SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख દાનપત્રમાં તેનું નામ ન હોવાથી પ્રોફેસર બુહરનું અનુમાન ચોક્કસ થાય છે કે, તેણે રાજ્ય પચાવી પાડ્યું હતું અને તેથી કર્ક ૨ જાના સીધા વંશજોએ એની દરકાર કરી ન હતી. અમોઘવર્ષ, (શ્લેક ૧૦) એ, કર્ક ૨ જાનું ઉપનામ નથી, પણ તેના પિત્રાઈ અને ખંડીયાઓને રાજા શ(શક ૭૩૬–૯)નું છે. તે રાષ્ટ્રકૂટને સીધે વંશજ હતે. બળવાર રાષ્ટ્રકટ” ને અર્થ હું ગોવિંદ ૪ થે અને તેના અનુયાયીઓ કરૂં છું, અને કર્ક ૨ જાએ શર્વની મદદથી એ રાજ્ય પચાવી પાડનાર ગેવિન્દ ૪થાને હરાવીને ફરીવાર શર્વના ખંડીયા તરીકે ગુજરાત ઉપર સત્તા જમાવી, જેવી રીતે તેણે પહેલાં ગેવિંદ ૩ જાના ખંડીયા તરીકે રાજય કર્યું હતું. અહિં સુધી, કર્ક ૨ જે ધવ ૨ જાને પિતા હતે, એવું મેં માની લીધેલું છે. લેખ નં. ૩ મુજબ, ઈન્દ્ર ૩ જાને ઉત્તરાધિકારી તેને પુત્ર કર્ક ૨ ને આવ્યા હતા, અને તેને ઉત્તરાધિકારી કર્ક ૩ છે અને ત્યાર પછી તેને પુત્ર ધ્રુવ ૨ જે આવ્યો હતે. લેખ નં. ૧ અને ૪ માં કર્ક ૨ જાનું નામ આપ્યું નથી, પણ કર્ક ૩ જાનું નામ આપ્યું છે. પરંતુ ધ્રુવ ૨ જાના દાનપત્રને લેખક અધિકારી તેના દાદાના નામથી અજાણ્યો હોય એ અસંભવિત છે. એટલે નં૦ ૩ ને લેખકે કર્ક ૨ જાના વર્ણનના શ્લોકો બે જાદા દાનપત્રના નમુનાઓમાંથી લીધા હશે એમ માનવું પડે છે. આ નમુનાઓમાંથી પહેલો નમુન જે નં. ૧ માં સંપૂર્ણ આપે છે, તે રાજ્ય પચાવી પાડનાર ગાવિદ ૪ થાના સમયમાં લખાયો હતો, અને તે પહેલાંના રાજાઓની જુદી જુદી વંશાવળીઓ ઉપરથી તૈયાર કર્યો હતો. બીજો નમુને, જેના પહેલા અને છેલા લેકે આ નવીન લેખ તથા લેખ નં. ૪ માં આપ્યા છે, તે ગેવિંદ ૪ થાના પરાજય પહેલાં લખાયે હોઈ શકે નહીં. કર્ક ૨ જાને શક છ૩૪ ને વડોદરાને લેખકે આ બન્ને કરતાં જુદે ત્રીજો નમુને આપે છે. અને તે કર્ક ૨ જનાં રાજયના પ્રથમ ભાગની તારીખને છે. ઉપરનાં કારણેને લીધે, કર્ક ૩ જાનું નામ ગુજરાતના રાષ્ટ્રકટેના લિસ્ટમાંથી કાઢી નાંખવું જોઈએ. - ધુવ ૨ જાએ, તેના પત્ર ધ્રુવ ૩ જાની માફક, ધારાવર્ષનું ઉપનામ ધારણ કર્યું હતું. આ દાનપત્ર તેણે કહ્યું ત્યારે તે શ્રી ખેટક નજીક સર્વમડલા સત્તામાં રહેતો હતે. ખેટક એ હાલનું ખેડા છે." આ મુજબ, લાટ પ્રદેશ, જેના ઉપર ગુજરાતના રાષ્ટ્ર રાજ્ય કરતા હતા, અને જે ગોવિંદ ૩ જાએ ગુર્જરા પાસેથી લઈ તે પિતાના નાના ભાઈ ઈન્દ્ર ૩ જાને આપ્યો હતો,તે ઉત્તર દિશામાં શેરી નદી સુધી અને દક્ષિણમાં તાપીના દૂરના કિનારા સુધી પ્રસરેલ હતે. મારી પાસેનાં સાહિત્યથી, આ દાનપત્રમાં જણાવેલાં બીજાં સ્થળે ઓળખાવવા હું સમર્થ નથી. દાનપત્રની છેલ્લી બે પંક્તિમાં રાજાની સહિ છે તે ધ્યાન દેવા લાયક છે. તે દક્ષિણ હિંદના મૂળાક્ષને મળતા ચાલુ હરતાક્ષરમાં છે. અને બાકીના લેખમાં વપરાએલા પુરાતન અક્ષરેથી સદંતર જુદી પડે છે. ૧ જુઓ ઉપરનું છે. ૧૨ પા, ૧૮૦. ૨ જુઓ. . ૧૨ પા. ૨૧૬ , ૧૩ પા, ૧૩૩ ૩ . ૧૨ પા. ૧૫૮ ૪ ઈ. એ. જે. ૧૨ પા. ૧૫૬ ૫ જુઓ ઈ. એ. જે. ૧૦ પા. ૨૭૮ ૬ આથી આપણે, પડિત ભગવાનલાલ ઈન્દ્રછની બુદ્ધિશાળી ધારણા પ્રમાણે જેની છેલ્લી તારીખ સંવત ૪૮૬ (ક્યા સમયની તે અજ્ઞાતછે) ઈ. સ. ૭૭૬ ને મળતી છે તે ગુર્જરવશ વિષે સમજવાનું છે. આ કદાચ ગેવિદ ૩ જા પડેલાં છ* વર્ષ લગભગ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy