SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख આ (૫. ૫૪) આથી જ્યારે તે બ્રહ્મદાયના નિયમ અનુસાર તેના ઉપભેગ કરે અથવા ઉપભાગ કરાવે અથવા અન્યને સોંપે અથવા ખેતી કરે કે ખેતી કરાવે ત્યારે કાઈ એ તેને પ્રતિબંધ કરવા નહીં. અને તેથી મારા દાનને પાતે કરેલું દાન હૈાય તેમ અમારા વંશના કે અન્ય ભાવિ નૃપાએ ભૂમિદ્યાનનું ફળ (દાનદેનારને અને રક્ષનારને ) સામાન્ય છે અને લક્ષ્મી વિદ્યુત સમાન ચંચળ અને અનિત્ય છે અને જીવિત તૃણાથે જલબિંદુ સમાન સ્થિર છે તેમ મનમાં માની અનુમતિ આપવી અને રક્ષવું. અને જે અજ્ઞાનના ઘનતિમિરથી આવૃત્ત થએલા ચિત્તથી આ દાનને જસ કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પંચ મહાપાતકને અને અન્ય નાનાં પાપાના દોષી થશે. ૩૬ ( ૫. ૫૯ ) અને વેદ વ્યાસે કહ્યું છે- ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે, પણ્ ભૂમિદાન જપ્ત કરનાર અને તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષે નરકમાં વાસ કરે છે. ખચિત ! જે ભૂમિદાન જપ્ત કરે છે તે વિધ્યાવૃતના નિર્જલ વનમાં શુષ્ક વૃક્ષાના કેપ્ટરમાં રહેતા કાળ સર્પા જન્મે છે. સુવર્ણ અગ્નિનું પ્રથમ બાળ છે. પૃથ્વી વિષ્ણુની છે. અને ધેનુ સૂર્યનાં બાળક છે. સુવર્ણ, ધેનુ અને ભૂમિ દેનારથી ( અખિલ ) ત્રણ ભુવન દેવાય છે. સગરથી માંડી પૃથ્વીના બહુ નૃપાએ ઉપભોગ કર્યાં છે. જે સમયે ભૂમિતિ હશે તેને તે સમયનું ફળ છે. ધર્મ, અર્થ અને યશની ઉત્પત્તિવાળાં ભૂમિદાન જે પૂર્વેના નૃપાથી અહીં થયાં છે તે પ્રતિમાને અર્પણ કરેલામાંથી નિર્માલ્ય સમાન છે. કયા સજ્જન તે પુન લઈ લેશે? નપામાં શ્રેષ્ઠ આ પ! તારાથી કે અન્યથી અપાએલી ભૂમિનું તું કાળજીથી રક્ષણ કર- દાનનું રક્ષણુ દાન કરતાં અધિક છે. ખરેખર ! પેાતાના લાભ વિચારી અતિ નિર્મળ મનના પુરૂષોએ લક્ષ્મી અને જીવિત કમળપત્રપરના જલબિંદુ સમાન અસ્થિર છે, એમ માની અન્યની કીર્તિના નાશ ન કરવા જોઇએ ! અને શ્રી રામભદ્રે કહ્યું છે:- રામભદ્ર વારંવાર ભાવિ સર્વરૃપાને પ્રાર્થના કરે છે કે આ નૃપાના ધર્મસેતુ સદા તેમનાથી રક્ષાવે જોઇ એ. (૫. ૬૮) આમાં દૂતક રાજપુત્ર શ્રી દન્તિવર્મા છે. આ મારા શ્રી ઇન્દ્રરાજના પુત્ર શ્રી કક્કરાજના સ્વહસ્ત છે. મહાસાંધિવિગ્રહિક કુલપુત્રક દુર્ગભટના પુત્ર નમાદિત્યથી લખાયું છે. ( ૫. ૭૦ ) અને એ જ ગામ અંકેટ્ટકના ચતુર્વેદીયાના મંડળને પૂર્વેના એક નૃપના પરીક્ષીએ આપ્યું હતું. તેથી પણ જ્યારે આ દાન, જેના ઉપભેગ દુષ્ટ નૃપાના પ્રતિબંધથી તૂટયા હતા, તે સુવર્ણવર્ષ કાઇ ઉત્તમ દ્વિજની વિદ્યાનું ફળ તે થાય તેવા નિશ્ચયથી ( આગામ ) વટપુરના નિવાસી ભાનુભટ્ટને આપ્યું હતું. લઈને અને તાલાવારિકા આદિ જાતિને ઉદ્દેશીને તાંબુલ પર્ણના દાનપૂર્વક ઇચ્છા અનુસાર રક્ષણ થવું જોઇએ એમ કહી, અને શાસન કરી, ( રૃપે કહ્યું )— જો કે આ નગર (પુરી ) કુદરતી અને પ્રાકૃતિક દાન છે. પણ તે (ઢાની ) જાણે છે કે મહાશંભુ ત્રિયાગેશ્વર દેવના ચરણની ભક્તિથી તેનું દાન ઉદ્દભવે છે” ... Jain Education International For Personal & Private Use Only www.jainellbrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy