SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख (૧૧) જ્યારે તે વલભરાજ સ્વર્ગમાં ગયો ત્યારે પ્રજાનાં દુઃખ કાપનાર, શ્રી કર્ક રાજને પુત્ર શ્રી કૃષ્ણરાજ નૃપ થયો. = (૧૨) તે કૃષ્ણરાજનું ચરિત, જે દરમ્યાન પોતાના બાહુબળથી સર્વ શત્રુમંડળને સંહાર થયું હતું, તે કૃષ્ણ(હરિ )ના ચરિત સમાન નિષ્કલંક હતું. (૧૩) શુભતુંગ(કૃષ્ણરાજ ) ના મહાન અથી ઉડેલી રજથી સૂર્યનાં કિરણે રોકાતા હતાં તે આખું વ્યોમ ગ્રીષ્મમાં પણ વર્ષા ઋતુના નભ સમાન સ્પષ્ટ ભાસતું હતું. (૧૪) અકાલ વર્ષ (અકાળે વૃષ્ટિ વ૨સાવનાર) કૃષ્ણરાજ, સહસા દીન, અનાથ અને અનુરાગીઓની ઇછિત ફળની વૃષ્ટિ રવેચ્છા પ્રમાણે તેમનાં દુઃખ હરવા નિરંતર કરતે. (૧૫) બાહુબળના મદવાળા રાહ૫ને તેની અસિની તીક્ષણ ધારાના પ્રહારથી યુદ્ધમાં હરાવી પાલિવજીર ઉજજવળ થએલા રાજાધિરાજ અને પરમેશ્વરના પદની સત્વર પ્રાપ્તિ કરી. (૧૬) પ્રબળ શત્રુઓની મહાન ગજોની ઘટાને મુંઝવતા અને મદથી ફલાઈ ગએલા શત્રુમંડળને નાશ કરતા દંડ સમાન તેના કરનું રૂપ ક્રોધથી ઉપાડેલી અસિનાં કિરણોથી મેર પ્રકાશતું યુદ્ધમાં જોઈને જ ફક્ત, પરાક્રમના સર્વ ખ્યાલ મૂકી દઈ ભયથી કંપતાં અંગો સહિત તેના શત્રુઓ ક્યાંક નાસી ગયા. = ૧૭) ચાર સાગરથી આવૃત થઈ ભૂષિત બનેલી પૃથ્વીને અને ત્રણ વેદને પણ તે પાલક હતું. તે દ્વિજને ઘણું ઘી આપતે, દેવને અલંકારિત કરતો, અને ગુરૂઓને માન આપતો. તે દાનિ, ઉદાર, ગણિમાં પ્રથમ, અને શ્રીને રવામિ હતો. અને પોતાના મહાન તપનાં ફળને સ્વર્ગમાં ઉપભેગ કરવા તે અમર ધામમાં ગયો. (૧૮) તેને પુત્ર વલલભ નામે વિખ્યાત, સેના ધૂળથી વેત બનેલા શિર સહિત રવિના કિરણની ગરમી ત છત્રથી દૂર કરવામાં આવી હતી તેથી નિત્ય લીલાવાળી ગતિથી યુદ્ધમાં જતે, પૃથ્વીને પરાજય કરનાર, શત્રુઓની પત્નીઓને વૈધવ્ય આપવામાં દક્ષ, અને પિતાનાં રિપુના મસ્ત ગજેનાં કુ રણમાં ક્ષણવારમાં ભેદનાર શ્રી ગોવિંદરાજ હતે. (૯) તેને અનુજ શ્રી ધ્રુવરાજ મહાપ્રતાપી અને અસહ્ય પરાક્રમવાળે, સર્વ નુપેને પરાજય કરી, નવ ઉદય પામતા રવિ સમાન કમે પ્રકાશ પ્રાપ્ત કરનાર હતા. ( ૨૦ ) અને જ્યારે તે રાષ્ટ્રકટને અલંકાર, ઉત્તમ નૃપને મુગટમણ થયે, અને જ્યારે તે ધર્મ, અમૃત ગુણના નિધિ સમાન અને સત્યવ્રત પરાયણ નૃપ પૃથ્વી પર સાગરનાં કિનારા સુધી રાજ્ય કરતો ત્યારે ખચિત ! ખરે ખર !" અખિલ જગતને અતિ આનન્દ થયો. (૨૧) જ્યારે તે પ્રસન્ન થતો ત્યારે બધુજનના મંડળને અનુરંજી, તેનું સર્વસ્વ અર્થ જનને આપતેઃ (અને ) જ્યારે તે વીર દેધિત થતો ત્યારે સહસા યમના પણ પ્રાણ હરી લેતે. (૨૨) ચાર સાગર સહિત પૃથ્વીનું ધર્મ તથા ન્યાયથી રક્ષણ કરીને જનેના હદયમાં તેણે અતિ આનન્દ ઉત્પન્ન કર્યો.. (૨૩) તેને, તેના વંશને અલંકાર, ઉદાર, પ્રતાપ ધનવાળે, શત્રુમંડળને પરાક્રમથી સંતાપનાર અને પ્રજાને અનુરાગી, અખિલ જગમાં રમ્ય અને અતિ પ્રસરેલા યશ સંપન્ન ગોવિદરાજ નામે પુત્ર હતા. ૧ ડે ફલીટ શુભતુગ' ને અર્થ સદ્ભાગ્યમાં સર્વોત્તમ યા તે આગળ પડતો એમ કરે છે. પરંતુ તેને ખરે તરજુમો ધર્મવાન તુગ” એમ થશે. (એ. ઈ. .૪ ૫.૨૭૯) ૨ “પાલિધ્વજ' શબ્દની સમજુતી માટે જુઓ ઈ. એ. વ.૧૪,૧૦૪ ક પ્રસિદ્ધ થએલાં દાનપત્ર, જેમાં આ એક આવે છે તેમાં “મૂરતામા’ એમ વાંચન છે. મારી પાસે ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવ બીજનું એક અપ્રસિદ્ધ દાનપત્ર છે, જેનાં વાંચન “રિત મામ્” એ પ્રમાણે આપ્યું છે; જે વધારે સારૂં વાંચન છે કારણ કે તેનાથી “an"For ' માંના ૧૪ શબ્દની યે ગ્યતાનું સમર્થન થાય છે, ૪ નિતનતિઔળવૈષધ્યક્ષ : આને આ સમાસ ગણીને માત ને ગરા સાથે જોડવાથી કઈ સારે અર્થ બેસતું નથી. કારણ કે ભારત કવિઓ જગતના રિપુઓ કરતાં ગોવિંદરાજના શત્રુઓને વર્ણવવાને વધારે સંભવ હોઈ શકે તે બાબતને ઉપર પ્રમાણે લેવાથી વિરોધ થાય. ૫ “સત્યયમતિ' ઉપવાકયના બીજા અર્થ માટે જુએ ઈ એ. કે. ૫, ૫ ૧૫૦ અને ધો.૧૨ પા ૧૮૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy