________________
નં. ૧૩૩-૧૩૪
ઇન્દ્રરાજ ત્રીજાનાં બે દાનપત્રો
શ. સ. ૮૩૬ ફાગુન સુ. 9 આ તામ્રપત્રેની નોંધ પહેલાં એચ. એચ. ધ્રુવે લીધી હતી અને ત્યાર બાદ જ, બે. છે. રા. એ. સી. વ. ૧૮ પા. ર૫૩ મે ?, આર. જી. ભાંડારકરે શિલાછાપ સહિત તે પ્રસિદ્ધ કર હતાં. ત્યાર બાદ અચાનક મેં તે વડેદરા મ્યુઝીયમમાં જોયાં અને પ્રે. હુ૯શની સૂચના અનુસાર મૂળ પતરાં મેળવીને પ્રસિદ્ધ કરું છું. પતરાંની સાથે બે સીલે વડોદરાના રેસીડેટે મેકલી હતી પણ તે છૂટી હતી તે પ્રત્યેક તામ્રપત્ર સાથે જોડી શકાય તેમ નહોતી.
પતરાનું માપ ૧૩ ઇંચx૯ ઇંચ છે. સીલની કડીઓ છૂટી પડી ગઈ હતી. તે 5 ઇંચ જાડી છે અને તેનો વ્યાસ ૩ ઇંચ છે. સીલમાં સર્પ ઉપર બેઠેલા ગરૂડનું ચિત્ર છે. સર્ષ કમરે વીંટાઈ ગએલા છે અને તેની ફણુ હાથમાં છે. તેના જનેઈ જેવું દેખાય છે તે કદાચ ત્રીજે સર્પ હાય. ગરૂડ સન્મુખ બેઠેલે છે અને તેની જમણી બાજુએ ઉપરના ખૂણામાં ગણપતિ છે અને નીચે ચમાર અને તેની નીચે દી છે. ડાબી બાજુ ઉપલા ખણમાં સિંહ ઉપર બેઠેલી દેવી છે અને સિંહ નીચે ચમર અને તે ઉપર સ્વસ્તિક છે. ગરૂડના માથાની બન્ને બાજુ વર્તુલ છે, જે સૂર્યચંદ્ર માટે હોય એમ અનુમાન થાય છે. ગરૂડની નીચે લેખ સ્પષ્ટ નથી, પણ તે શ્રીમસિલ્ય. વવસ્થ હોય એમ જણાય છે. સીલની કોર ઉપર જુદાં જુદાં ચિહે છે. જેમાં લિંગ અને અંકશ ઓળખી શકાય છે. નાની સોલ જે ૧ ઇચ૮૧ ઇંચ છે તેના ઉપર પણ ચો છે પણ તે સ્પષ્ટ નથી. સર્પ, ગણપતિ, દેવી, દીવે, સ્વસ્તિક વિગેરે આમાં પણ જોવામાં આવે છે. કડીનું માપ પણ તે જ છે.
એચ. એચ. ધ્રુવ લખે છે કે બગુમરાના મુલજી ખુશાલ પટેલને નકર દુબળો ખેતરમાં હળ ખેડતો હતો ત્યારે આ પતરાં નીકળ્યાં હતાં. તેથી પ્રે. કલહેર્ન પ્રથમ જણાવ્યું હતું તે મુજબ આ પતરાંને બગુમરાનાં પતરા તરીકે ( નવસારીનાં તરીકે નહીં ) ઓળખાવવાં જોઈએ.
દરેક જોડીમાં ત્રણ ત્રણ પતરાં છે અને તે ૧૩ ઇંચ લાબાં અને ૯ ઇંચ પહોળાં છે. પહેલા અને ત્રીજા પતરાં માત્ર અંદરની એક જ બાજુએ અને વચલાં પતરાં બન્ને બાજુએ કોતરેલાં છે. કાતર કામ સ્પષ્ટ અને સંભાળપૂર્વક કરાયેલું છે. લિપિ ઉત્તર વિભાગની લિપિને મળતી છે. ભાષા સળંગ સંરકૃત છે.
બને જેડીમાં રાષ્ટ્રકૂટ રાજા ઈન્દ્ર ૩ જાએ બ્રાહ્મણને ગામ દાનમાં આપ્યાની હકીકત આપી છે. ઈન્દ્ર ત્રીજાને બીજા તામ્રપત્રની ૫. ૪૩-૪૫ માં પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી અકાલવર્ષ દેવ એટલે કે પોતાના દાદા કૃષ્ણ બીજાના પગનું ધ્યાન ધરનાર ૫. મ. ૫, શ્રી નિત્યવર્ષ નરેન્દ્રદેવ તરીકે વર્ણવ્યું છે. દાન અપાયું ત્યારે ઈન્દ્ર ત્રીજો પક્બન્ધ ઉત્સવ માટે પિતાની રાજધાની માન્યખેટ છેડીને કુરૂન્ડક ગયે હતે. તે પ્રસંગે સનાથી પોતાનું વજન કરાવ્યું હતું અને ત્રાજવામાંથી ઉતર્યા વિના ૨૦ લાખ દ્રમ્પનું તથા કુરૂન્ડક અને બીજાં ગામ ડાનું દાન કર્યું. તેમ જ આગલા રાજાઓએ આપેલાં દાનને અનુમોદન આપ્યું અને છેવટે તેના નામના ગામડાનું દાન બીજા તામ્રપત્રમાં લખ્યા મુજબ મૂળ પાટલીપુત્રના રહીશ લક્ષમણ
• એ. ઈ. વ. ૮ પા, ૨૪ ડો. ડી. બાર ભાંડારકર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org