SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૨૪ ગાવિંદરાજનાં તારખંડનાં તામ્રપત્રા શ. સં ૭૩પ પૌષ, સુ. ૭ સી. સી. જી. ડાસન તરફથી આ પતરાં વાંચવા માટે મળેલાં હતાં. તણે તે ખાનદેશમાં શાહાડે તાલુકામાંનાં તારખેડે ગામના રહીશ જાગીરદાર દેવરાવ બીન ખલવન્તરાવ કદમ્બાન્ડ પાસેથી મેળવ્યાં હતાં. પતરાં ત્રણ છે અને તેનું માપ ૧૧૪૮” છે. તેની કાર ટીપીને જાડી રાખેલી છે. જોકે તેના ઉપર પુષ્કળ ઠાટ ચડી ગયા હતા છતાં અક્ષરા બધા સ્પષ્ટ વંચાય છે. પતરાં એ કડીથી બાંધેલાં છે. એક કડી '' જાડી છે ને તેના વ્યાસ !” છે. જ્યારે બીજી જાડી અને લખચારસ ડાઈ ૩”×ર” ના માપની છે. સીલ ઉપલબ્ધ નથી. ત્રણે પતરાંનું વજન ૪૩૪ તાલા છે અને એ કડીનું વજન ૧૮: તાલા છે. અક્ષરા દક્ષિણના અક્ષરાને મળતા આવે છે. લેખના સમયના અક્ષરા જેવા જ છે. ભાષા સંસ્કૃત છે; અને છેવટના એ લેાકેા સિવાય બધો ભાગ ગદ્યમાં છે. વ્યાકરણદાષ જુજ છે, પણ દાનવિભાગમાંના ભાગ કિલષ્ટ છે. લેખમાં પંક્તિ ૫ અને ૬ માં રાષ્ટ્રકૂટ રાજા પ્રભૃતવર્ષ જગત્તુંગ ગેાવંદ ૩ જાના ઉલ્લેખ છે અને પંક્તિ ૧૨ માં તેના ભત્રિજા ગુજરાતના ગેવિંદરાજનુંનામ છે. ગાવિંદરાજના તાબાના શત્રુકિવંશના મહાસામન્ત બુદ્ધવરસે,ર પોતાની માલિકીની સિહરખી અથવા સિહુરબ્બી બાર ગામમાંના ગાવદ્રણ ગામનું દાન, કેટલાક બ્રાહ્મણેાને આપ્યાની હકીકત તેમાં છે. દાનની તિથિ શક સંવત ૭૩પ નંદન સંવત્સર પોષ માસ શુકલ પક્ષ સપ્તમી એટલે કે વિજયા સપ્તમી આપેલ છે. વાર આપેલ નથી. આ દિવસ ઇ. સ. ૮૧૨,૧૪ મી સપ્ટેબર સાથે મળતા આવે છે. સ્થળના નામમાં સિંહરખી અગર સિહરખ્ખી તે હાલનું સેરખી લાવું જોઇએ, જે વડાદરા ની પડોશમાં છે. ૧ એ. ઇ. વા. ૩ પા. ૫૩ ડા. જે. ફ્લીટ ૨ ‘ અરસ’ નામને છેડે છે તે કીરી રાજાને માટે ટુાઈને એમ અટકળ થાય છે કે કૅનેરી વિભાગમાંથી તે ગુજરાતમાં આવ્યો હશે. ૩.૨૪ Jain Education International For Personal & Private Use Only www.jainellbrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy