SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ન ૧૨૯ રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવ ૩ જાનું ભરૂચનું દાનપત્ર શક સંવત ૭૮૯ જ્યેષ્ઠ અમાવાસ્યા. નીચે આપેલું દાનપત્ર ગાયકવાડની હદમાં બગુમ્રા( જીલ્લા બેલેસર )માં કેટલાંક બીજા જૂના અને નવા લેખો સાથે એક ખેદકામમાંથી મળી આવ્યું હતું. મારા જૂના મિત્ર રાવસાહેબ મેહનલાલ આર. ઝવેરી જે સુરતના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર હતા, તેમણે આ તરફ મારું ધ્યાન ખેંચ્યું હતું અને મારા માટે કેટલાંક પતરાં ખરીદ્યાં હતાં. આ દાનપત્ર ત્રણ મજબૂત પતરાં ઉપર લખેલું છે. તેનું માપ ૧૨”x૧૦ ઇંચ નું છે. તે રાઠોડનાં શાસનના રિવાજ મુજબ પતરાંની ડાબી બાજુએ પાડેલાં કાણાંમાંથી પસાર કરેલી એક મજબૂત કડી વડે જોડેલાં છે. ત્રીજું અને પહેલું પતરું અંદરની બાજુએ જ કોતરેલું છે. કડી ઉપર રાઠોડની હંમેશની મુદ્રા-કમળ ઉપર બેઠેલી હાથમાં સર્પ રાખેલી શિવની મૂર્તિ છે. પતરાં એકંદરે સુરક્ષિત છે, જે કે કાટને અંગે ક્યાંક ક્યાંક થડા અક્ષરો નાશ પામ્યા છે. પહેલા પતરાના નીચેના જમણા ખૂણામાંથી એક ત્રિકણ કડક ભાંગી ગયા છે, પરંતુ તે પણ સાચવામાં આવ્યો છે. અક્ષરો કુશળતાથી કતરેલા છે. એકંદરે તે દક્તિદુર્ગનાં સામનગઢનાં શક સંવત ૬૭૫ નાં પતરાંને બહુ મળતા આવે છે, પણ કેટલીક રીતે વધારે આધુનિક આકારના જણાય છે. લેખવાંચન વિદ્યાની દૃષ્ટિએ જોતાં આ શાસન બહુ ઉપયોગી છે, કારણ કે સાહિત્યની અગર કાયસ્થ-નાગરી લિપિ બતાવતું ગુજરાત રાઠેડનું આ જાનામાં જાનું દાનપત્ર છે. કર્ક ૨ જાનાં વડોદરાનાં પતરાંમાં અને ગોવિંદ ૪ થાનાં કાવીનાં શક સં. ૭૪૯ નાં પતરાંમાં હજી જૂની ગુજરાતની. લિપિનું અનુકરણ કરેલ છે. વળી ગેવિંદ ૩ જાનાં રાધનપુર અને વન ડિડેરિ દાનપત્રોમાં ખરા કાયસ્થ અક્ષરો સાથે જોવામાં આવે છે તેવાં પ્રાચીન રૂપ આમાં જ્યાંત્યાં જોવામાં આવતાં નથી. દાનપત્રની શબ્દરચના બીજા રાષ્ટ્રટ શાસનને બહુ મળતી આવે છે. અને વંશાવળીના જે ભાગે પહેલાંના રાજાઓ વિષે છે તે કાવી વડેદરા અને સામનગડનાં પતરાંને અક્ષરશઃ મળતા આવે છે. આપણુ દાનપત્ર પ્રમાણે રાષ્ટ્રકટ વંશાવળી નીચે પ્રમાણે છે: એ. દક્ષિણ વંશ. ૧ ગાવિંદ ૧. ૨ ઠક્ક ૧. ૫ કૃષ્ણ શુભતું. ૩ ઇંદ્ર ૧. ૪ દક્તિદુર્ગ વલભ. ૬ ગોવિંદ ૨, વલભ. ૭ ધ્રુવ 1. ૧ ઇ. એ. વો. ૧૨ પાનું. ૧૭૯ ડે. બ્યુલન્ડર અને ડે. ઈ. હુશ, ૨ અહિં નોંધ કરેલા દાનનાં અસલ પતરાં વિનાના ઓરીએન્ટલ મ્યુઝીયમને ભેટ કરવામાં આવશે, અને ત્યાં જોવા માટે ખુલ્લાં રખાશે. છે. ' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy