SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख નકકી કરવાને બીજી કઈ હકીક્ત નથી. પરંતુ ડે. કીહાને જણાવે છે કે જે ચાલુ વર્ષ ગણવામાં આવે તે તે ઈ. સ. ૪૫૬ ના એપ્રીલની ૪ થી તારીખની બરોબર થાય. અને પૂરું થયેલું વર્ષ ઈ. સ. ૪૫૭ ના એપ્રીલની ૨૩ મી તારીખ ખબર થાયઃ ત્રકુટકના કુટુંબનું વણન આપતું ( કલચુરી ) સંવત ૨૪૫ નું કહેરીનું પતરું આ વંશના જે રાજાના સમયનું છે તેના નામની માહિતી આપી શકતું નથી. સૈકૂટકને રાજા દહુસેન ( કલચુરી) સંવત ૨૦૭= ઈ. સ. ૪પ૬ અથવા ઈ. સ. ૪૫૭ માં રાજ્ય કરતા હતા એવું પારડીનાં પતરાંઓ ઉપરથી માલુમ પડે છે. દહુસેનના પિતા ઇંદ્રદત તથા પુત્ર વ્યાઘસેન નામના તે જ વંશના બીજા બે માણસે વિષે પણ સિક્કાઓ ઉપરથી જાણવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ મી. જેકસન પાસે સુરતમાંથી મળેલું એક ( કલચુરીની) ૨૩૧ ની સાલનું તામ્રપત્ર હતું. તેમાં ત્રિકૂટક વંશના વ્યાવ્રસેને આપેલા દાનનું વર્ણન હતું. દહુસેન અને વ્યાવ્રસેન પિતાને સિકકાઓ ઉપર પરમાણુવ તરીકે ઓળખાવે છે, એ ધ્યાનમાં રાખવા જેવું છે. જ્યારે પારડીનાં પતરાંઓમાં દહુસેનને તેવા જ અર્થવાળું ભગવદ્પાદકર્મકર એટલે ભગવદ્ગુનાં ચરણને સેવક એવું બિરૂદ આપવામાં આવેલ છે. આ લેખમાં બતાવેલ સ્થળે વિષે ડં. ફલીટ એમ માને છે કે “અન્તરમન્ડલીવિષય” એ ગુજરાતમાં આવેલ ઉત્તરે મિઢેળ અને દક્ષિણ પૂર્ણ નદીઓની વચ્ચે પ્રદેશ હોવો જોઈએ. વડેદરા રાજ્યના વ્યારા પરગણુની નૈરૂત્ય કેણની દક્ષિણ તરફ ત્રણ મૈલ ઉપર આવેલ મિઢેળા નદીના કાંઠા ઉપર જરા મોટું ગામડું આવેલું છે તેજ કાપુર તરીખે ઓળખાવે છે. આ સ્થળને ઈન્ડીયન એટલાસ કવાર્ટર શીટ નં. ૨૩ એસ. ઈ. ( ૧૮૮૮ ) માં અક્ષાંશ ૨૧°૪ રેખાંશ ૭૩ ૨૫ ઉપર કપુર તરીખે બતાવવામાં આવ્યું છે. “કનીયસ્તડાકા સારિકા ” એટલે હાના તડાકા સારિકાને મિઢેળા અને પૂર્ણ વચ્ચે લગભગ અધે રસ્તે તથા કપુરથી પશ્ચિમે ૧૫ મિલ ઉપર નકશામાં બતાવેલ તર્સરિ અથવા તíરિ તરીખે ઓળખાવે છે. દહુસેને દાન આપ્યું ત્યારે જ્યાં રહ્યું હતું તે આમ્રકા કદાચ કપુરથી નૈરૂત્ય કેણમાં બે મેલ ઉપર નકશામાં બતાવેલ અમ્બળ અથવા આખાછ હોય એમ તે માને છે. પરંતુ લેખમાં બતાવેલાં બીજાં સ્થળની નજીક આમ્રકા હેવું જોઈએ એ જરૂરનું માનતા નથી. નાશિકના ઉશવદાતના એક લેખમાં બતાવેલા કાપુરાહાર નામના વિભાગનું નામ કપુર ઉપરથી પડયું છે. અને તે જ લેખમાં બતાવેલ ચિખલપદ્ર પણ કપુરથી ઈશાન ખૂણે અઢી મિલ ઉપર મિઢેળાના દક્ષિણ કાંઠા ઉપર નકશામાં બતાવેલ ચિખલદ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy