________________
નં૧૩૦ અમેઘવર્ષ ૧ લાનાં સંજાનનાં તામ્રપત્રો
શ. ૭૯૩ પૌષ માસ આ પતરાં મુંબઈ ઇલાકાના થાણું પરગણામાંના સંજાન ગામમાંથી કઈ પારસી ગૃહસ્થને મળ્યાં હતાં અને તેણે પ્રો. શ્રીધર ભાંડારકરને આપેલાં હતાં. તેણે જ, બે છે. ૨. એ. સો . ૨૨ પા. ૧૧૬ મે તેમાંના બે લેક ઉપર નોટ પ્રસિદ્ધ કરી હતી. તેમાં બતાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રકૂટ રાજા ગોવિદ ત્રીજે, પ્રતિહાર રાજા નાગભટ, કનાજને અધિપતિ ચકાયુધ અને ગૌડ ૨ાજા ધર્મપાલ આ બધા સમકાલીન હતા. રાષ્ટ્રકુટ અમોઘવર્ષનું આ પહેલામાં પહેલું પ્રમાણ ભૂત તામ્રપત્ર છે.
પતરાં ત્રણ છે અને તે દરેક ૧૮ ઇંચ લાંબું અને ૧૦y ઇંચ પહોળું છે, કે જરા જાડી રાખેલી છે, તેથી લખાણનું રક્ષણ થાય છે. પહેલું અને ત્રીજું અંદરની બાજુએ જ અને બીજું બન્ને બાજુએ કેતરવામાં આવેલું છે. પતરાં મજબુત લંબગોળ કડીથી બાંધેલાં છે. કડી ઝૂ ઇંચ જાડી છે અને તેને વ્યાસ ૪” અને ” છે. પતરાંને એક બાજુ કાણાંમાંથી કડી પસાર થાય છે. કડીના છેડા રેવેલા છે અને તે ઉપર ચરસ સીલ છે જે ૧ ઇંચ ઉંચી અને પહોળી છે. સીલમાં ગરૂડની મૂર્તિ છે અને તેના બન્ને હાથમાં સર્ષ છે. ગરૂડના કાનની ઉપર બે તક્તીઓ છે પણ તે શું છે તે કપી શકાતું નથી. ગરૂડની જમણી બાજુ ઉપરને ખૂણે ગણપતિ અને નીચેના ખૂણે પછી અને દીવે છે. ડાબી બાજુ એ ઉપરના ખૂણે દેવી છે જે સિંહની પાસે ઉભેલી છે અને જમણા હાથમાં સૂવે છે. તેની નીચે પીછી છે અને તળે સ્વસ્તિક છે. વચમાં નીચે જમાવવિશ્વ એ અક્ષરો છે.
કેતરકામ સ્પષ્ટ અને સાદી રીતે કરવામાં આવેલ છે. પણ મુસદ્દામાં ભૂલ હશે તેથી પતરામાં પણ ભૂલો ઘણી છે. અક્ષરે રાષ્ટ્રકૂટના બીજા લેખના અક્ષરોને મળતા આવે છે. ભાષા આખા લેખમાં સંસ્કૃત જ છે. શરૂવાતના ઝું અને સ્વરિત બાદ કરીએ તે બાકીને લેખ પં. પ૭ ( ત્રીજા પતરામાં) સુધી બધે પદ્યમાં છે. કલેક ૨૩ અને ૩૬ ના છંદ મત્તેવિકીડિત છે, જે સાધારણરીતે સાહિત્યમાં જોવામાં આવતું નથી.
આ લેખના કેટલાક ફેકો પ્રો. કીલહેર પ્રકટ કરેલ અમોઘવર્ષના કેન્ગરના લેખના શ્લોકો સાથે મળતા આવે છે. આ લેખના ૨, ૩, ૬, ૮, ૧૦-૧૨, ૨૭, ૨૯, ૩૬, ૪પ અને ૫૦-૫૩, તેના ૨ થી ૧૫ લેકની સાથે મળતા આવે છે.
રાષ્ટફટ રાજા અમોઘવર્ષે આ દાન કરેલ છે અને તેને . ૫૭-૫૮ માં પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર જગતુંગદેવના પાદાનુધ્યાત, પરમભટ્ટારક મહારાજાધિરાજ, પરમેશ્વર પૃથિવીવલ્લભ, વલભનરેન્દ્રદેવ એમ વર્ણવ્યા છે. અમેઘવર્ષ પિતાની રાજધાની માન્યપેટમાં રહેતો હતો ત્યારે શક સં. ૭૯૩ માં બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિતર્પણ ક્ષિા માટે સંજાન પાસેની ચોવીસીમાંથી ઝરિવલિકા ગામ ચાર બ્રાહ્મણને આપ્યાની હકીકત તેમાં છે. દાન લેનાર બધા બ્રાહ્મણો બહુવૃચ શાખાના છે. તેમાંના બે (૧) સાવિકૃવારના પૌત્ર અને ષડંગવદ ગેલને દીકરો નરસંહ દીક્ષિત અને (૨) ભટ્ટનો પૌત્ર ગોવિંદ ભદ્રને દિકરો કમવિદુ રક્ષાદિય ભરદ્વાજ ગોત્રના હતા. ત્રીજે દાવંડ ગયિસડાસને પૌત્ર વિણભટ્ટરો દીકરો થઇંગવિન્દ્ર ત્રિવિકમ વમુખ ગોત્ર હતો અને એથો હરિભટ્ટને પૌત્ર ગેવાદિત્યભટ્ટને દીકરે કેશવ-ગહિયસહાસ વત્સ ગોત્ર હતું. તે બધા કરહાડ પરગણાના હતા અને કદાચ કરવાડા બ્રાહ્મણ હશે.
૧ એ. ઈ. વ. ૧૮ પા ૨૩ ૫ . આર. ભાંડારકર ૨ એ. ઈ, . ૧ પા. ૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org