________________
૭૨
गुजरातना ऐतिहासिक लेख સગાત્ર અને વાજિ માધ્યન્દિને સબ્રહ્મચારી, અને ( તેના પિતાના મૃત્યુ પછી) શ્રી ગોવિન્દ્રરાજ તરફથી રાજ જોશીને શબ્દ પ્રાપ્ત કરનાર, યેગને, કાશડ વિષયમાં, પશિલાવિહિલ ગામ જેની સીમા –પૂર્વે વેહિ નદી; અને રીવદ્રક ગામ; દક્ષિણે-ચતુઃસરી ગામ; પશ્ચિમે–તસિલાવલિ ગામઃ ઉત્તર-વિહુચવલિ ગામ. આ ગામ તેની ચાર સીમા સહિત, ઉદ્વેગ સહિત, ઉપરિકર સહિત, દશ અપરાધની શિક્ષા અને દંડની સત્તા સહિત, ભૂતવાત પ્રત્યાય સહિત, વેઠ સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, ચાટ અને ભટના પ્રવેશ મુકત, રાજ પુરૂના હસ્ત પ્રક્ષેપણુ મુક્ત, ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતના અસ્તિત્વકાળ સુધી પુત્ર પૌત્ર અને વંશજોના ઉપગ માટે, પૂર્વે મંદિરો અને દ્વિજોને કરેલાં દાન વર્જ કરી–ભક્તિ થી શકતૃપના કાળ પછી સં. ૭૫૭ કાર્તિક શુદિ ૧૫, કૃત્તિકામાં જે મહાન દિને પૂર્ણ ઇન્દુ હતું તે દિને સ્નાન કરીને, આજે, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, અને અતિથિ સત્કારના પંચમહાયજ્ઞના અનુષ્ઠાન અર્થે, પાણીના અર્થથી આપ્યું છે. | ( પંક્તિ. ૩૮ ) આથી જ્યારે તે બ્રહ્મદાય અનુસાર ( આ ગામને ) ઉપભેગ કરે, ઉપભેગ કરાવે, ખેતી કરે, કે ખેતી કરાવે, અથવા અન્યને સંપે, ત્યારે કેઈએ પ્રતિબંધ કરે નહિ. અને અમારા વંશના કે અન્ય ભાવિ નૃપે ભૂમિદાનનું ફળ સર્વ નપને સામાન્ય છે અને રાજ્યશ્રી વિદ્યુત સમ ચંચળ છે, અને જીવિત તૃણાગ્ર પરના જળબિંદુ સમાન અસ્થિર છે, એમ વિચારીને આ અમારા દાનને પિતાના દાન સમાન ગણવું, અને અનુમતિ આપવી. અને અજ્ઞાનના ઘન તિમિરથી આવૃત થએલા ચિત્ત વડે, જે કઈ આ દાન જપ્ત કરશે અથવા જતિમાં અનુમતિ આપશે, તે પંચમહાપાપ અને અલ્પ પાપને દોષી થશે.
(પંક્તિ. ૪૪) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે–ભૂમિદાન દેનાર, સ્વર્ગમાં, ૬૦ હજાર વર્ષ વસે છે પણ તે જપ્ત કરનાર, કે તેમાં અનુમતિ આપનાર, તેટલાંજ વર્ષ નરકમાં વાસ કરે છે. ભૂમિદાન જપ્ત કરનાર વિંધ્યા પર્વતના નિર્જલ વનમાં શુષ્ક વૃક્ષને કેટરમાં વસતા કાળા સર્ષે જન્મે છે. સુવર્ણ અગ્નિનું પ્રથમ બાળ છે; પૃથ્વી વિષણુની છે, ધેનુ સૂર્યની પુત્રીઓ છે. સુવર્ણ, ધેનુ અને ભૂમિ દેનારથી ત્રિભુવન દેવાશે. સગરથી માંડીને ઘણુ નુએ પૃથ્વીનો ઉપભોગ કર્યો છે. જયાં સુધી જે નૃપ ભૂમિને પતિ, ત્યાં સુધી તેને દાનનું ફળ છે, નપથી પૂર્વે થએલાં પુણ્ય, લકમી અને યશના ફળવાળાં દાન જે દેવને આહતિ સમાન કે ઉલટી કરેલા અન્ન સમાન છે તે કયે સુજન પુનઃ હરી લેશે ? નૃપમાં શ્રેષ્ઠ, હે નૃપ ! તારાથી કે અન્યથી અપાએલી ભૂમિને સંભાળથી રક્ષણ કર. ભૂમિનું રક્ષણ દાન કરતાં અધિક છે. આથી રાજ્યશ્રી અને જીવિત કમળપત્ર પરના જળબિંદુ સમાન ચંચળ છે એમ વિચારીને, વિમળ મનના અને નિગ્રહવાળા જનેએ અન્યના યશને નાશ કરવો નહિ.
(પંક્તિ. ૫૩) આ દાનને દૂતક શ્રી દેવરાજ છે, અને શ્રી દુર્ગભટના પુત્ર સંધિવિગ્રહિક શ્રીનારાયણથી લખાયું છે.
( પંકિત ૫૪) ઉપરનું લખેલું, મારી શ્રી કર્ક રાજદેવના પુત્ર શ્રી ઘવરાજદેવની ઈચ્છાથી છે.
કરે છે. ભૂમિદ
સુવર્ણ અ
સરથી ત્રિભુવન જેવા
સાંસુધી તેને ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org