SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ कावीनुं गोविन्दराजर्नु दानपत्र (૨૮) ત્યારે મંડળ સહિત તે સર્વેને નાશ કરી તે મહાશબ્દ જે મહાન યુદ્ધમાં યમની અસિના પ્રહારથી ઢીલા થઈ ગયા હતા તેઓને મજબુત બાંધ્યા. શ્રીને સ્થિર અને તેના પીડાતા ગુરૂઓ, બ્રિજે, સંત, મિત્રો, અને બધુજનની સેવા કરતી બનાવી અને તેની પાસે પિતાની ઉત્તમ પ્રકાશતી ચૌરી બલથી ધારણ કરાવી. (૨૯) પણ તેને ભાઈ, ઈન્દ્રસમાન શૌર્ય અને અદ્દભુત યશવાળ શ્રી ઈન્દ્રરાજ પૃથ્વીને નૃપ થયો અને લાટેકવર મંડળ-જે તેણે જેણું બધુ પાસેથી પ્રાપ્ત કરે તેને નૃપેશ થયે, (૩૦) એકલા હસ્તે જે વિજય કર્યો અને જે સાહસમાં પ્રીતિવાળે હતું તેને સૈન્ય ફક્ત રાજચિહ્ન સમાન હતું, તે મદવાળે નપ અખિલ વિશ્વના સ્વામિ આદિદેવ, સિવાય કઈ પણ અમને નમન કરતા નહીં. (૩૧) તેને પુત્ર મહાપ્રતાપી, શાસ્ત્રના અર્થ જ્ઞાનમાં રસ લેનાર ચિત્તવાળે, અને ઉઘાડી રીતે પુરાતન સ્વસ્તિ શ્રી કર્કરાજ અને અન્ય ગૌણ નામ પરિવાર ધારનાર નૃપ હતો (૩૨) જ્યારે સારું રાજ્ય કોનું એ વિષે વિવાદપ્રસંગ ઉદભવતો ત્યારે પૂર્વે સર્વ પ્રજાની ઉન્નતિવાળું બલિનું રાજ્ય ઉદાહરણ તરીકે સામાન્ય રીતે અપાતું. હવે પૃથ્વી પર આ નૃપનું (રાજ્ય) (આપણે ઉદાહરણ તરીકે આપીએ છીએ)* (૩૩) ઈચ્છાથી અધિક વૃષ્ટિ વરસાવતે મેઘ વૃષ્ટિ કરતો અટકે ત્યારે ખેડૂતને મન જે લાગણી થાય તે તેના સેવકો પર લક્ષમી વરસાદ વરસાવનારના મૃત્યુથી તેમને (સેવકેને) થઈ, (૩૪) તેનાથી છોડેલાં અનેક શરના ચંડ પ્રહારથી યુદ્ધમાં આવેલા શત્રુગની ઘટા, કાન્ત સમયે પ્રકટતા પ્રબળ વાતથી અહીં અને ત્યાં ડેલતા મહાન પર્વતની ગતિનું અનુકરણ કરતી. (૩૫) તેને અનુજ, જેને યશ દૂર પ્રસર્યો હતો, જેણે પિતાના શત્રુઓના મંડળને પૂર્ણ પરાજય કર્યો હતો, તે વિખ્યાત નૃપાધિપ શ્રી ગોવિંદરાજ હતા. તે દાન અને વિજય માટે આ પૃથ્વી જે કે બહ ખંડ ( દ્વીપ), સાગ ૨, પર્વત, વન, અને મહાન નગરો સમાવે છે, છતાં તેના કર જેટલા અલ્પ પ્રમાણ વાળી ગણે છે. (૩૬) શત્રુ તેનાથી નાશ પામે નહતે. અથવા ક્યા અને તેની પાસેથી નિત્ય દાન મેળવ્યું નથી ? ક્યા સજજને તેની પાસેથી માન મેળવ્યું નથી અથવા કયા દુર્જને ઈજા સહી નથી ? જયારે તે નૃપ હતું ત્યારે તેના અનુજીવિઓની પત્નીઓ અલંકારથી ભૂષિત બની નહતી અને શત્રની પત્નીઓ ભૂમિ પર લેટતી નહતી ? આમ તેનાં પરાક્રમ સર્વ ચીજમાં સફળ હતાં. (૩૭) તેને શુદ્ધ અને અનેક ગુણે તેના સિવાય અન્ય સ્થાન ક િજાણતા નહતા જેવી રીતે તેની શુદ્ધ અને અસંખ્ય પત્નીએ કદિ પણ તેના સિવાય અન્ય ગૃહ દેખતી નહીં (૩૮) યુદ્ધમાં રામ સમાન પ્રરાક્રમ વાળા તેના વિક્રમની સીમાં ફક્ત વિશ્વ જાણતું. અને તે વિશ્વ, સર્વ શત્રુઓને વશ કરવા શક્તિમાન પ્રબળ કરથી પ્રાપ્ત કરેલા લીલાવાળા તેના વિજયેનું ચિત્રપટ થયું ૧ વડોદરાનાં પતરાં ઉપર આ લેકને નં. ૨૧ છે, ૨ આ લેક, વડોદરાનાં પતરાંમાં નં. ૩ છે અને ગોવિન્દરાજ, ૧ લાને લાગુ પાડે છે. ૩ આ ઑકનાં છેલ્લાં બે પદો વડેદરાના લેખના ચોથા લેકમાં આવે છે. જ્યાં વાંચન પૂર્વમ્ ને બદલે મુલ્ય છે; વડોદરા લેખમાં કર્ક રાજ ૧ લાને લગતો આ લેક છે. આ બ્લેક વડોદરાના લેખમાં પાંચમો છે, અને કાજ ૧ લાને સંબેધી છે. આ બ્લોકના અર્થ માટે પંડિત શારદાપ્રસાદને બિલકુલ ખ્યાલ ન હતો. તેથી આ પ્લેકના તેના ખોટા અનુવાદથી ગુજરાતના ઈતિહાસ માટે ઘણું જ પાયાવગરના અનુમાન ઉત્પન થયાં છે. (જુઓ કનીંગહામ–એ. જી. પા. ૩૧૭) ૫ આ બ્લેક વડોદરા પારડ માં ૯મે છે, ૬ વડોદરા પતરાંને લેક ૨૦ જુઓ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy