________________
अमाधवर्ष १ लाना संजानना ताम्रपत्रा શરૂવાતમાં એ પછી ચાલુ મંગળાચરણનો લેક છે. ત્યારપછીના કલેકમાં વીરનારાયણની સ્તુતિ છે. નારાયણુમાં વંશત્પાદક નારાયણને જ નહીં, પણ અમેઘવર્ષનું તે બીરૂદ હોવાથી તેને પણ ઉલ્લેખ હશે. કલોક. ૩-યદુવંશમાં પૂચ્છકાજનો દીકરો ગોવિંદ હતો. આ ગોવિંદ મા ખેટના રાષ્ટ્રકૂટવંશને ગોવિદ ૧ લે સમજો. ક. ૪-૬ તેના પછી કર્ક ગાદીએ આવ્યો. લૈ. ૭ તેના પછી ઇંદ્રરાજ થયે ખેટકના ચાલુક્યની દીકરી રાક્ષસવિવાહથી પર હતે. ખેડા( ખેટક )ના ચાલુકય એટલે કે બાદામિમાં રાજ્યકર્તા ચાલુયની શાખા ગુર્જર ચાલુકય સાથે ઇન્દ્રરાજ આખડ હતું, એમ આ ઉપરથી સમજાય છે. શક ૬૭૯(૭૫૭ ઈ. સ. )નાં આન્ગોલી ચારોલી( સુરત પરગણામાં )ના તામ્રપત્રમાં રાષ્ટ્રકુટની વંશાવળી નીચે મુજબ છે, ( ૧ ) કર્ક, (૨) તેને દીકરો ધ્રુવ, ( ૩ ) તેવા દીકરો ગોવિદ, (૪) તેને દીકરે કે બીજે. આને મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમ ભટ્ટારક ઇત્યાદિ કહેલ છે તેથી અનુમાન થાય છે કે ૩ જો અને ૪ છે તે દક્તિદુર્ગના પિતા ઇન્દ્રરાજની ઉપરના ગોવિંદ અને કર્ક હોય. પરંતુ જ્યારે કર્ક માટે શ. ૬૭૯ મળે છે ત્યારે સામનગઢના તામ્રપત્રમાં તેના પૌત્ર દક્તિદુર્ગ માટે શ. ૬૭૫ ની સાલ આપી છે. પણ આ સામનગઢ. નું તામ્રપત્ર દાનવિભાગમાં બનાવટી છે એમ છે. ફલીટેઝ બતાવ્યું છે અને લિપિ વિગેરે ઉપરથી પણ ડો. વી. એસ સુકથંકરે જ બનાવટી જાહેર કરેલ છે, તેથી ઉપર બતાવેલું સામ્ય બંધબેસતું આવે છે અને દક્તિદુર્ગ પહેલાં તેના પૂર્વજો દક્ષિણ ગુજરાતમાં હતા એમ પૂરવાર થાય છે. . ૮ ઇન્દ્રરાજ પછી દક્તિદુર્ગ ગાદીએ આવ્યો. . ૯ તેણે ઉજજનમાં હિરણ્યગર્ભવિધિ કરી ત્યારે ગુર્જર અને બીજા રાજાઓને પ્રતિહાર બનાવ્યા. ઈલોરાના દશાવતારની ગુફાના લેખમાં દન્તિદુર્ગને મહારાજ શર્વ લખ્યો છે અને તેણે ઉજનમાં મહાદાન કર્યાની હકીક્ત પણ આપેલ છે. આ ઉપરથી એમ પણ સમજાય છે તે પ્રતિહારનામે ગુર્જર વંશ ઉજજનમાં તે વખતે રાજ કરતો હતે. તેથી પ્રતિહારવંશના રાજાઓ મહદય( કનોજ)માં વસ્યા તે પહેલાં રજપુતાનાના ભિનમાલમાં નહીં પણ ઉજજનમાં રહેતા એમ માનવાનું કારણ મળે છે. હે. ૧૦ દક્તિદુર્ગ પછી શુભતુંગ વલ્લભ એટલે કે કૃષ્ણ ૧ લો થયે. તેણે ચાલુક્યની સત્તા છીનવી લીધી એમ લખ્યું છે. કેલો. ૧૨ તેના પછી પ્રભૂતવર્ષ એટલે કે ગોવિંદ બીજે થયો અને ત્યારપછી ધારાવર્ષ એટલેકે ધ્રુવ થયે, લે. ૧૪ ધ્રુવે ગંગા અને યમુના વચ્ચે નાસતા ગૌડરાજાનાં છત્ર વિગેરે પડાવી લીધાં હતાં. ધ્રુવનો સમકાલીન થઈ શકે એ ગૌડરાજા પાલ વંશને ધર્મપાલ અગર તેને પિતા ગોપાલ હોઈ શકે. તે વંશના લેખો ઉપરથી જોઈ શકાય છે કે ગોપાલ કાંઈ તેવો પરાકમી ન હોતે તેથી ધર્મપાલને આ ઉલ્લેખ હશે. પોતાના રાજ્યની બહાર તેની હાર થઈ તેથી એમ અનુમાન થાય છે કે કદાચ કનાજના રાજાની મદદે તે ગયે હોય. વડોદરાના તામ્રપત્રમાં ધ ગંગા અને યમુના વચ્ચેનો પ્રદેશ જિત્ય એમ લખેલ છે તેનાથી ઉપરના અનુમાનને ટેકો મળે છે. તે પ્રદેશ કનોજના રાજ્ય સાથે મળતો આવે છે, અને એમ લાગે છે કે વત્સરાજને હરાવીને પ્રવ ઉત્તર તરફ વધતો હશે ત્યારે ગૌડરાજા મદદે આવ્યા હોય તેને પણ હરાવી તેનાં છત્ર વિગેરે પડાવી લીધાં. શ્લો. ૧૫ ધ્રુવની કીર્તિ સ્વર્ગમાં પહોંચ્યાનું એટલે કે તે સ્વર્ગસ્થ થયાનું લખ્યું છે પ્લે. ૧૬ ધ્રુવને નિરૂપમને ઈલકાબ હતો અને તેને દીકરો ગોવિંદ ૩ ને ગાદીએ આવ્યો કે તરત ખંડીયા રાજાઓને કેટલાકને તેની ગાદી પાછી આપી અને મંત્રોની સલાહ વિરૂદ્ધ તેના બાપે કેદ કરેલ ગાંગ રાજાને છોડી મૂકો. ક. ૧૭, ૧૮, પિતાના મોટા ભાઈ રણુવલેક કંભદેવની ઉશ્કેરણીથી બાર ખંડીયા રાજા સાથે તેને ગાદીએ બેઠા પછી તરત લડવું પડયું હતું. ગાંગ રાજાએ ખંડણી આપવાની ના પાડી તેથી ફરી કેદ કરવામાં આવ્યો.
૪ ઈ. એ. વ. ૧૧ પા. ૧૧૦ * એ. ઈ. વ. ૧૪ પા. ૧૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org