________________
નં. ૨૧ ધ્રુવસેન ૧ લાનાં ગણેશગઢનાં પતરાંઓ
[ ગુપ્ત ] સંવત્ ૨૦૭ વૈશાખ વદ ૧૫ (અમાવાસ્યા ) આ તામ્રપત્રે વડોદરા રાજ્યના દામનગર તાલુકાના ગણેશગઢના એક ખેતરમાંથી મળી આવ્યાં હતાં. ૧૮૯૪ ના માર્ગમાં તે વખતના વડેદરાના આસિસ્ટંટ એક્ટ ટુ ધી ગર્વનર જનરલ મેજર ડબ્લફ્યુ. બી. ફેરીસે ડૉ. ફલીટને તે તામ્રપત્રો મોકલ્યાં હતાં. અને તેમણે પ્રસિદ્ધ કરવા માટે મારી તરફ મોકલ્યાં. હાલ તે પતરાંઓ વડેદરા પાછાં મોકલી આપ્યાં છે.
પતરાંઓની સંખ્યા બે છે અને તેનું માપ આશરે ૧૧”૪૭” થાય છે. લેખના રક્ષણ માટે તેના અન્દરના કાંઠાઓ વાળી દીધા છે. કોતરકામ એટલું બધું ઊંડું છે કે ઘણા અક્ષરો પતરાંએના પાછળના ભાગમાં ચેખા દેખાય છે. પહેલા પતરાને છે અને બીજા પતરાની ઉપરના ભાગમાંનાં બબ્બે કાણાંઓમાંથી લગભગ 3 ઇંચ જાડા ત્રાંબાના તારના બે કકડા પસાર કરેલા છે. જમણી તરફને તાર કડી કરી વાળે છે, પણ સાંધેલ નથી. બીજો તાર પણ તે જ પ્રમાણે વાળે છે, અને મને પતરાંઓ મળ્યાં ત્યાં સુધી કાપ્યા નહોતે. તારના બે છેડા એક ૨ ઇંચક ૧૭ ઈંચની સુરક્ષિત લંબગોળ મુદ્રાની નીચે ગ્રન્થીમાં બાંધી દીધેલા છે. મુદ્રાને પૃષ્ઠભાગ ગોળ ઉપડતે છે. ઉપરના ભાગ ૧છું ઇંચ X ૧૩ ઇંચના માપને સપાટ લમ્બ ગોલાકૃતિવાળા બે આડી પંક્તિઓથી બે ખાનામાં વહેંચી નાંખેલે છે. આમાંથી ઉપરના ખાનામાં બહાર થોડાક ઉપસી આવેલા ભાગમાં જમણી તરફ મુખવાળા બેઠેલા નંદીની આકૃતિ છે. નીચેના ખાનામાં ઉપસાવેલા અક્ષરામાં હમેશ મુજબને “શ્રી ભટકકર” લેખ છે. બે પતરાંઓનું વજન ૩ પાંડ ૭ ઑસ છે. અને બે કડીઓ તથા મદ્રાનું વજન ૭ ઑસ છે, કુલ વજન ૩ પડ ૧૫ ઑસનું થાય છે.
હસ્તકવાહરણીના પેટા વિભાગ અક્ષરસરક પ્રાપના હરિયાનક નામના ગામડાની આઠ ખંડ જમીન તથા બે ટાંકીઓ એક બ્રાહ્મણને દાનમાં આપ્યાં તે શાસન ધ્રુવસેન ૧ લાએ પિતાના મુખ્ય શહેર વલભીમાંથી કાવ્યું તેનું વર્ણન લેખમાં છે.
હરિયાનક તથા જે પેટા વિભાગમાં તે આવેલું છે તે બનેની ઓળખ આપવી શક્ય નથી. હસ્તવપ્રાહરણ, હસ્તકવખાહરણું અથવા હસ્તવપ્રહારને પ્રદેશ વલભીનાં અન્ય ત્રણ પતરાં એમાં પણ બતાવેલ છે. ભાવનગર સ્ટેટને ઘોઘાની દક્ષિણે ૬ મૈલપર આવેલું હાલનું હાથબ, તથા ટેલેમી અને પંરિપ્લસનું “અસ્તકપ્ર” એ જ હસ્તવપ્ર અગર હસ્તવપ્ર છે, એવું માનવામાં આવે છે.
દ્વારપાળ મમ્મક દૂતક હતે. અને લેખક ઠિક હતે. ધ્રુવસેન ૧ લાનાં પ્રસિદ્ધ થએલાં અન્ય ત્રણ શાસનને લેખક પણ તે જ હતું. અને તેમાંના એક શાસનને દૂતક મમ્મક હતે. નીચે આપેલ લેખ ( ગુપ્ત ) સંવત ૨૦૭, એટલે, ઈ. સ. પર૬-ર૭, ના વૈશાખ– વદ ૧૫ ને દિવસે લખાય છે. પ્રોફેસર બુહુરે પ્રસિદ્ધ કરેલ ધ્રુવસેન ૧ લાને એક બીજો લેખ પણ તે જ સંવતને છે. આ સમય અત્યાર સુધી લેખો ઉપરથી જાણવામાં આવેલે, વલભી વંશને વહેલામાં વહેલો છે.
* એ, ઈ. વ. ૩ પા. ૩૧૮. ઈ. હુસ્થ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org