________________
ध्रुषसेन १ लानां ताम्रपत्रो
ભાષાન્તર [પંક્તિ -૧૧ ચાલુ પ્રસ્તાવના સમાવે છે. તરજુમા માટે, ઉદાહરણ તરીકે પ્રો. કોનેથી પ્રકટ થએલા પાલિતાણ પત્ર. નં. ૧ ની શરૂઆતની પંક્તિઓના તરજુમા સાથે સરખાવેઃ એ. ઈ વૉ. ૧૧. પાનું ૧૦૮ ]
(પંક્તિ ૧૨-૧૬) તમને જાહેર થાઓ કે મહારાં માતાપિતાના પુણ્યની અભિવૃદ્ધિ અર્થ અને આ લેકમાં તેમ જ પરલોકમાં ઈચ્છિત ફળની પ્રાપ્તિ અર્થે, હસ્તવમાહરણીમાં અક્ષસરકપ્રાવેશ્યના જ્યેષ્ઠાનક ગામની ઉત્તર સીમા ઉપર ૧૬૦ પાદાવર્ત, જેને ઉપભોગ, પૂર્વ અને હાલ પણ તે ગામને વાસી શુનક ગેત્રને, છન્દગસ બ્રહ્મચારી બ્રાહ્મણ માધવ કરે છે, તે (પાદાવર્ત) ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતના અસ્તિત્વકાળ સુધી પુત્ર, પૌત્ર અને પરંપરાના ઉપગ માટે, શૈબર (?) સહિત, હિરણ્ય અને આદેય સહિત, ભૂત, વાત સહિત અને (?) પ્રત્યાય સહિત બ્રહ્મદેય તરીકે પાણીના અર્ધથી મહે મંજૂર રાખેલ છે.
(પંક્તિ ૧૭-૧૮ ) આથી બ્રહ્મદેયના નિયમાનુસાર જ્યારે તે ઉપભોગ કરે, ખેતી કરે અથવા અન્યને સોપે ત્યારે કેઈએ તેને કંઈ પ્રશ્ન અથવા પ્રતિબંધ કરે નહિ.
અને અમારા વંશના અને ભાવિ ભદ્ર કૃપાએ ઐશ્વર્ય અનિત્ય છે, જીવિત અનિશ્ચિત છે અને ભૂમિદાનનું ફળ સામાન્ય છે એમ માનીને આ અમારા દાનને અનુમતિ આપવી જોઈએ અને જે તે જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પંચમહાપાપને અલ્પ પાપ સહિત દેષી થશે
(પંક્તિ ૨૦-૨૨) આને માટે વ્યાસના બે શ્લોક છે [ અહીં ચાલુ શ્વેમાંના બે શ્લેક આવે છે ] (પંક્તિર ૩) દૂતક પ્રતીહાર મમ્મક છે. સંવત ૨૦૭. વૈશાખ વદિ. પ. (પંક્તિ ૨૪) આ મારા મહારાજ ધ્રુવસેન. ૧. ના સ્વહસ્ત છે. કિક્કથી લખાયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org