમ પ્રભુત્વના પદે આવ્યો.
( ક. ૯ ) દિગસુંદરીઓનાં વદન ચનચિત્રની પંક્તિઓના રૂપમાં લીલા કરતા, ઘન, વિસ્તારવાળા અને ઉજજવળ યશ સંપન્ન અને શ્રી રાષ્ટ્રકટના કુળના પર્વતને ભૂષિત કરનાર તે નૃપમાંથી વિમળ શૌર્યવાળે નિરૂપમ પ્રકટયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org