SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख શ્લો. ૧૯-૨૦ ગોવિંદ ૩ જાનાં ચાલુ વખાણું છે અને તેનું ત્રિભુવનધવલનું નવું બીરૂદ જાણવામાં આવે છે. પ્લે. ૨૧ ઉત્તરમાં વિજય યાત્રાએ નીકળ્યાનું વર્ણન છે. તેણે નાગભટ્ટ અને ચન્દ્રગુપ્તને હરાવ્યા. ગોવિંદ ત્રીજાને સમકાલીન હોઈ શકે તે મધ્ય પ્રાંતમાં કેશલ પ્રદેશમાં શ્રીપુર અથવા સિરપુરમાં રાજ્ય કરતે માત્ર એક જ ચન્દ્રગુપ્ત હતા. તે પાંડવ વંશને હતું અને પાંવ વંશ ૮ મી અને ૯ મી સદીમાં સર્વોપરી સત્તા ભગવતો હતે. નાગભટ્ટ તે પ્રતિહાર વંશના અવન્તિના રાજા વત્સરાજને દીકરે હતે. . ૨૩ હિમાલયના ઝરણાનાં પાણી તેના ઘોડા તથા હાથીઓએ પીધાં અને ત્યાં ધર્મ અને ચકાયુધને નમાવ્યા. તેને કીર્તિનારાયણનું બીરદ મળ્યું. ધર્મ તે પાલવંશને ધર્મપાલ હો જોઇએ અને ચકાયુધ તે ધર્મપાલ મારફત કાજની ગાદી જેને મળી હતી તે હવે જોઈએ. શ્લો. ૨૪ હિમાલયથી ગોવિંદ ત્રીજે નર્મદા તરફ વળ્યો અને પૂર્વ તરફ વળીને નદીને કાંઠે કકે પ્રયાણ કરીને માલવા, કેશલ, કલિગ, વંગ, દાહલ અને એડકના પ્રદેશો જિત્યા. આંહી તેને વિકમનું બીરૂદ આપવામાં આવેલ છે. પ્લે. ૨૫ પિતાના શત્રુને દબાવીને નદીના બીજા કાંઠાતરફ ગયો અને વિધ્યાની તળેટીમાં રાજધાનીમાં રહ્યો. લે. ૨૬ મહારાજા શર્વ નામના નાના રાજાના રાજ્યમાં હતો ત્યારે તેને પુત્ર જન્મે, અને તેનું નામ મહારાજા શર્વ રાખ્યું. . ર૭-૨૮ જોષીએ તે પુત્રનું બહુ જ ઉજવળ ભવિષ્ય ભાંગ્યું. આ પુત્ર તે અમેઘવર્ષ અને રાજધાની તે શ્રીભવન હોવી જોઈએ એમ બીજું તામ્રપત્રો ઉપરથી ચેકસ થાય છે. ટ્યો. ૨૯ ગવંદના બીજાં બે બીરૂદ પ્રભૂતવર્ષ અને જગનંગ આપેલાં છે. . ૩૦-૩૨ ત્યાંથી ઉપડી દક્ષિણ તરફ પ્રયાણ કરી દ્રવિડ રાજા કેરલ, પાંડય, ચેલ અને ૫૯લવ વિગેરેને હરાવ્યા. તેમ જ કલિંગ, મગધ અને ગુર્જર રાજાઓને હરાવ્યાનું પણ લખ્યું છે. લે. ૩૩ બંડ ખેર કેટલાક ગાંગ રાજાઓને કેદ કર્યા અને હણ્યાનું પણ વર્ણન છે. હેલાપુરમાં રહીને તેણે લંકાના રાજાને નમાવ્યો. તેને રાવણનાં બે પૂતળાં મળ્યાં જે શિવના મંદિર આગળ કાંચીમાં જયસ્તંભ તરીકે ઉભાં કરાવ્યાં. આ હેલાપુર તુંગભદ્રા પાસે હતું તેથી માઈસેરના હસન પરગણાનું વેલાપુર અથવા એલર હોઈ શકે. લો. ૩૫-૩૬ ગોવિન્દ ૩ જ ગુજરી ગયા બાદ તેને દીકરા અમેઘવર્ષ ગાદીએ આવ્યા. . ૩૭–૪૧ અમેઘવર્ષ ગાદીએ આગ્યા પછી સામન્ત, સચિવ અને સ્વબાએ હુલ્લડ ઉઠાવ્યું. પરંતુ આર્ય પાતાલમલની મદદથી તે શમાવી દીધું. આ પાતાલમલ કેરું તે ખબર નથી. શ્રવણ બળગેળાના હોખમાં રાષ્ટ્રકૂટ ઈંદ્ર ૪ થાને સમકાલીન વજજલદેવને ભાઈ પાતાલમલ આવે છે પણ તે અમેઘવર્ષથી ઘણા કાળ પછી છે. શ્લોક ૪૭ લોકોને ઉપદ્રવ શાંત કરવા માટે રાજા કે જેને આંહી વીર નારાયણ કહે છે તેણે પિતાની ડાબી આંગળી કાપીને મહાલક્ષમીને અપણ કરી. આ મહાલક્ષમી તે કેલહાપૂર માંની દેવી હોય એવો સંભવ છે. લેક ૪૦ ગુપ્તરાળ કરતાં અમેઘવર્ષ ચઢીયાતા હતે એમ બતાવ્યું છે. ઐતિહાસિક સાધનની મદદથી એમ અનુમાન થઈ શકે કે આ ગુપ્ત રાજા સ્કંદગુપ્ત વિક્રમાદિત્ય હોય. દાનમાં આપેલું ગામ ઝરિવલિકા સંજાન ચાવીસી માં આવેલું વર્ણવ્યું છે. તેની સીમા નીચે મુજબ છે; પૂર્વ કલ્યુવી નદી દક્ષિણે ઉપલડુથ્થક નામનું ગામડું પશ્ચિમે નcગ્રામ અને ઉત્તરે ધન્નવલિકા નામનું ગામડું આવેલું હતું. આ બધાં સ્થળો નીચે મુજબ અત્યારે પણ મળી આવે છે. સંજન તે અત્યારે પણ તેજ નામે મશહુર છે. ઝરિવલ્લકા તે ઝરેલિ, કલ્લવી તે કાલ નદી અગર દાટો નામે ઓળખાય છે. ઉ૫લહથ્થક તે ઉપલાટ, નન્દગ્રામ તે નન્દનગાંવ અને ધનવલિકા તે ધાનેલી છે. મુંબઈ સર્વે શીટ નં. ૧૩૩ છે અને ૧૩૪ માં આ બધાં ગામે આપેલાં છે. Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy