________________
राष्ट्रकूट राजा ध्रुव ३ जानुं भम्चनुं दानपत्र
મહા સામંતનો અધિપતિ શ્રી ધવરાજ દેવ ધારાવર્ષ જેણે મહાશબ્દની પ્રાપ્તિ કરી હતી તે રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુક્તક, નિયુક્તક, આધિકારિક, વાસાપક, મહત્તર આદિને તેમના સંબંધ અનુસાર આ શાસન જાહેર કરે છે - તમને જાહેર થાઓ કે આ લોક અને પરલાકમાં મારાં માતા પિતાના અને મારા યશની વૃદ્ધિ અર્થે મેં આપ્યું છેઃ
() એક ધનવાન અને વસ્તીવાળા વિષયમાં, ભદ્રપલીમાં અવર્યુ-( વેદ ) સબ્રહ્મચારી, જનને સુખ આપનાર શ્રીદે નામને પ્રસિદ્ધ બ્રાહ્મણ હતું, જે વારંવાર રાંધેલું અન્ન આદિ દાન દેતા, તેથી અર્થિજનેને ઉદર પિષણ માટે દુકાળમાં પણ ચિંતા હતી નહી. | ( ૪૫ ) તેણે ધવરાજ દેવ પાસેથી ચેન્ના ગામ પ્રાપ્ત કરી, સર્વ સજજનના શ્રેય માટે તેણે સત્ર સ્થાપ્યું. તેના ગૃહમાં સહસ્ત્ર બ્રાહ્મણે અને રાજવંશી જને નિત્ય ભજન કરતા.
તેને પુત્ર નેત્રય સત્રને અધિપતિ હત–
તેના લાક્ષાયણ ગોત્રના, જોજિભા નામના પુત્રને, કર્માન્તપુર સાથે જોડાએલાં ૧૧૬ ગામ મધેનું પારાહણક ગામ આપ્યું છે. તેની સીમા –પૂર્વ કચ્છીરવલિકા; દક્ષિણે ના આહારમાંનું ખોરાછક ગામ અને જેણુન્ધા ગામઃ પશ્ચિમે મટ્ટક નામવાળું બ્રાહ્મણનું ધામઃ ઉત્તરે મોઈ વાસકગામ. ઉપર કહેલી સીમાવાળું આ ગામ ભક્તિથી ( શ્રદ્ધાથી ) ઉદ્વેગ સહિત, ઉપરિકરસહિત, સીમાપત વૃક્ષની હાર સહિત, દશ અપરાધનાં કાર્યોનો નિર્ણય અને દડની સત્તા સહિત, ઉદભવતી વેઠના હક સહિત, સુવર્ણ અને અન્નમાંની આવક સહિત, સૈનિકોના પ્રવેશ મુક્ત, રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણુમુક્ત, ભૂમિછિદ્રના ન્યાય અનુસાર, પૂર્વ દે અને દ્વિજોને કરેલાં દાન વર્જ કરી, પુત્ર, પૌત્રો અને વંશના, ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતોના અસ્તિત્વ કાળસુધી ઉપભેગ માટે શક નૃપના સમય પછી સંવત ૭૮૯, જેષ્ઠ, અમાસને સૂર્યગ્રહણ સમયે ભુગુકચ્છમાં, નર્મદા નદીમાં, મૂલસ્થાન તીર્થમાં ૨નાન કરી પૂર્વોક્ત સત્રના નિભાવ માટે, બલિ, ચ, વિશ્વેદેવ, અગ્નિહેાત્ર આદી વિધિ અનુષ્ઠાન માટે પાણીના અર્ધથી આપ્યું છે, જેથી કઇ પણ પ્રતિબંધ કરશે નહીં ... ... ...
(૫૮) યુદ્ધમાં શત્રુઓને પરાજય કરનાર ધારાવર્ષના અનુજ, શ્રી શુભતુગના પુત્ર શ્રી ગવિદરાજે તેના ભાઈનું રાજ્ય અચલ કર્યું. •
( ૫૯ ) જેના કે અનલની પહોળી અને ચલ જ્વાળા, ગગનમાં સ્થાન કરતા શ્રદ્ધાઆદિ દેવોએ ગજ અને અશ્વથી પૂર્ણ અરિસેના ભસ્મ કરી સંતોષ ન પામવાથી વિશ્વમાં પ્રસ૨વા આતુર છે તેવી જોઈ, તે ( ગોવિંદરાજ ) નિરૂપમથી તેને, દતક આ દાનમાં થયેલ હતો.
અને મહાસાંધિવિગ્રહીક શ્રી કલ્યાણથી આ લખાયું છે. આ મારા શ્રી અકાલપના પુત્ર શ્રી ધ્રુવરાજ દેવને સ્વહસ્ત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org