________________
इंद्रराज ३ जानां व दानपत्रा
१२३
ગેત્રના વાજી માધ્યન્દિન શાખાના બ્રાહ્મણ શ્રી વેન્નપ ભટ્ટના દીકરા સિદ્ધપ ભટ્ટને કર્યું. અને પહેલા તામ્રપત્રમાં લખ્યા મુજબ તેજ ગોત્રના અને શાખાના બ્રાહ્મણ રાણુપ ભટ્ટના દીકરા પ્રભાકર ભદ્રને ઉશ્વર અથવા ઉમ્બરા ગામ દાનમાં આપ્યું હતું.
દાન શ. સ. ૮૩૬ સુવ સંવત્સરના ફાલ્ગન સુદિ સાતમ, તા. ૨૪ મી ફેબ્રુઆરી ૯૧૫ ઈ. સ. ના રેજ અપાયાં હતાં.
બીજાં બધાં રાષ્ટ્રકૂટ તામ્રપત્રની માફક આમાં પણ શરૂવાતમાં વિણ તથા શિવની સ્તુતિ છે અને પછી બીજા સ્લેકમાં કૃષ્ણની સ્તુતિ છે. ત્યાર પછીના કલેકમાં દાન દેનાર ઈન્દ્રરાજ દેવ ત્રીજાને વિષ્ણુની સાથે સરખાવ્યા છે. શ્લેક ૪ થામાં વિષ્ણુના નાભિકમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ, તેનાથી અત્રિ, અત્રિથી ચંદ્ર અને ચંદ્રમાંથી યદુવંશની ઉત્પત્તિ બતાવી છે. યદુવંશની સાત્યકિ શાખામાં દક્તિદુર્ગ જમ્યો હતે અને તેને ચાલુક્ય વંશની રાજ્ય લક્ષમી આપોઆપ જઈને વરી હતી. આ ઉપરથી સમજાય છે કે ચાલુક્ય વંશને હરાવીને દતિદુર્ગ રાષ્ટ્રકૂટ વંશની ઉન્નતિ કરી. શ્લેક છઠામાં લખેલ છે તે મુજબ દન્તિદુર્ગે પ્રથમ દક્ષિણ દેશ સર કર્યોપછી મધ્ય દેશમાં આવ્યો અને છેવટે કાંચી જિતી લીધું. ઈલોરાની દશાવતાર ગુફામાંના લેખમાં આપેલ છે કે દતિદુર્ગે કાંચી. કાલિંગ, કેશલ, શ્રીશૈલ, માલવ, લાટ રંક વિગેરે પ્રદેશો જિત્યા. આ લેખમાં આપેલ છે તે મુજબ પ્રથમ દન્તિદુર્ગે દક્ષિણમાં શ્રીશૈલ કલગ વિગેરે જિત્યાં, પછી મધ્ય ભાગમાં કેશલ, માલવા, લાટ વિગેરે જિત્યાં અને છેવટે પાછો દક્ષિણમાં આવ્યું અને કાંચીપતિને હરાવ્યો.
પ્લેક. ૮- દક્તિ પછી તેનો કાકો કૃષ્ણરાજ ૧ લે ગાદીએ આવ્યા. શ્લોક ૯તેના દીકરા નિરૂપમ( પ્રવ)નું વર્ણન છે, પણ તેના મોટા ભાઈ ગોવિદ બીજાનું વર્ણન નથી. કદાચ દાન દેનાર રાજાની સીધી વંશાવળી જ આપવાનો આશય હોય અને ગોવિંદ બીજાનું વર્ણન નથી, જ્યારે દન્તિદુર્ગ વંશનો રસ્થાપક હતો તેથી તેનું વર્ણન આપેલ છે. પરંતુ તેનો અર્થ એમ ન કરાય કે ગેવિંદ બીજે ગાદીએ આવ્યો જ નહોતે.
ગોવિંદ ૨ જાના ભત્રીજા અને ભાયાત સુવર્ણવર્ષ કર્કના ધુળીઆના તામ્રપત્રમાં શ. હ૦૧માં ગોવિંદ રાજ્ય કરતો હતો એમ સ્પષ્ટ ઉલ્લેખ છે. શ્લોક ૧૦- કેશલના રાજા પાસેથી તેમ જ બીજા ઉત્તરના રાજા તરફથી સફેદ છત્ર નિરૂપમ પ્રવને મળ્યાનું લખેલ છે. ઉત્તર તરફને રાજા કાં તે જૈન હરિવંશમાં આપેલ ઈન્દ્રાયુધ હોય અગર પાલના ધર્મપાલને અને રકૂટ ગોવિંદ ૩ જા ને સમકાલીન કજનો રાજા ચકાયુઘ હોય એમ સંભવે છે. પ્લેક ૧૧-નિરૂપમ ધ્રુવથી જગરંગ (ગોવિંદ ૩ ) અને તેનાથી શ્રીવલ્લભ (અમેઘવર્ષ ૧ લે ) ઉતપન્ન થયાનું વર્ણન છે.
શ્લોક ૧૨–અમોઘવર્ષે ચાલકો રૂપી ઉદધિમાં ડૂબી ગયેલી રનની કીત્તને ઉદ્ધારી અને વીરનારાયણનું બિરૂદ ગ્રહણ કર્યું. આ ઉપરથી એમ સમજાય છે કે અમોઘવર્ષના રાજ્યની શરૂવાતમાં વેગીના ચાલુકયાએ રેરકૂટની સત્તાને હચમચાવી નાંખી હશે. અમોઘવર્ષને સમકાલીન ચાલુકય રાજા નરેન્દ્રમૃગરાજ વિજ્યાદિત્ય ૨ જે હતો અને તેણે ગાંગ અને ૨ત્તનાં લશ્કર સાથે બાર વર્ષ સુધી રાત અને દિવસ યુદ્ધ કર્યાનું પૂર્વ તરફના ચાલુકાના લેખમાં આપેલ છે. લોક ૧૩ માં આનું વેર અમોઘવર્ષ લીધાનું અને ચાલુને જડમૂળથી ઉખેડી નાંખ્યાનું લખેલ છે. આ હકીકત ખંભાત અને સાંગલીનાં તામ્રપત્રથીર પુરવાર થાય છે કારણ કે તેમ
૧ ઇ. એ. વ. ૨૦ પા. ૧૦૦ ૨ એ. ઈ. વ. ૭ પા. ૪૩; ઈ. એ. વ. ૧૨ પા.૨૫૨
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org