________________
નં૭૨
ધરસેન ૪ થાનાં તામ્રપત્રો
સંવત્ ૩૩૦ માર્ગશીર્ષ સુદિ ૩
આ દાનપત્રનાં પતરાંઓનું માપ ૧૪.૫ ઈંચx૧૧” નું છે. કડીઓ તથા મદ્રા ખોવાઈ ગયાં છે. તે સિવાય પતરાંઓ સુરક્ષિત સ્થિતિમાં છે. અક્ષર ઈ એ. જે. ૧ પા. ૧૬ માં પ્રસિદ્ધ કરેલા દાનપત્રને મળતા, બહુ ચેખા અને છૂટા છૂટા છે. લખાણની ભૂલે બહુ થેડી છે. પરંતુ ખરગ્રહ ૧ લાના વર્ણનને માટે ભાગ ધરસેન ૨ જાને લગતા ભાગની ફક્ત પુનરૂક્તિ છે. આ ભૂલ બન્ને ઠેકાણે આવતા “શતસહ ” શબ્દને લીધે થઈ છે.
વંશાવળીમાં કંઈ નવીન જાણવા જેવું નથી. પરમમાહેશ્વર રાજાઓનો મહાન્ રાજા પરમેશ્વર રાજાધિરાજ ધરસેન ૪ થાનાં પ્રસિદ્ધ થયેલાં બે દાનપત્રોમાં સંવત ૩૨૬ અને ૩૨૮: છે. સંવત્ ૩રર તથા સંવત ૩૨૮ નાં નુકસાન પામેલાં બે પતરાંઓ, એક વળામાં, તથા બીજું હાલ બૉ. ઍ. રો. એ. એ. ના સંગ્રહમાં, સાચવેલાં મેં જોયાં છે. આપણું દાનપત્રની તારીખ સંવત્ ૩૩૦, ધરસેનના રાજ્યના અંતથી બહુ દૂર હોવા સંભવ નથી. કારણ, તેના પછી આવતા ધ્રુવસેન ૩ જાના એક અપ્રસિદ્ધ દાનપત્રમાં તારીખ સંવત ૯૩ર લખેલી છે. ધરસેનના રાજ્યની શરૂવાત બહુ ચોક્કસ નથી, કારણ કે તેની પહેલાં આવનાર ધ્રુવસેન ૨ જાનું તારીખ ૩૧૦ નું ફક્ત એક જ દાનપત્ર મળ્યું છે. - કાસર ગામમાં વસતા, આનર્તપુરના રહીશ કેશવમિત્રના પુત્ર, શાર્કરાક્ષિ. શેત્રના અગ્વદી બ્રાહ્મણ નારાયણમિત્રને દાન આપ્યું છે. તેને લગાડેલું “માનર્તપુર-વાર્તાવિ ” એટલે “આનર્તપુરનો એક ચતુર્વેદી” એવું વિશેષણ, બ્રાહ્મણ જ્ઞાતિનો જે પેટા-ભાગ અથવા ભેદમાં તે હવે તે બતાવે છે, એ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. બીજું પતરાંઓ ઉપર ચાતુર્વિદ શબ્દ પહેલાં તા લગાડેલ આપણે જે છે, એટલે તાર્થિવ હેય છે. આ દાનપત્રમાં જ્યાં જ્યાં ના લગાડેલું ત્યાં ચતુર્વેદીના નિવાસરથાનને સંબોધન કર્યું છે, એમ દેખાય છે.
દાનમાં ખેટક જીલ્લામાં સિહપલ્લિકા તાલુકામાં આવેલું સુરક્ષિતિજ નામનું ગામ આપેલું છે. દાનને હેતુ હમેશ મુજબને છે. વર્ણવેલા બે અધિકારીઓમાં, દૂત, રાજપુત્રી ભપા, અને દિવાન તથા મુખ્ય મંત્ર અંદભટ છે. અધિકારીના દરજજામાં એક સ્ત્રી હોવાનું જરા અજાયબી જેવું છે. તે પોતાની ફરજ કેઈના પ્રતિનિધિ તરીકે બજાવતી હતી એવું માનીએ તે જ આ સમજાય તેમ છે.
આંહિ લખેલો અંદભટ મેં પ્રથમ અનુમાન કર્યું હતું તેમ ગુહસેન અને ધરસેન ૨ જાને મંત્રિ અંદભટ નથી, આ બે જુદી વ્યક્તિઓ છે તેની સાબિતીનું કારણ, એક તો એ છે કે, સંવત ૨૪૦ થી સંવત ૩૩૦ સુધી એટલે ૯૦ વર્ષ સુધી એક જ માણસ અધિકાર ભોગવી શકે એ અસંભવિત છે; બીજું, શીલાદિત્ય ૧ લાએ સ્કંદભટના પિતા ચંદ્રભદ્રિને સંવત ૨૮૬માં પિતાના દિવાન તરીકે રાખ્યો હતે.
*ઈ. એ. વ. ૭ ૫. ૭૩ જી. ખુહર. ૧ જુએ ઈ. એ. વ. ૧ ૫. ૧૫ અને ૪૫ ૨ સરખા-દાખલા તરીકે ઈ. એ. વો. ૫ ૫. ૨૦૯ વ. ૬ પા. ૧૭ ૩ ઈ. એ. વ. ૪૫, ૧૭૩ ૪ જ. બ. બ્રા. જે. એ. સે. છે. ૧૧ ૫. ૩૬૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org