________________
ध्रुवसेन १ लानां गणेशगढनां पतरांओ આ લેખના વંશાવળીના ભાગ ઉપરથી જણાશે કે જે ભાગમાં મૈત્રકનું વર્ણન આવે છે તેનું નવું ભાષાંતર વધારેલું છે. પહેલી પંક્તિમાં કંઈ પણ ભૂલ સિવાય શેખી રીતે મૂળ પાઠ મૈત્રાના–મતુઝવ-સંપન્ન એમ વાંચી શકાય છે. વલભીના બાકીના પહેલાંના લેખેની પ્રસિદ્ધ થએલી પ્રતિકૃતિઓમાં પણ આ જ પાઠ છે. આ લેખના પ્રસિદ્ધર્તાઓએ “સંપન્ન’ વાંચેલું છે કારણ, કે વલભીના પછીના લેખમાં આવતું સંપન્ન તેમના ધ્યાનમાં હતું. પ્રથમના બધા લેખમાં “સપત્ન' જ આવે છે, અને તેથી તેના વિરૂદ્ધ સબળ કારણુના અભાવે આપણે માનવું જોઈએ કે વલભીની વંશાવળીનાં મૂળ લખાણમાં આજ પાઠ હતું, અને પછીના લેખને “ સંપન્ન” પાઠ લખનારની ભૂલનું જ પરિણામ હતું. આ બાબત ઉપર ચર્ચા કરવાનું કારણ એ છે કે જે “સપન” પાઠ કબૂલ કરીએ તો “ત્રિકાણુમ' શબ્દને, પછીના સમાસ સાથે અર્થ બેસાડી શકાતો નથી, અને તેને “અભય” ક્ષિાપદ જે આપ્યું નથી, પણ વાકયની પૂર્તિ માટે આપણે આપવું પડે, તે સાથે જોડે પડે. મૈત્રાનામ્ ( એટલે, મત્ર ) મટાડવત એ પ્રમાણે આ ભાગને અર્થ કરીએ, અથવા મૈત્ર#ion પછી વંશે ઉમેરીએ તોપણ એટલું તો જણાઈ આવે છે કે વલભી રાજાઓનો પૂર્વજ ભટાર્ક પોતે મત્રક વંશને હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org