________________
શૈકૂટક વંશના લેખો
નં૧૩ રૈકૂટકવંશના દહુસેનનાં પારડીનાં પતરાં
સંવત ૨૦૭ વૈશાખ સુ. ૧૩ * મુંબઈ ઈલાકામાં ગુજરાતના સુસ્ત પરગણામાં પારડી ગામમાં તળાવનું ખેદકામ ચાલતું હતું ત્યારે આ પતરાંઓ ઈ. સ. ૧૮૮૪ માં મળી આવ્યાં હતાં. રોયલ એશીઆટિક સોસાઇટીની મુંબઈ શાખાના જરનલ વેલ્યુમ ૧૬ ના પાને ૩૪૬ મે. ડે. ભગવાનલાલ ઈન્દ્રજીએ ઈ. સ. ૧૮૮૫ માં આ પતરાં પ્રસિદ્ધ કરેલાં છે. પણ લીથોગ્રાફ આપેલ નથી.
પતરાં બે છે અને તેનું દરેકનું માપ ૯ ૪૩” છે. તે તદ્દન સપાટ છે. અને તેની કાર વધારે જાડી અગર કાંઠાવાળી પણ નથી. પ્રતિકૃતિ ઉપરથી જણાય છે કે લગભગ આખો લેખ અખંડ અને સુરક્ષિત છે.
સાધારણ કડી કે મુદ્દા નથી. પરંતુ બન્ને કડીઓના કાણુમાંથી પતરાંઓ લાંબાં અને ” જાડા તારથી બાંધેલાં છે. આ તાર કરતાં કાણું બહુ મોટાં નથી, અને પતરાંઓ મળી આવ્યાં કે તરત જ સાચવી લેવામાં આવ્યાં હોય એવું લાગે છે. આ ઉપરથી એવું માલુમ પડે છે કે પતરાંઓ અસલથી જ તારથી બાંધવામાં આવ્યાં હશે.
બે પતરાંઓનું વજન ૩૧ તલા છે. અને તારનું વજન ૧૩ તલા છે. કુલ વજન ૩ર તેલા = ૧૨ ઔસ છે.
ત્રકૂટક વંશના મહારાજ દહુસેને બ્રાહ્મણને આપેલ જમીનનું વર્ણન લેખમાં છે. આ રાજાની આજ્ઞા આમ્રકા નામના સ્થળેથી બહાર પાડવામાં આવી હતી. દાન આપેલ ગામનું નામ કનીયસ્તડાકા હતું અને તે અન્તર્મલી પરગણુમાં આવ્યું હતું. બક્ષીસ મેળવનાર બ્રાહ્મણ કાપુરમાં રહેતા હતા. રાજાએ કરેલ બક્ષીસના સમાચાર આપનાર દૂતનું નામ બુદ્ધગુપ્ત હતું. અને તે બક્ષીસ ૨૦૭ મા વર્ષના વૈશાખ સુદ ૧૩ ને દિવસે કરવામાં આવી હતી.
પારડીનાં પતરાઓ પ્રસિદ્ધ કર્યા પહેલાં પંડિત ભગવાનલાલ ઈન્દ્રજીએ કરીના એક તામ્રપત્રમાંથી સૈકૂટકેનું વર્ણન શોધી કાઢયું હતું. પરંતુ તે મૂળ પતરું ખવાઈ ગયું લાગે છે. કરીનાં પતરાં ઉપર ૨૪૫ મું વર્ષ લખેલું છે. તે જ પ્રદેશના કેટલાક સમકાલીન ઐતિહાસિક
માંથી મળી આવેલ સુચનાના આધારે પંડિત એવું અનુમાન કરે છે કે આ પતરાંઓને સંવત ઈ. સ. ૨૪૫ લગભગથી શરૂ થતે હવે જોઈએ. જનરલ કનીંગહામે આ સંવત ઈ. સ. ૨૪૯ થી શરૂ થતો કલચુરી અથવા ચેકીને માનેલો છે. અને આ મતનું સમર્થન પંડિત પિતે તથા ડૅ. ફલીટે કરેલ છે.
પારડીનાં પતરાંઓની લિપિ તથા જ્યાંથી મળી આવ્યાં તે જગ્યા અને તેમાં કૂટકેનું વર્ણન કરેલું છે એ બે બાબતે ઉપરથી એ પતરાંઓ, ડે. કીન્હને છેવટ પુરવાર કર્યું છે તે પ્રમાણે ઈ. સ. ર૪૯ થી શરૂ થતા કલચુરી અથવા ચેદી સંવતનાં જ હોવાં જોઈએ એવું માનવાને સબળ કારણ મળે છે. અઠવાડીઆને દિવસ અથવા નક્ષત્ર આપેલું નહિં હેવાથી સમય
૪ એ. ઈ. . ૧૦ પા. ૨૧-૫૩ ઈ. હુશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org