________________
નં. ૬૭ ધ્રુવસેન ૨ જાનું તામ્રપત્ર
ગુપ્ત સંવત્ ૩૨૦ આષાઢ સુદ. ૬૩૯-૪૦ ઈસ. આ દાનનાં બે પતરાં છે અને બન્નેમાં અંદરની બાજુએ લેખ કરેલ છે. તે બે કડીથી બાંધેલાં છે અને એક કડી ઉપર મુદ્રા છે, જેમાં બેઠેલ વૃષ અને શ્રી ભટક: અક્ષરે છે. બીજી પતરું જમણી બાજુએ ઉપરના ભાગમાંથી ખંડિત છે અને પહેલી પાંચ પક્તિના અમુક અક્ષરો ગયા છે. પણ બીજ દાન પત્રોમાંથી તે અક્ષરો અટકળી શકાય છે. પતરાંનું માપ ૧૩xe” છે અને લેખના રક્ષણ માટે કેર જરા વાળેલી છે. ઈ. એ. . ૬ પા. ૧૩ મે આપેલ ધ્રુવસેન બીજાના શાસનની સાથે અક્ષરો મળતા આવે છે. ઉપરાંત આમાં આદ્ય “એ” ૫. ૧૭ માં - માં મળે છે. અક્ષરે બહુ ઉંડા કોતરેલા નથી પણ પતરાં પાતળાં હોવાથી અક્ષરો પાછળની બાજી દેખાય છે. અક્ષરની ઉંચાઈ સરેરાસ ” છે. બીજા પતરાની પં. ૨૨ માં ૩૦૦,૨૦ અને ૧ નાં ચિહે છે. ભાષા સંસ્કૃત છે અને બીજા પતરાની પં. ૧૯ થી ૨૧ સુધીમાંના શ્લોક સિવાય આખો લેખ ગદ્યમાં છે.
લેખ ધ્રુવસેન બીજાના સમયને છે અને ત્રિસંગમકના રવતલમાં પ્રતિષ્ઠિત કટ્ટમ્મહિકા દેવીના લાભાર્થે તે રાજાએ આપેલા દાન સંબંધી છે. તરસમિઆમાં અત્યારે પણ કેટ્રરા દેવીનું મંદિર અસ્તિત્વમાં છે. દાનવાળા વિભાગમાં પ્રાપીય અને ગુદાદાન શબ્દો છે, જેને અર્થ કલ્પી શકાતું નથી પણ એમ જણાય છે કે મહારાજા દ્રોણસિંહે કાંઈ દાન આપેલું, પણ તેને ભગવટ છેડા વખત પછી બંધ પડેલો. તેટલા માટે ધ્રુવસેન તે દાન કાયમ કરે છે અને વિશેષ માં હુકમ કરે છે કે મદિરના ખર્ચ માટે ત્રિસંગમક સ્વતલની તેજુરીમાંથી દરરોજ રૂપાને એક શિક આપવા. લેખને સંવતું ૩૨૦ ( ૬૩૯-૪૦ ઈ. સ. ) છે અને તેથી યુએન સી ઈ. સ. ૬૪૦ માં પશ્ચિમ હિંદમાં આવ્યો ત્યારે વલભીને રાજા તુલહાપતુ તે આ પ્રવસેન હવે જોઈએ એમ પુરવાર થાય છે. આ રાજાનું બીજું દાનપત્ર સં. ૩૧૦( ૬૨૯-૩૦ ઈ. સ.)નું ઈ. એ. વ. ૬ પા. ૧૩ મે પ્રસિદ્ધ થયું છે. ઈબારત બનેની સરખી છે પરંતુ તેમાં વલભી સ્વતલમાં રહેતા બુદ્ધ સાધુને દાન આપ્યાની હકીકત છે.
૧ જબી. બી, આર એ. એસ. . ૨૦ પા. ૬ એ. એમ. ટી, જેસન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org