________________
गुजगतना ऐतिहासिक लेख
( ૨૮ )દાનમાં, ( Bગ્ય ) મદમાં, સદ-આજ્ઞામાં, શૌર્યમાં, અને વિકમમાં તેના સમાન અન્ય નૃપ છે કે નહીં તે જાણવાની જિજ્ઞાસાવાળો તેને યશ પૃથ્વીમાં ભ્રમણ કરે છે. | ( ર ) તરવાર મ્યાનમાંથી ખેંચનાર ખાઠના બળથી, અતિમદથી ફલાઈ ગએલા અને પરસ્પર દ્રઢ રીતે એકત્ર થઈ સ્વેચ્છા મુજબ દેશ ગ્રહણ કરનાર રાષ્ટ્રકૂટોનું મંડળ જે ઘણું દુર્થવસ્થિત હતું તે જિતી લઈ અા વર્ષના વિખ્યાત નામથી રાજ્ય કર્યું.
( ૩૦ ) તેને, પુત્ર માટે અભિલાષ રાખનારને, સદગુણી, ઉદાર, મહાપ્રતાપી, કૃતવીર્ય સમાન શૌર્યસંપન્ન અને સર્વ નુપમંડળને વશ કરનાર ધ્રુવરાજ નામને પુત્ર જન્મ્યા. | (૩૧ ) જડ ચંદ્રને અથવા કુદરતી રીતે ઠંડો છે તે હિમગિરિને, અથવા અસ્થિર પવન કે તાપથી પીડતા સ્વભાવવાળા સર્ય અથવા ક્ષાર ઉદધિને તેની સાથે સરખાવી શકાય નહીં તેથી તેને કવિઓના ગીતમાં તે નિરૂપમ કહેવાય છે
(૩૨) તે, રણના અગ્રે એકલે રહી અને વલ્લભની સેનાને નસાડી મૂકનાર અનેક શસ્ત્રના પ્રહારથી શુદ્ધ દેહથી સ્વર્ગમાં ગયે.
(૩૩) તેના પુત્ર શ્રી અકાલવર્ષ સર્વ પ પાસેથી યશ હરનાર, જેને યશ સ્વર્ગમાં પણું ગયે હતા તે તેના વંશને આધાર હતો.
(૩૪) તેણે કે જેના દુષ્ટ અનુજીવીઓ નિમકહરામ(રાજદ્રોહી) હતા તેણે વલ્લમની સેનાથી ચઢાઈ થએલું નિજ પિતાનું સામ્રાજ્ય સત્વર પાછું મેળવ્યું.
( ૩ ) શeતંગ વાણીમાં મૃદ, સત્યપરાયણ, શ્રીમાન, અનુજીવિનામાં પ્રેમાળ, મદવાળા અરિને ભય સમાન હતું અને મિત્રોનું શ્રેય કરનાર હતા.
(૩૬) જ્યારે તે ધમાં નૃપે સ્વર્ગમાં ગમે ત્યારે સગુણમાં પ્રીતિવાળો, ધ્રુવરાજ સરખે ધમ, ધ્રુવરાજ પૃથ્વીને પ્રસન્ન કરતો.
( ૭ ) તેને (યુદ્ધ) માટે સામે ત્વરાથી મળવા આવતી પ્રબળ ગૂર્જર સેના, શત્રુ વલ્લભ પ્રતિપક્ષી થએલા બધુજને, અને અનુજના દગા તે સર્વ તેના ભયથી શાંત થઈ ગયાં. અહો ! નિરૂપમ નુપ? તારિ અસિને ચમત્કાર અદ્દભુત હતો.
(૩૮) તેણે એકલાએ જ સહેલાઈથી યુદ્ધ માટે તૈયાર ગૂર્જરનું બલવાન સૈન્ય જે તેના બધુ જનેથી પુનઃ ભરપૂર હતું તેને નસાડી મૂકયું
( ૩૯ ) શુભતંગને પુત્ર અતિ ઉચ્ચ પદ પામ્યું તે કંઈ અદ્દભુત નથી. કારણકે હમણાં જ લિત થઈ, દાન અને શૌર્યથી સર્વથી ઉચ્ચ યશ તેણે પ્રાપ્ત કર્યો. | ( ૪૦ ) નિજ બાહબળથી પ્રાપ્ત કરેલું રાજ્ય તેના સેવકોને વહેંચી તેણે શત્રુઓને ભય ઉત્પન્ન કર્યો અને અભિલાષ પ્રમાણે દીનને અને અર્થ જનોને લક્ષમી આપી.
( ૪૧ ) મિહિરને શ્રી સાથે ચોગ હતો અને તે ઉમદા બધુજનના મંડળથી આવૃત હતો. તેણે પરાક્રમથી સર્વ દેશ જિતેલા હતા, છતાં પરાજયના તિમિરથી ઢંકાએલા મુખ સાથે તે, ધારાવર્ષનો પ્રતાપ નિજ પ્રતાપ કરતાં અધિક જોઈ અદ્રશ્ય થઈ ગયા. કેટલા તેજહીન, દુષ્ટ અને દીનજને પૃથ્વી પર તેની આગળ નષ્ટ નથી થતા ?
( ૨ ) પૃથ્વી સગર આદિથી પૂર્વ રક્ષિત હતી છતાં નિજ પૂર્વજોના કરતાં અધિક ગુણસંપન્ન પ્રિય પ્રીતમની પ્રાપ્તિ થઈ ત્યારે જ તેના મનોરથ પૂર્ણ થયા હતા તેથી આનંદ પામી.
(૪૩) જીવિત પવન અને વિદ્યુત સમાન ચંચળ અને અસાર છે એમ માની આ મહાન ધર્માદાન તેણે આપ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org